________________
[૮].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આ છે.” તે સાંભળીને મંગળ બે કે–“આ અકૃત્યને તમે કેમ કરે છે? તે રૂપવાળી બાળા કયાં? અને નિંઘ રેગવાળો તમારો પુત્ર ક્યાં? મુગ્ધ માણસને કૂવામાં નાંખીને દોરડાને કાપવા જેવું અતિ નિડુર આ કર્મ હું કોઈ પણ રીતે નહીં કરું.” ત્યારે મંત્રી બે કે –“હે દુષ્ટ મતિવાળા ! જે આ કાર્ય તું નહીં કરે, તે હું તને મારા જ હાથવડે અવશ્ય મારી નાંખીશ.” આ પ્રમાણે તે સુબુદ્ધિ મંત્રીએ ખરું ખેંચીને કહા છતાં પણ કુલીન પુરુષના મુગટ સમાન તે મંગળ તે અકૃત્ય માન્યું નહીં. ત્યારે ઘરના પ્રધાન પુરુષોએ મંત્રીને તેના મારવાને નિષેધ કર્યો, અને તે બાળકને પણ કહ્યું કે- “હે ભદ્ર ! મંત્રીના વચનને તું માન (અંગીકાર કર.)” ત્યારે તેણે વિચાર્યું કે –“ખરેખર ! આ ભવિતવ્યતા છે, અન્યથા ઉજ્જયિની કયાં? આ ચંપા કયાં? અને અહીં મારું આગમન ક્યાં? તે વખતે દેવતાએ આકાશવાણી વડે પણ આ કહ્યું હતું, તેથી હું પણ આ પ્રમાણે કરું; કેમકે અહે! જે થવાનું હોય, તે થાય જ છે.” આ પ્રમાણે વિચારીને મંગળે ફરીથી મંત્રીને કહ્યું કે –“જે આ નિર્દય કર્મ મારે અવશ્ય કરવું હોય, તે હું પણ હે નાથ ! તમારી પાસે સર્વથા પ્રકારે મારું છું કે-રાજા જે વસ્તુને સમૂહ મને આપે તે સર્વ મારું જ જાણે. અને તે વસ્તુ ઉજયિનીના માર્ગમાં આગળ સ્થાપન કરવું.” ત્યારે “ભલે, એમ છે.” એ પ્રમાણે કહીને બુદ્ધિમાન મંત્રીએ પણ તેનું વાક્ય માન્યું. આ પ્રમાણે મંગળકુંભનું વચન સચિવે અંગીકાર કર્યું, અને વિવાહ સંબંધી સર્વ સામગ્રી અનુક્રમે તૈયાર કરાવી. પછી રાજાએ પિતાના આદેશ કરનારા (નેક) પાસે જાણે આકાશને પ્રતિષ્ઠદ હાય એ પિતાને લાયક ઉત્તમ મંડપ તૈયાર કરાવ્યો. અહીં કુમારે સ્નાન કર્યું, શરીરે ચંદનનો લેપ કર્યો, દશીવાળા વેત વસ્ત્ર પહેર્યા, હાથમાં કંકણું સ્થાપન કર્યા, કુંકુમની ઉપર હાથ રાખે, હસ્તી ઉપર ચડ્યો, અલંકારો વડે ઉત્તમ મેગિરિના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષ જેવો થયે (શોભવા લાગ્ય), શ્રેષ્ઠ સ્ત્રીઓના લાંબા ગીતના ધ્વનિવડે અને પંચ શબ્દવડે આકાશને જાણે અત્યંત શબ્દમય કરતે હોય તે, તથા ઇદ્રધનુષ્ય જેવા દંડવડે કરેલા મોરપીંછના છવડે આતપને નિવારણ કરતો તે (વર) મંડપના દ્વારની પાસે પહોંચ્યા. પછી મેટા હાથી ઉપરથી નીચે ઉતર્યો, ત્યારે પ્રાત:કાળે જેમ સૂર્ય અર્થને ગ્રહણ કરે તેમ કુલ સ્ત્રીઓએ કરેલા અર્થને તેણે ગ્રહણ કર્યો. પછી લગ્ન નજીક આવ્યું ત્યારે હાથીના સકંધ ઉપર ચડાવેલ અને વસ્ત્ર તથા આભરણવડે ભૂષિત કરેલ તે રાજાની પાસે લઈ જવા. તે વખતે મનસ્વીની તે લોક્યસુંદરીએ કામદેવની જેવા તેને જોઈને તે વરની પ્રાપ્તિવડે પિતાના આત્માને કૃતાર્થ માન્યો. ત્યારપછી બ્રાહ્મણ પુણ્યાતું પુણ્યાઉં એમ બાલવા લાગ્યા ત્યારે બને (વર-વહુ) અગ્નિની ફરતા ચાર મંગળ (ફેરા) ફર્યા. પહેલા મંગળમાં રાજાએ તે વરને અનેક મનહર વો આપ્યાં, અને
૧. પિતાના મનની ઇચ્છા પ્રમાણે વર્તનારી. ૨. પુણ્ય દિવસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org