SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ - ---- - - પ્રથમ પ્રસ્તાવ-મંગળકળશનો જન્મ. [૫] જે પુત્ર થશે તે સારું, અને જે નહીં થાય તે હે નાથ! આપણે પરલેક નિર્મળ થશે.” તે સાંભળીને હર્ષ પામેલે શ્રેણી આ પ્રમાણે બોલે કે “હે પ્રિયા! તેં સારું કહ્યું, કેમકે સારી રીતે આરાધન કરેલે ધર્મ માણસેને ચિંતામણિ જેવો થાય છે.” ત્યારપછી દેવપૂજા કરવા માટે પુષ્પ ગ્રહણ કરવાને નિમિત્તે તે શ્રેષ્ઠીએ ઉદ્યાનના માળીને બેલાવીને તેને ઘણું ધન આપ્યું. પછી પ્રભાતે તે પિતે તે ઉદ્યાનમાં જઈને, પુષ્પને લાવીને તથા ઘરની પ્રતિમાને પૂજીને જિનાલયમાં જતો હતો. ત્યાં સ્થાનની યોગ્યતા પ્રમાણે નધિકી (નિસાહિ) વિગેરે દશ ત્રિકને કહીને માટી ભક્તિ વડે ચૈત્યવંદન કરતો હતો. ત્યારપછી સાધુઓને નમીને તેમની પાસે પ્રત્યાખ્યાન કરીને તે બુદ્ધિમાન અતિથિસંવિભાગને કરતે હતે. તથા તે બુદ્ધિમાન ધનદત્ત સુખના કારણભૂત બીજા પણ સમગ્ર દિવસ અને રાત્રિ સંબંધી ધર્મકર્મને કરતો હતો. ત્યાર પછી તેને ધર્મના પ્રભાવનડે શાસનદેવતા તુષ્ટમાન થઈ. એક દિવસ તેણુએ પ્રત્યક્ષ થઈને તેને પુત્રનું વરદાન આપ્યું. પછી પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે શેષ (પાછલી) રાત્રિને વિષે તે શ્રેષ્ઠિનીએ સ્વપ્નમાં અષ્ટ મંગળથી આળે ખેલ સુવર્ણમય પૂર્ણ કળશને જે. પછી યેગ્ય સમયે પુત્ર જન્મે. પછી મેંટે ઉત્સવ કરીને તેના પિતાએ મંગળકાશ એવું નામ આપ્યું. પછી આઠ વર્ષના પ્રમાણવાળા (વયવાળો) તે કલાના અભ્યાસમાં તત્પર થયે. તેણે એક વખત પિતાના પિતાને “હે પિતા ! તમે કયાં જાઓ છો ? ” એમ પૂછયું. ત્યારે તે બે કે “હે પુત્ર! હંમેશાં હું ઉદ્યાનમાં જઈને, ત્યાંથી પુ લાવીને જિનપૂજા કરું છું.” ત્યારે કૌતુકવાળે તે પણ કેઈક દિવસ પિતાની સાથે તે ઉદ્યાનમાં ગયો. ત્યાં માળીએ તેને કહ્યું કે “વિશાલ નેત્રવાળો આ બાળક કોણ છે?” પછી તેને શ્રેણીને પુત્ર જાણીને તે માળીએ તેને હર્ષથી નારંગ અને કરણ વિગેરે અતિ- સ્વાદિષ્ટ ઘણાં ફળો આપ્યાં. પછી પિતાને ઘેર આવીને જિનેશ્વરની પૂજા કરતા શ્રેષ્ઠીને તેના પુત્ર પિતે જ પૂજાની સામગ્રી આપી, અને બીજે દિવસે તેણે આદર સહિત પિતાને કહ્યું કે–“હવેથી પુષ્પ લાવવાના કાર્યમાં મારે જ જવું છે, તેથી હે પિતા ! તમારે પિતાને નિશ્ચિતપણે જ રહેવું.” આ પ્રમાણે તેના અતિ આગ્રહથી પિતાએ પણ તેનું તે વચન માન્યું. આ પ્રમાણે કરતાં અને આંતરે આંતરે ધર્મને અભ્યાસ કરતાં તેને કેટલાક કાળ ગયો ત્યારે જે થયું, તે સાંભળે. આ ભરતક્ષેત્રને વિષે ચંપા નામની મોટી નગરી છે. તેમાં મોટી ભુજાવાળો સુરસુંદર નામે રાજા હતા. તેને ગુણુવલી નામની રાણી હતી. તેણુએ કેઈક વખત સ્વપ્નમાં પોતાના ઉત્સંગમાં રહેલી કલ્પલતાને જોઈને રાજાને તે વાત જણાવી. રાજાએ કહ્યું—“હે દેવી! તારે સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને સર્વ સ્ત્રીઓના મુગટ સમાન પુત્રી થશે. પછી કાળ સંપૂર્ણ થયે ત્યારે મને હર અંગવાળી તે દેવીને પુત્રીને પ્રસવ થયે. રાજાએ તેનું ઐલાક્યસુંદરી નામ પાડ્યું. પછી યૌવનને પામેલી તે જાણે મૂર્તિમંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy