________________
: પર :
રત્નચૂડ અહિં આવે છે અને હકીકત જણાવે છે. રણવંટા અને તેમની મા યમઘંટા તેમને તે ધૂને મહાત કરવા-હરાવી મીલ્કત પાછી લેવા કેવા જવાબે બુદ્ધિ પૂર્વકના આપવા તે રત્નચૂડને બરોબર બતાવે છે, પછી રત્નચૂડ ત્યાં જઈ તે ધૂર્તોને હરાવી રત્નચૂડ પોતાની મીત પાછી મેળવે છે. તે કથા ગણધર ભગવાન વિસ્તારપૂર્વક અહિં સભા સમક્ષ મધૂર દેશનાવડે જણાવે છે. આ સર્વ વૃત્તાંત મનનપૂર્વક વાંચવા ભલામણ કરીયે છીયે (પા. ૨૦૯ થી ૫. ૨૧૬ )
શ્રી વીરવિજયમહારાજકૃત બાર વ્રતની પૂજામાં આઠમા વ્રતની નવમી પૂજામાં આ દષ્ટાંત આપેલ છે.
આ પ્રમાણે ગણધર ભગવાને દેશના અને દ્વાદશાંગી જણાવીને પછી દશ પ્રકારની સાધુ સામાચારી અને તેનું સમગ્ર કાર્ય પણ પ્રકાશિત કર્યું. પછી ભવિ છના કલ્યાણ માટે પ્રતિબંધ કરવા શ્રી શાંતિનાથ પ્રભુ પૃથ્વીતળ ઉપર વિહાર કરવા લાગ્યા, જ્યાં દરેક સ્થળે કેટલાક ભવ્યાત્માઓ ચારિત્ર લે છે, કેટલાક ગૃહથધર્મ અંગીકાર કરે છે, કેટલાક સમ્યગદષ્ટિ અને કેટલાક આત્માઓ ભદ્રિક થાય છે. પ્રભુ જે જે દેશમાં વિહાર કરતા હતા ત્યાં ત્યાં સર્વ લેકેના દુઃખની શાંતિ થતી હતી. વિહારમાં ચોક્કસ એજનને વિષે દુર્ભિક્ષ, ડમર વગેરે ઉપદ્રવ થતા નહોતા. આવી રીતે પ્રભુજીનું માહાત્મ્ય, ગુણે વગેરેનું આ૫ણી જેવા અલ્પ બુદ્ધિવાળા કેટલું વર્ણન કરી શકે? પરંતુ જિનેશ્વરે જ દિવ્યજ્ઞાનવ મહિમા વગેરે જાણી શકે છે.
- હવે શ્રી શાંતિનાથ પ્રભુએ પૃથ્વી ઉપર વિચરતાં બાસઠ હજાર મુનિઓને દીક્ષા આપી હતી. એકસઠ હજાર ને છાઁહ સાધ્વી હતી. પ્રભુએ પ્રતિબોધેલા બે લાખ નેવું હજાર શ્રાવકે અને ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતી. ચૌદ પૂર્વ ધારણ કરનારા આઠ હજાર મુનિવરે, અવધિજ્ઞાનધારક ત્રણ હજાર, મનઃપર્યાવજ્ઞાનવાળા ચાર હજાર, કેવળજ્ઞાની ચાર હજાર ત્રણસેંહ, વૈક્રિય લબ્ધિવાળા છ હજાર, બે હજાર ચારશૃંહ વાદી-એટલે ભગવંતને પરિવાર હતો. શાસનના વિઘોને નાશ કરનાર ગરૂડ નામને યક્ષ અને નિર્વાણ નામની દેવી શાસનદેવતા હતા.
પ્રભુનું શરીર ચાલીશ ધનુષ ઊચું, મૃગના લાંછનવાળું, સુવર્ણની જેવી કાન્તિવાળું અને ચોત્રીશ અતિશય યુક્ત હતું. શ્રી શાંતિનાથ પ્રભુએ પચીશ હજાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યા પછી એક વર્ષ એાછા તેટલા વર્ષો કેવળીપણામાં વ્યતીત કર્યા. કુલ મળી પ્રભુનું સંપૂર્ણ એક લાખ વર્ષનું આયુષ્ય હતું. હવે જગદ્ગુરુએ પોતાને નિર્વાણુસમય નજીક જાણી, તીર્થ સમેત્તશિખર ઉપર પધાર્યા. પ્રભુને નિર્વાણસમય જાણી દેવેન્દ્રો તત્કાળ છેલ્લું સમવસરણ કરે છે. દેવાધિદેવ સર્વ પદાર્થોના અનિત્યપણું ઉપર દેશના આપે છે. પછી ગણધર ભગવાન સિદ્ધિ કેવા રવરૂપવાળી છે તેમ પૂછતાં ભગવંત તેમને જણાવે છે કે “ ચંદ્રના કિરણ જેવી ઉજ્વળ તેમજ તેને સમગ્ર વિસ્તાર, જાડાઈ વગેરે સાથે સિહના છે ત્યાં કયાં રહેલા છે તે અંતર જણાવે છે. જ્યાં જન્મ, જરા, મરણું કંઈપણું નથી, અખંડ, અનંત, શાશ્વત સુખે છે. તે અનંત સુખ કેવું છે તેના ઉપર દેવાધિદેવે જણાવ્યા પ્રમાણે ગ્રંથકાર મહારાજ એક ગ્રામ્ય ભીલનું દષ્ટાંત આપે છે. (પા. ૨૧૮) શ્રી સિદ્ધપદજીની પૂજા (શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત) માં નીચે પ્રમાણે કહેલ છે.
“ જાણે પણ ન કહી શકે પુર ગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ;
ઉપમા વિષ્ણુ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીયા ઉલ્લાસ.” ભાવાર્થ-નગરમાં રહી આવેલ જંગલને મનુષ્ય જેમ નગરની શોભા વગેરે પિતાના સ્વજનોને જણાવી શકતા નથી, તેમ પોતે જોયેલ હોવાથી જાણે છે ખરો પરંતુ તેને પોતાની સાથે રહેલા જંગલવાસીઓને કહી શકતું નથી તેમ સંસારમાં રહેલા પુરુષને તેમના માટે ઉપમા મલી શકતી નથી (વાસ્તવિક ઉપમાઓ આપી વચન દ્વારા સ્વરૂપ કહેવાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org