SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪ : છીએ અને વાંચકાને તે છેલ્લા પ્રસ્તાવમાં મનનપૂર્વક સોંપૂર્ણ વાંચી જવા ભલામણ કરીએ છીએ. પરમાત્માએ સમવસરણુમાં બિરાજમાન થઈ ભવ્યાત્માએનું કલ્યાણ કરવા જે દેશના આપી છે તેમજ ત્યારબાદ શ્રી ચક્રાયુધ મહારાજે પણ ત્યારપછી પોતાની મધુર અને શાંતરસારિત દેશનામાં જે જે મેધપાઠા કથાઓ આપી છે. તે સ અક્ષરશઃ (પા. ૧૫૮ થી પા. ૨૨૨ સુધી) વાંચકવ'ને એકાગ્રચિત્તે પઠન કરવા જણાવીએ છીએ. શ્રી જિનેશ્વર ભગવાનની દેશના-મધુર વાણીને આ ગ્રંથના કર્તા વિદ્વાન આચાર્ય શ્રી અજિતપ્રભસૂરિ ભગવાને પોતાની વિદ્વત્તાવડે આ ચરિત્રમાં પ્રભુની દેશનાની ગુંથણી–સંકલના કેવી રસમય, મનેાહર, સુંદર રીતે કરી છે, તે પણ તેનુ અવલાકન કરતાં સહજે સમજી શકાય તેવું છે. હવે શ્રી શાંતિનાથ દેવાધિદેવ શ્રી ચક્રાયુધ રાજાને સખાધી જણાવે છે કે હું મોટા રાજા ! તેં' લેાકને વિષે સવ શત્રુઓને જીત્યા છે પરંતુ ઇંદ્રિય નામના શત્રુને જીત્યા નથી, જેથી તેના પાંચ વિષયા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ મહાઅનર્થાં ઉત્પન્ન કરે છે. શ્રોત્રે ંદ્રિયને વશ થયેલ હરણા શિકારીના ગીત સાંભળી મૃત્યુ પામે છે. નેત્રના વિષયને નહિ જીતનાર પતગ દીપકને સુવર્ણ શિખા ધારી તેમાં પડીને મરણ પામે છે, તેમ રસના ઇંદ્રિયવડે જિતાયેલ માંસની પેશીના સ્વાદમાં મચ્છીમારવડે મરણને શરણ થાય છે. ઘ્રાણેન્દ્રિયને વશ થયેલા નાગ દુ:ખને શરણુ થાય છે. હાથણીના શરીરને સ્પર્શી કરવામાં લુબ્ધ થયેલા હાથી તીક્ષ્ણ અંકુશના ધાતને સહન કરે છે. એક એક ઇંદ્રિયના વિષયવડે ઉપરાંત પ્રાણીએ અનથ પામે છે તે જેમની પાંચે ઇંદ્રિયા જીતાયેલી નથી તેવા પ્રાણીઓની શું દશા થાય? તે જાણી સત્પુરુષોએ આવા પ્રકારના વિષયને ત્યાગ ગુણધની જેમ કરવા જોઇએ. અહિં ચક્રાયુધના પ્રતિભેાધને માટે ગુણધમની કથા પ્રભુ કહે છે. ( પા. ૧૫૮ થી પા. ૧૬૭) આ કથા વિસ્તારપૂર્વક ઘણી જ રસિક છે. પા, ૧૬૯ ) કહે છે જે કથા હવે ભગવાન કષાયના વિષયમાં નાગદત્તની કથા ( પા. ૧૬૭ થી શ્રી વર્ધમાન તીર્થંકરના તીમાં થશે તેમ પ્રભુ ત્યાં જણાવે છે. પાંચ પ્રકારના પ્રમાદના વિવેકી જનેએ ત્યાગ કરવા, ચાર પ્રકારના ધમ આદરવા, તે ધમ યતિ અને શ્રાવકના એમ બે પ્રકારે છે, જેમાં યતિ ધર્મ ક્ષમાદિવડે દશ પ્રકારના છે. પ્રથમ સમ્યકૃત બે, ત્રણુ, ચાર, પાંચ પ્રકારનુ અને દશ પ્રકારનું સૂત્રના અનુસારે જાણુવુ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારે ગૃહીધ` કહ્યો છે, જેમાં પ્રાણાતિપાત વિરતિ પ્રથમ અણુવ્રત છે. તે સારી રીતે પાળ્યુ હાય તે। યમપાશ જાતિવડે ચંડાલ હતા છતાં તેની જેમ સુખ આપનાર થાય છે. ( પા. ૧૭૦ થી પા. ૧૭૧ ) ખીજું મૃષાવાદ ત્યાગ નામનું વ્રત કન્યાલીકાદિકવડે પાંચ પ્રકારનુ છે. તે અસત્ય-અલિક ખેલવાથી ભદ્ર વણિક દોષને પ્રાપ્ત થયા હતા. તે ભદ્રની કથા ( પા. ૧૭૧ થી પા. ૧૭૨ ) અહિં` જણાવવામાં આવે છે. સ્થૂલ અદત્તના ત્યાગ નામનું ત્રીજું અણુવ્રત તે ગુણ કરનારું હાવાથી જિદ્દત્ત શ્રાવકની જેમ પ્રયત્નવડે પાળવું. તે જિનદત્તની કથા ( તા. ૧૭૩ થી પા. ૧૭૫ ) અહિ' બતાવેલ છે. ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારના મૈથુન છે, જેમાં તિચ અને મનુષ્યના ઔદારિક એ પ્રકારનું અને વૈક્રિય મૈથુન દેવને વિષે છે. આ વ્રત સ તામાં શિરામણુિ અને દુઃસહ છે, જેથી પરદારામાં આસક્ત થયેલા પ્રાણીઓને તેથી અનેક પ્રકારના દુઃખ થાય છે-જેમ કરાલિપગ નામના પુરાહિત દુ:ખનું સ્થાન થયા. તે કથા ચક્રાયુપ્ત રાજાને ભગવત કહે છે. સ્થૂલ પરિગ્રહનત સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના ભેદવાળુ તેમજ ધન, ધાન્ય, ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy