________________
૫૧ :
વળી સુપાત્ર દાનથી ઉત્પન્ન થયેલા ધર્મથી મનુષ્ય આ લેકને વિષે પણ વ્યાધ નામના કૌટુંબિક ખેડૂતની જેમ ઇચ્છિત અર્થને ઉત્પન્ન કરે છે. (પા. ૨૦૩ થી ૨૦૮)
પ્રભુ ચક્રાયુધને કહે છે કે આ બાર વ્રતે પાળીને છેવટે ગૃહસ્થ સંલેખના કરવી. ગૃહસ્થ ધર્મને પાળીને બુદ્ધિમાન મનુષ્ય જે દીક્ષાને ગ્રહણ કરે છે તે શુદ્ધ સંલેખના શાસ્ત્રમાં કહી છે. પછી દર્શન પ્રતિમા વગેરે અગ્યાર શ્રાવક પ્રતિમા કરવી જોઈએ. તે ન બની શકે તે સંથારામાં રહીને દીક્ષા ગ્રહણ કરવી. ત્યારબાદ વધતા પરિણામવાળો તે પુરુષ ગુના ચરણ પાસે ત્રણ પ્રકારે કે ચાર પ્રકારે અનશન ગ્રહણ કરે છે. પાપરહિત સવેગને ધારણ કરતે ગુરુમુખથી આરાધના ગ્રંથને સાંભળે છે જેને પાંચ અતિચાર-હું મરીને મનુષ્ય થાઉ તેવો તેમજ ઉત્કૃષ્ટ દેવલેક મને પ્રાપ્ત થાઓ ૧, ધર્મના અર્થીએવડે પિત્તાને મહિમા જોઇએ ૨, અનશન કર્યા પછી સુધાવડે શરીરમાં પીડા પામનાર અને તેને સહન નહિં કરનારને જે થાય તે ૩, શબ્દ, રૂપ, રસ, કામ, ગંધ અને સ્પર્શને વિષે ઈચ્છા થાય ૪ આ સંલેખના ઉપર અહિં ભગવંત સુલસની કથાને વિષે જિનશેખર શ્રાવકનું દષ્ટાંત જણાવે છે.
તે દેશના પૂરી થતાં આખી પરિષદા અમૃતથી સિંચાઈ અને તે જ વખતે ચકાયુધે ઊભા થઈ નમન-સ્તુતિ કરી પ્રભુને વિનંતિ કરી કે-દુષ્કર્મરૂપી બેડી ભાંગીને તથા રાગદ્વેષરૂપી - શત્રુને હણીને સંસારરૂપી કેદખાનામાંથી મને કાઢો. પછી પોતાના પુત્રને રાજ્ય આપી, પાંત્રીસ રાજાઓ સહિત ચક્રાયુધ રાજાને જિનેશ્વર દીક્ષા આપે છે. ચક્રાયુધ મુનિ પ્રભુને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! શું તત્ત્વ છે? જિનેશ્વર “ઉત્પત્ત તત્વ” કહે છે, બીજી વખત પૂછે છે ત્યારે પ્રભુ “વિગમ તરવ” કહે છે, ત્રીજી વાર તે જ રીતે પૂછે છે અને જિનેશ્વર “સ્થિતિ તત્વ” કહે છે. એ ત્રણે (ત્રિપદી) પ્રભુ જણાવે છે. ચક્રાયુધ દરેક જવાબ ઉપર વિચારણા કરી એમ ત્રણ વાર પૂછે છે (પા. ૨૯) તે ત્રિપદીને અનુસાર ચક્રાયુધ મુનિ દ્વાદશાંગા રચે છે. બીજા ગણધર પણ રચે છે. પછી પ્રભુ પાસે જાય છે. પ્રભુ પણ આસન ઉપરથી ઊભા થયા તે વખતે ઇદ્ર સાર (વાસક્ષે૫) ગંધથી ભરેલા થાળ લઈ પ્રભુ પાસે ઊભા રહે છે. પ્રભુ સકલ સંધને તે વાસક્ષેપ આપે છે. પછી તે સાધુઓ જિનેશ્વરની ચોતરફ પ્રદક્ષિણા કરે છે, સંધસહિત જિનેશ્વર તેઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે છે, અને તેઓની ગણધર પદ (પા. ૨૦૯) ની સ્થાપના કરે છે. ઘણા સ્ત્રીપુરુષે ત્યાં પ્રભુ પાસે દીક્ષા લે છે. પ્રભુને સાધુ સાધ્વીને પરિવાર થયું. ચારિત્ર માટે અસમર્થ હતા તે સ્ત્રી પુરુષો શ્રાવક શ્રાવિકા થયા. તે પ્રમાણે સમવસર્ચ્યુમાં જગદ્ગુરુને ચાર પ્રકારનો સંઘ થયે. પિરસીને છેડે જિનેશ્વર ત્યાંથી ઊઠી બીજા પ્રકારની મધ્યે રહેલા દેવછંદને વિષે વિશ્રાંતિ લેવા પધાર્યા. બીજી પિરસીમાં જિનેશ્વરની પાદપીઠ ઉપર બેસી પ્રથમ ગણધર ચક્રાયુધ સભા સમક્ષ પાપને નાશ કરનારી અત્યંતર કથા સંધને કહે છે. મનુષ્યરૂપી ક્ષેત્ર નગરને વિષે સંસારરૂપી શરીરમાં રહેલા મોહના કુટુંબ તરીકે કષાય, વિષ, કામદેવ, મિથ્યાત્વ, કર્મ વગેરે જણાવે છે. તે નગરમાં ધર્મ રાજા સૈન્યસહિત પેસે છે. તે ધર્મ રાજાનું આજવ, સંતોષ, સમ્યકત્વ, મહાવત, અણુવ્રત, માવ, ઉપશમાદિ, શ્રત વગેરે કુટુંબ અને સૈન્ય તરીકે સંક્ષિપ્તમાં ઘટાવે છે અને પછી મહારાજાને જીતી મનુષ્ય નગરમાંથી કાઢી મૂકે છે અને ધર્મ રાજા મહારાજાને કોઈએ અવકાશ નહિં આપવા અને ફરીથી મોહ રાજાને વશ થનારને કર્મપરિણતિ ફરીથી માર્ગે સ્થાપન કરે છે વગેરે જણાવી તે ઉપર અનીતિ નગરને પ્રાપ્ત થયેલા રત્નચડ નામના વણિકપુત્રની કથા કહે છે. તે રત્નચૂડ ત્યાં જતાં ધૂતારાઓથી છેતરાઇ, ઠગાઈ, લાખો રૂપીયા હારી જતાં તે શહેરની યમઘંટા નામની વેશ્યા જેને રણવંટા નામની વેશ્યા પુત્રી છે તેની પાસે રત્નચૂડ જાય છે. (ભૂતકાળમાં કુલીન વેશ્યાઓ હતી, તેમની પાસે બુદ્ધિને વૈભવ-ભંડાર હતે. જયાં વ્યવહારીયા, રાજા વગેરે પિતાના પુત્રને કલા અને બુદ્ધિના વૈભવમાં તૈયાર થવા મોકલતાં હતાં )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org