________________
[ ૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર,
ફરીથી તે આ પ્રમાણે ખેલી કે—“ મારે આના ગૃહવાસવડે સર્વથા પ્રકારે સર્યું, માટે હે રાજા ! તમે તે પ્રકારે કરા, કે જે પ્રકારે હું શીલનું આચરણ (પાલન) કરું. ” ત્યારે રાજાએ તરત જ કપિલને મેલાવીને કહ્યું કે—હૈ ભદ્ર ! આ તારી પ્રિયા ગૃહવાસથી અત્યંત વિરક્ત થઇ છે, તેથી સ્નેહરહિત થયેલી આને તું પેાતાના પરિગ્રહથી મુક્ત કર, કે જે પ્રકારે આ પિતાને ઘેર રહીને કુળને ઉચિત કર્મને કરે.” ત્યારે કપિલ પણ એલ્યા કે—“ હે દેવ ! આના વિના એક ક્ષણ વાર પણ રહેવાને હું સમર્થ નથી તેથી આ શી રીતે મારાથી મૂકાય ? ” ત્યારે રાજાએ ફરીથી તે સત્યભામાને પૂછ્યું ત્યારે ખેલી કે “જો આનાથી મારા માક્ષ (ત્યાગ) નહીં થાય, તે અવશ્ય હું મરણ પામીશ. ” ત્યારે રાજાએ ફરીથી કપિલને કહ્યું કે—“હું ભદ્ર! આને બળાત્કારે ધારણ કરીને તુ સ્ત્રીહત્યાને કેમ કરે છે? શું તુ પાપથી ભય પામતા નથી ? હમણાં કેટલાક દિવસ અમારી રાણીની પાસે રહેલી ( રહીને) તે સુખ ઉપજે તેમ ભલે રહે. ” આ પ્રમાણે કહેવાયેલા કપિલે પણ તે વચન અંગીકાર કર્યું. પછી શીલનું રક્ષણ કરતી તે વિનયવાળી સત્યભામા રાજાની રાણી પાસે રહીને દિવસે। નિમન કરવા લાગી.
ત્યારપછી કાઈક દિવસ પૃથ્વીતળ ઉપર વિહાર કરતા વિમલબાધ નામના સૂરિ તે નગરમાં આવીને ઉચિત સ્થાને રહ્યા. લેાકેાના મુખથકી સૂરિના આગમનના વૃત્તાંત સાંભળીને તેને વંદન કરવા માટે શ્રીષેણુ રાજા ગયા. ત્યાં સૂરિને નમીને તે રાજા ચેાગ્ય સ્થાને બેઠા. પછી તેને ઉદ્દેશીને મુનીશ્વરે ધર્મદેશના કરી કે—“ મનુષ્યાદિક સામગ્રી પામીને પણ જે પ્રમાદી મનુષ્યા ધર્મનું અનુષ્ઠાન કરતા નથી, તેઓના જન્મ નિરર્થક છે. જેઓ જૈન ધર્મની આરાધના કરીને વૈભવના સ્થાનરૂપ થઈને સિદ્ધિસુખને પામ્યા છે, તે મંગળકુંભની જેમ લાઘા કરવા લાયક છે. તે આ પ્રમાણે.—
ઉજ્જયિની નામની મેાટી નગરીને વિષે વૈરિસિંહ નામના રાજા હતા, તેને સામચંદ્ના નામની ભાર્યા હતી, અને ધનદત્ત નામે શ્રેષ્ઠી હતા. તે ધનદત્ત શ્રેષ્ઠી ધર્માંના અથી, અતિ વિનીત આત્માવાળા, સત્ય, શીલ અને દયા સહિત, તથા ગુરુ અને દેવની પૂજા કરવામાં પ્રીતિવાળા હતા. તેને સત્યભામા નામની ભાર્યા હતી, તે શીલરૂપી અલંકારવર્ડ શાલતી અને પતિને વિષે અતિ પ્રેમવાળી હતી, પરંતુ અત્યારસુધી પુત્ર રહિત હતી. તેણીએ એક વખત પુત્રની ચિંતાવડે મ્લાન થયેલા મુખકમળવાળા શ્રેષ્ઠીને જોઈને પૂછ્યું કે—“ હું નાથ ! તમારા દુ:ખનુ શું કારણ છે ?” શ્રેષ્ઠીએ તેણીને તે વાત યથાર્થ કહી, ત્યારે શ્રેષ્ઠિની ફીથી ખેાલી કે—“ આ ચિંતાએ કરીને સર્યું, એક ધર્મ જ મનુષ્યોને આ ભવ અને પરભવમાં સુખ આપનાર છે, તેથી સુખને ઇચ્છતા મનુષ્યે વિશેષે કરીને તે ધર્મનું જ સેવન કરવું. તેથી કરીને તમે દેવ અને ગુરુને વિષે પણ ઉચિત રીતે ભક્તિ કરો, સુપાત્રને દાન આપેા, તથા પુસ્તક લખાવે. આ પ્રમાણે કરતા આપણુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org