SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ * * પ્રથમ પ્રસ્તાવ-કપિલની અકુલીનતા. [ ૩] આ માર્ગ સંચાર રહિત છે, અને આ વિશ્વ અંધકારવડે મીંચાયેલા નેત્રવાળું પ્રવર્તે છે, તે પછી હું મારાં બે વસ્ત્રોને શા માટે આદ્ર (ભીનાં) કરું?” આ પ્રમાણે વિચારીને બન્ને વસ્ત્રોને કક્ષા(કાખલી)માં નાંખીને નગ્ન થયેલો તે એકદમ પિતાને ઘેર આવ્યા. પછી બને વસ્ત્રો પહેરીને તે ઘરની અંદર પેઠો. તે વખતે તેની ભાર્યાએ બીજા બે વસ્ત્ર તેને આપીને કહ્યું કે “હે નાથ ! જળથી આદ્ધ થયેલા આગળના બે વસ્ત્રોને તમે ત્યાગ કરે, અને આ બે વસ્ત્રો ધારણ કરો.” આ પ્રમાણે કહ્યું, ત્યારે કપિલ બેલ્યો કે–“હે પ્રિયા ! તું જે. મંત્રની શક્તિથી મારાં વસ્ત્રો ભીંજાયા નથી.” ત્યારે હાથના સ્પર્શથી તેની પ્રિયાએ પણ તે વસ્ત્રો તેવાં જ જાયાં. તથા તે વખતે જ વીજળીના ઉોત થવાથી તેનું શરીર જળવડે ભીંજાયેલું જોયું, ત્યારે દના અગ્રભાગ જેવી તીક્ષણ બુદ્ધિવાળી તે સત્યા (સત્યભામા) આ પ્રમાણે વિચારવા લાગી કે –“ખરેખર! વૃષ્ટિના ભયથી આ પતિ માર્ગમાં વસ્ત્રોને ગુપ્ત કરી નગ્ન જ આવ્યા છે, અને પિતાના આત્માની વૃથા પ્રશંસા કરે છે. આવી ચેષ્ટા વડે આ કુળવાન પણ જણાતું નથી, તેથી અરે રે! આના ગ્રહવાસવડે મારી વિડંબના છે.” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર થવાથી તે તેને વિષે મંદ રાગવાળી થઈ, તેં પણ તેની સાથે ગૃહવાસનું પાલન કરતી હતી. હવે અહીં તે કપિલને પિતા બ્રાહ્મણ અને ઘણું વિદ્યાવાળો છતાં પણ કમના દેષથી ક્ષીણ વૈભવવાળો થયે, તેથી તે કપિલને વૈભવવાળે અને લેકવડે પૂજાત જાણુને કેઈક દિવસે ધનની આશાથી તેને ઘેર પરોણા તરીકે આવ્યું. ત્યાં ભેજનને સમયે કાંઈક મિષ દેખાડીને (કહીને) તે કપિલ પિતાના પિતાથી જૂદી (દુર) બેઠે. તે વખતે તે સ્ત્રીને મનમાં રહેલી ભ્રાંતિ વિશેષ કરીને થઈ, તેથી તેણીએ એકાંતમાં તે બ્રાહ્મણને સેગનપૂર્વક પૂછયું કે–“હે પિતા! શું આ તમારે અંગજ (પુત્ર) છે? કે બીજે છે?” ત્યારે તેણે પણ તેને સર્વ યથાર્થ (સાચું) કહ્યું. પછી ઉચિતતા પ્રમાણે કાંઈક ધન આપીને કપિલે વિદાય કરેલ તે ધરણિજટ નામને બ્રાહ્મણ પિતાના નગરમાં ગયા. ત્યારપછી કપિલના ઘરથી (ગ્રહવાસથી) વિરકત થયેલી તે સત્યભામાં શ્રીષેણ રાજા પાસે જઈને હાથ જોડીને બોલી કે- “હે દેવ! તમે જગતનું પાલન કરનારા છે, અને પાંચમા લેકપાળ છે, તેથી દીન, અનાથ અને શરણ રહિત (વિગેરે) સર્વની તમે જ ગતિ (શરણ) છે, તેથી તે પૃથ્વીપતિ ! મારા ઉપર પણ તમે કરુણા કરો.” ત્યારે રાજાએ તેણીને કહ્યું કે –“તારા દુઃખનું કારણ શું છે? કેમકે પ્રથમ તો ઉપાધ્યાય સર્વને પૂજ્ય છે, તેની તું પુત્રી છે, અને કપિલની પણ તું ભર્યા છે, કે જે કપિલ તારા પિતાને જ માન્ય છે.” ત્યારે સત્યભામા બેલી કે– “હે રાજા! એમજ છે, પરંતુ મારે ભર્તા જે કપિલ નામને છે, તે અકુલીનપણથી દૂષિત છે.” ત્યારે રાજાએ કેવી રીતે દૂષિત છે? એમ પૂછ્યું ત્યારે તેણુએ પણ રાજાની પાસે તેની સત્ય કથા કહી, અને ૧, શરીરથી ઉત્પન્ન થયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy