________________
[૬]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
દેવાંગના હોય તેમ લાવણ્યરૂપી ધનની મંજૂષા (પેટી) સમાન અને સૌભાગ્યરૂપી રસની નદી સમાન થઈ. નિર્મળ અંગવાળી તેને જોઈને રાજાએ આ પ્રમાણે વિચાર કર્યો કે– “આ મારી પુત્રીને ગ્ય યે વર હશે ? ” એમ વિચારીને સર્વ પ્રિયાઓને તેણે કહ્યું કે આ પુત્રી વરને લાયક થઈ છે, તેથી આ કેને આપવી ? તે તમે કહો, આ કાર્યમાં તમારી પ્રધાનતા છે.” ત્યારે તેઓ બોલી કે–“આ પુત્રી અમને જીવિતથી પણ વધારે વહાલી છે, તેથી આના વિના અમે એક ક્ષણ માત્ર પણ પ્રાણ ધારણ કરવાને સમર્થ નથી, તેથી હે પ્રિય! આને અહીં જ મંત્રીના પુત્રને આપવી, કે જેથી નેત્રને આનંદ કરનારી તે હંમેશાં દેખવામાં આવે.” ત્યારે રાજાએ સુબુદ્ધિ નામના પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી પુત્રી આપી છે.” અમાત્ય પણ બોલ્યા કે “હે દેવ ! આવું અગ્ય કેમ બોલે છે? કેઈ રાજપુત્રને તમારી કન્યા આપવી એગ્ય છે.” રાજાએ કહ્યું-“હે મંત્રી ! આ વિષયમાં તારે કાંઈ પણ બોલવું નહીં. લેયસુંદરી પુત્રી તારા પુત્રને જ અવશ્ય આપવી છે.” પછી મંત્રી પિતાને ઘેર જઈને વિચારવા લાગ્યો કે –“અરે રે! હું વ્યાધ્રદુસ્તટી નામના ન્યાયમાં પડ્યો છું. શું કરું? રાજાની પુત્રી રતિ અને રંભાના જેવા આકારવાળી છે, અને મારો પુત્ર કુકી (કોઢવાળો) છે, તેથી હું જાણતાં છતાં તે બનેનો પેગ (મેળાપ) કેમ કરું? અથવા તે આ ઉપાય મને પ્રાપ્ત થયે કે-કુલદેવતાનું આરાધન કરીને પિતાનું સર્વ ઈચ્છિત હું સાધીશ. ” ત્યારપછી તેણે વિધિવડે (વિધિપૂર્વક) કુલદેવતાની આરાધના કરી. તે પણ પ્રત્યક્ષ થઈને બેલી કે–“હે મંત્રી! મારૂં કેમ સ્મરણ કર્યું?” મંત્રીએ કહ્યું–“મારા સર્વ દુઃખનું કારણ તું પોતે જ જાણે છે, તેથી જે પ્રકારે મારો પુત્ર નીરોગ શરીરવાળો થાય, તે પ્રકારે તું કર.” દેવીએ કહ્યું—“માણસનું પૂર્વે કરેલું કર્મ અન્યથા કરવાને દેવતાઓ પણ શક્તિમાન નથી, તેથી આ તારી પ્રાર્થના વૃથા છે.” મંત્રીએ કહ્યું “જો એમ હોય, તે તેની જેવા આકારવાળા અને રોગ રહિત બીજા કેઈ પુરુષને કઈક ઠેકાણેથી લાવીને મને આપ. તેની સાથે કમળના જેવા નેત્રવાળી મહારાજાની પુત્રી પરણાવીને મારા પુત્રને સંપીશ અને તેનું જેમ ઉચિત હશે તેમ કરીશ.” દેવતાએ કહ્યું – આ નગરીને દરવાજે અશ્વરક્ષક માણસની પાસે શીતની પીડા દૂર કરવા માટે અગ્નિની સેવા કરવામાં તત્પર થયેલ જે બાળક કેઈપણ ઠેકાણેથી લાવીને મેં મૂકેલો હોય, તે બાળકને તે મંત્રી! તારે ગ્રહણ કરો. પછી જેમ યોગ્ય હોય તેમ કરવું.” એમ કહીને તે દેવી અદશ્ય થઈ. પછી હર્ષ પામેલા તે મંત્રીશ્વરે વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી પોતાના અશ્વપાલ પુરુષને ગુપ્ત રીતે બોલાવીને તેને પ્રથમથી આરંભીને સમગ્ર સત્ય વૃત્તાંત જણાવીને આ પ્રમાણે કહ્યું કે–“કેઈપણ ઠેકાણેથી જે કઈ બાળક તારી પાસે આવે તેને તારે વિલંબ રહિતપણે મને સંપ (આપો). ” પછી મંત્રીની કુલદેવતા તે રાજ પુત્રીને વર તે શ્રેષ્ઠીપુત્ર (મંગલકલશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org