SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ–મંગળકળશનું કુળદેવીએ કરેલ અપહરણ થશે એમ જાણીને ઉજજયિની પુરીમાં ગઈ. ત્યાં રહેલી તે દેવી ઉદ્યાનમાંથી પુષ્પ લઈને પિતાને ઘેર જતા તે શ્રેષ્ઠિપુત્રના સાંભળતાં આ પ્રમાણે બોલી “પુષ્પનું ભાજન હાથમાં રાખીને તે આ બાળક જાય છે, કે જે ભાડાવડે રાજકન્યાને પરણશે.” તે સાંભળીને તે બાળક “આ શું ?” એમ સંજમથી આશ્ચર્ય પામ્યા. અને “આ વાત હું પિતાને કહીશ” એમ વિચાર કરતે તે પિતાને ઘેર ગયે. પછી ઘેર ગયેલા તેને તે દેવતાની વાણી વિકૃત થઈ. બીજે દિવસે પણ એ જ પ્રમાણે સાંભળીને ફરીથી તેણે વિચાર કર્યો કે “અહોગઈ કાલે જે આકાશવાણી મેં સાંભળી હતી, તે આજે પણ સાંભળી, તેથી આજે ઘેર જઈને પિતાને હું આ કહીશ.” આ પ્રમાણે જેટલામાં તે વિચારતો હતો, તેટલામાં તેને વાયુવડે ઉપાડીને ચંપાપુરીની પાસે રહેલા મોટા અરણ્યમાં નાંખે. તે વખતે ભયબ્રાંત થયેલા અને થાકી ગયેલા તે બાળકે સારા માનસ સરોવરની ભ્રાંતિને કરનાર એક સરોવરને નજીકમાં જોયું. ત્યાં વસ્ત્રના છેડાવડે પવિત્ર કરેલા (ગળેલા) અતિ , શીતળ જળનું પાન કરીને તેના કાંઠાના સકંધ ઉપર રહેલા વટવૃક્ષને તેણે આશ્રય કર્યો. તે વખતે આવી અવસ્થામાં પડેલા તે શ્રેષ્ઠિપુત્રને ઉપકાર કરવાને જાણે અસમર્થ હોય તેમ સૂર્ય અસ્ત પામ્યું. ત્યારે દર્ભને તૃણવડે રજજુ-દેરડું કરીને તે વડે તે વૃક્ષ ઉપર ચડીને તેણે ઉત્તર દિશા તરફ સમીપે સળગેલે અગ્નિ જે. ત્યારે તે વટવૃક્ષથી નીચે ઉતરીને ભય પામેલે અને શીતથી વિહેળ થયેલે તે અગ્નિને અનુસાર ચંપાપુરીની બહાર (સમીપે) ગયે. ત્યાં અશ્વપાલની પાસે અગ્નિનું સેવન કરતે તે જેટલામાં દુષ્ટ ચેષ્ટાવાળા તેઓ વડે હાંસી કરાતો હતું, તેટલામાં પૂર્વે મંત્રીએ આદેશ કરેલા તે પુરુષે આવીને પિતાની પાસે તેને આયે, અને તેને ઉપદ્રવ રહિત કર્યો. પછી મોટા યત્નવડે તેને ગુપ્ત કરીને પ્રભાત સમયે તે પુરુષે શ્રેષ્ઠ અમાત્યને ઘેર લઈ જઈને ગૌરવ સહિત તેને સેં. અમાત્ય પણ ગૌરવ સહિત ભેજન, આચ્છાદાન વિગેરે કરવા લાગ્યો, અને પિતાના ઘરની અંદર રાત્રિદિવસ તેને ગુપ્ત રાખવા લાગ્યો. ત્યારે તે બાળક વિચારવા લાગ્યું કે –“ આ મારો સત્કાર કેમ કરે છે? અને ઘરની બહાર જવાનું યત્નથી રક્ષણ કેમ કરે છે?” પછી એક વખત તેણે અમાત્યને પૂછ્યું કે–“હે પિતા! પરદેશમાં રહેનારા મારું અધિક સ્વાગત તમે કેમ કરે છે? આ નગરીનું નામ શું છે ? આ કયો દેશ છે ? અને અહીં કેણ રાજા છે? તે મને સત્ય કહે. આમાં મને વિમય વર્તે છે.” ત્યારે અમાત્ય પણ બોલ્યા કે –“આ ચંપા નામની શ્રેષ્ઠ નગરી છે, અંગ નામને દેશ છે, અને અહીં સુરસુંદર નામે રાજા છે. હું તે રાજાને માનનીય સુબુદ્ધિ નામને મહત્તમ (પ્રધાન) છું. હે વત્સ! મોટા કારણને લીધે તને મેં અહીં આણ્યો છે. રાજાએ પોતાની શ્રેયસુંદરી નામની પુત્રી પરણવા માટે મારા પુત્રને આપી છે, પરંતુ તે પુત્ર કુષ્ઠવડે પીડા પામેલ છે. હે ભદ્ર! વિધિવડે બંને તે રાજપુત્રીને પરણને તારે મારા પુત્રને આપવાની છે. આ કાર્યને માટે મેં તને અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy