________________
|
૪૮
પિતાના પુત્ર ચકાયુધને રાજ્ય ઉપર સ્થાપન કરી, ભગવાન દીક્ષા લેવા ઉદ્યમીમાં થતાં ઇદ્રો પ્રભુની દીક્ષાને મહત્સવ કરવા આવે છે. સર્વાર્થ નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થતાં તેને પ્રથમ મનુષ્ય, પછી સુરેન્દ્ર-અસુરેન્દ્ર, ગરૂડેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડી. ચાર છત્ર ધારણુ થયા. આગળના ભાગમાં દે, જમણી બાજુ અનુચરો, પાછળ ભાગમાં ગરૂડે, ઉત્તર ડાબી બાજુ નાગોએ ઉપાડી. આગળ નૃત્ય, ભાટ ચારણની બિરદાવલી મનુષ્યો વગેરે જગદ્ગુન્ઝા ઐશ્વર્યાદિ ગુણનું મોટા સ્વરે વર્ણન કરવા લાગ્યા. ભંભા, મૃદંગ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા, દેવોએ સાતે સ્વરે, સંમૂઈના, પ્રામ, લય અને માત્રાવડે ઉત્તમ ગાન થવા લાગ્યા, પછી અનુક્રમે પ્રભુ નગરમાંથી ધીમે ધીમે બહાર સહસ્ત્રાગ્ર વન ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ તજી, પંચમુષ્ટિવડે પ્રભુએ લેચ કર્યો. તે કેશને વસ્ત્રમાં લઈ % ક્ષીર સમદ્રમાં નાંખે છે. જેઠ વદી ૧૪ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રને વેગ આવતાં પ્રભુએ સિંહને નમસ્કાર કરી ચારિત્ર ગ્રહણ કર્યું. એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ અને સામાયિક ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. પછી કોઈક સ્થાને સુમિત્ર નામના ગૃહસ્થ પ્રભુને ક્ષીરવડે પારણું કરાવ્યું. ચાર જ્ઞાનના ધારણ કરનારા પ્રભુ પૃથ્વી ઉપર અનેક સ્થળે વિચારવા લાગ્યા. છઠ્ઠસ્થ પણે આઠ માસ સુધી વિચરી, ફરી હસ્તિનાપુરના સહસ્ત્રારમ્ર વનને વિષે નંદ નામના વિશાળ વૃક્ષ નીચે બિરાજે છે. તે વખતે શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં વર્તતા, છઠ્ઠ તપવાળા પિષ સુદી ૮ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર યોગ થતાં ચાર ઘાતિ-કમને ક્ષય થવાથી ઉજવળ કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે. પછી આસન ચલાયમાન થતાં દેએ ઇદ્રો આવી મનહર સમવસરણની રચના કરે છે. પ્રથમ એક પેજનમાં વાયુવડે અશુભ પુદગલે દૂર કરી, ગધેદકવડે રજને શાંત કરી, પ્રથમ કાંગરા સહિત મણિનો ગઢ, બીજા સારા રનના કાંગરાવાળે સુવર્ણને વખ કર્યો, ત્રીજો સુવર્ણના કાંગરાવાળો રૂપાને ગઢ કર્યો, તે વિમાનવાસી, જ્યોતિષિ અને ભુવનવાસી દેવો કરે છે. તેને તેરણવાળા ચાર દરવાજા કરે છે. મધ્યે પ્રભુના શરીરથી બારગણે અશોક વૃક્ષ કરે છે. ચારે બાજુ સિંહાસને, ત્રણ છત્ર, ચામરો બંતર કરે છે. પૂર્વ ધારવડે પ્રવેશ કરીને તથા તીર્થને નમીને પ્રભુના પૂર્વના સિંહાસન ઉપર બેસે છે. ત્રણ સિંહાસને ઉપર પ્રભુના પ્રતિછંદ અને તેની પાછળ ભામંડળ થાય છે. આગળ જાનુપ્રણામ પુષ્પવૃષ્ટિ થાય છે. પછી અગ્નિ ખૂણુમાં સાધુ, સાધ્વી અને દેવીઓ, નૈરૂત્ય ખૂણામાં તિષિ, ભુવનપતિ અને વ્યંતરોની દેવી, વાયવ્ય ખૂણામાં ત્રણ પ્રકારના દેવ, ઈશાન ખૂણામાં વિમાનવાસી દે, મનુષ્યો અને મનુષ્યોની સ્ત્રીઓ બેઠી જે મુખ્ય પ્રાકારમાં હોય છે. બીજા પ્રકારમાં પૂર્વે કહેલી દિશાઓના ખૂણામાં તિર્યંચે અરસપરસ દેવ ત્યાગીને ત્રીજા વપ્રને વિષે સર્વ વાહનો રહે છે. હવે અહિં ચક્રાયુધ રાજાને વધામણું મળતાં તે ત્યાં આવી પ્રભુને વિધિપૂર્વક વંદન કરી બેસે છે. પછી અતિશયવડે યુક્ત, ક્ષીરાશ્રય લબ્ધિઓવડે યુક્ત, પાંત્રીશ પ્રકાર મનહર વાણીવડે માલકોશ રાગથી યુક્ત, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષા સમજે તેમ શ્રી શાંતિનાથ મહારાજ દેશના આપે છે. જે દિવ્ય વાણીવડે જગતનાં છાને અજ્ઞાનરૂપી અંધકારને મિટાવી પ્રભુએ જ્ઞાન ચક્ષુ આપ્યા. જે મહાપુરુષે પગલે પગલે પ્રકાશ પાડ્યો, જેમણે અનેક ભવ્યાત્માઓને સમ્યકત્વને માર્ગ બતા, અનેક પ્રાણીઓને દેશવિરતિ ધર્મ આયો, અનેક પ્રાણીઓ સર્વવિરતિ ધર્મ ગ્રહણ કરાવ્યો, અનેક આત્માઓને મેક્ષના પથિક કર્યા છે, પ્રભુ દેશનાની અમૃતવાણીને આ મહાન પ્રતાપ છે, તેથી જ આમ હેવાથી જ આગલા પ્રસ્તાની જેમ ઉપદેશ બધપાઠે કથાઓને અહિં સંક્ષિપ્ત પરિચય નહિં આપતાં આ પ્રસ્તાવમાં દેવાધિદેવ શ્રી શાંતિનાથ ભગવાને સમવસરણમાં બિરાજમાન થઈ દેશના વરસાવી છે એ સર્વ પ્રભુની અમૃત તુલ્ય વાણી હોવાથી તે સંપૂર્ણ પ્રભુ દેશના વાંચતા વાચકને પ્રમાદ ન થાય, મનનપૂર્વક વાંચી આત્મિક આનંદનો લાભ લે તેમજ તે દેશનાના મધરરસમાં કંઈ પણ ક્ષતિ ન પહોચે માટે અહિં માત્ર વિષયો અને કથાઓને નામ નિદેશ જ કરીયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org