SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૦ : મા મામા માંગી. ક્ષેત્ર, વાસ્તુ (ઘર), રૂધ્ય, કુષ્ય, સુવર્ણ, દ્વિપદ અને ચતુષ્પદ જેમ નવ પ્રકારના છે તેના વિષે પ્રમાણ કરવું. આનાથી નિવૃત્ત નહિં થયેલા પ્રાણીઓને આ જગતમાં સુલસ શ્રાવકની જેમ નિરંતર દુર પ્રાપ્ત થાય છે તે સુલસની કથા પ્રભુ કહે છે (પા. ૧૭૭ થી પા. ૧૮૭). હવે પ્રથમ ગુણવ્રત જે પૂર્વાદિ દિશાઓને વિષે અધ, ઊર્ધ્વ અને તિરછુ જે પરિમાણ કરાય તે. આ વ્રતને વિષે અવધિ ન કરી હોય તે પ્લેચ્છ દેશમાં ગયેલા સ્વયંભૂદેવની જેમ અનેક દુખે પામે છે. (પા. ૧૮૭ થી પા. ૧૮૮.) ભોગ અને ઉપભોગનું માન કરવું તે બીજું ગુણવ્રત જે ભજન અને કર્મને વિષે બે પ્રકારે છે. જેમાં વિવેકી પુરુષે ભજનને વિષે અનંતકાયાદિકનું ભોજન કરવું નહિં, અને કર્મને વિષે ખર કર્મોનો ત્યાગ કરવો. સચિત્તવડે મિશ્ર, દુષ્પકવ, અપકવ અને તુચ્છ ઔષધિ આ પાંચ પ્રકારના અતિચાર ભજનને વિષે છે અને કર્મ વિષે આગમમાં કહેલા અંગારકમ વિગેરે પંદર અતિચારો છે. અહિં ઉપભેગને વિષે જિતશત્રુ રાજાનું દષ્ટાંત અને પરિભેગને વિષે નિત્યમંડિતા બ્રાહ્મણની કથા આપી છે. (૧૮૯ થી ૫. ૧૯૦ ) હવે ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ સામાયિક વ્રત છે. સ્થાવર અને ત્રણ તત્વોને વિષે જે સમાન ભાવ હોય તે સામાયિક વ્રત જાણવું. તે વારંવાર કરવું. તે કર્યું હોય ત્યારે તે શ્રાવક સાધુ જે ગણાય છે અને તેથી તે નિર્જરાના કારણરૂપ છે. સામાયિક નિર્મળ-સ્થિર ચિત્તવડે વિશુદ્ધ કરાય છે. આ વ્રત કરવાથી ભવ્ય જીને સિંહ શ્રાવકની જેમ સુખ થાય છે. તે સિંહ શ્રાવક કેણ છે તેમ પૂછવાથી શ્રી શાંતિનાથ જિનેશ્વર તે કથા કહે છે. (પા. ૧૯૧ થી ૧૯૨.) અહિં દિગવ્રતને વિષે પરિમાણને સંક્ષેપ કરાય છે, તેમાં આનયન અને પ્રયોગ વગેરે અતિચારે કહ્યા છે. આ વ્રત શુદ્ધ રીતે કર્યું હોય તે ગંગદત્ત ગૃહરથની જેમ આ લેક અને પરલેક સફળ થાય છે. તે કથા ભગવંત કહે છે. (પા. ૧૯૨ થી ૫. ૧૯૩) હવે પ્રભુ નિર્મળ પાષધ જે અગ્યારમું વ્રત કહેવાય છે તે જણાવે છે. તે ચાર પર્વને દિવસે કરાય છે. ધર્મને વિષે પુષ્ટિ ધારણ કરે છે તે પિષધ ચાર પ્રકાર છે. પ્રથમ ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનથી અને ત્રિવિધ આહારના ઉપવાસમાં અથવા આચાસ્લાદિક તપમાં અથવા સર્વ પ્રત્યાખ્યાનમાં દેશતઃ પૌષધ થાય છે. બીજો દેહસત્કાર નામને પૌષધ જેમાં સર્વથી શરીરને સત્કાર વર્જવાથી તે સર્વથી દેહ સત્કાર કહેવાય છે. ત્રીજે બ્રહ્મચર્ય પૌષધ તે સર્વ પ્રકારે સ્ત્રીઓના કરસ્પર્શ વગેરેનું વજવું. બીજે દેશથી તે માત્ર તેના સંભોગનું વર્જવું. એમ બે પ્રકારે છે. એથે અવ્યાપાર નામને પૌષધ તેમાં સર્વ વ્યાપારને જે ત્યાગ તે સર્વથી અને એકને જે ત્યાગ તે દેશથી એમ બે પ્રકારે છે. આ પૌષધ વ્રતમાં જિનચંદ્ર નામના શ્રાવકનું દષ્ટાંત શ્રી શાંતિનાથ પ્રભુ આપે છે. (પા. ૧૯૩ થી ૫ા. ૧૯૪) બારમું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. જેમણે આ જગતમાં તિથિ, પર્વ અને ઉત્સવના સમૂહનો ત્યાગ કર્યો હોય છે તે અતિથિ કહેવાય છે. ન્યાયથી પ્રાપ્ત કરેલા, કપે તેવા, દેશકાળને ઉચિત મારા એનાદિક પદાર્થોવડે શ્રદ્ધા. સત્કાર અને વિધિપૂર્વક. ધર્મની બુદ્ધિવડે ભક્તિથી સાધુઓને જે (સંવિભાગ) દાન દેવું તે મહેટા પુણ્યનું કારણરૂપ અતિથિદાન કહેવાય છે. જેમ પૂર્વભવે આપેલું દાન રપાળ રાજાને સુખનું કારણું થયું તેમ અન્યને પણ-અતિથિને આપેલું દાન સુખનું કારણ થાય છે. પછી ભગવંત શ્રી શાંતિનાથ પ્રભુ મેઘના જલની જેમ સર્વને મધુર વાણીવડે તેની કથા કહે છે. (પા. ૧૯૪ થી ૫ા. ૨૦૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy