SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ : પ્રભુને મળતાં તેને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે, અને તે ચકશાળામાંથી નીકળી આકાશમાર્ગે ચાલે છે. પ્રભુ આ જન્મમાં જ ચક્રવર્તી છે અને જિનેશ્વર પણ છે જેથી છ ખંડ સાધવા ચક્રવર્તીપણને લઇને હજાર વડે અધિછિત તે ચક્ર (સત્ય સાથે ) પ્રથમ પૂર્વ દિશામાં માગધતીર્થની પાસે આવે છે. પ્રભુના પ્રભાવથી જળને છેડે નીચે ભાગે બાર યોજન દૂર રહેલ માગધ દેવનું આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનવર્ડ ચક્રવર્તી અને શ્રી શાંતિનાથ જિનેશ્વર ત્યાં આવેલા જાણી પ્રભુ પાસે આવી ભેટધરી કહ્યું કે હું તમારે અજ્ઞા પાલક દિફપાલ છું. પછી તે સુદર્શન ચક્ર દક્ષિણ દિશાએ જ્યાં વરદામ તીર્થ છે ત્યાં આવે છે, ત્યાં તે જ પ્રમાણે પ્રભુએ તેને સાધ્યો. પછી ચક્ર પશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થના અધિષ્ઠાથકને સાધી ઉત્તર દિશાએ સિંધુ નદીના કિનારે જઈ ત્યાં સિંધુ દેવીને સાધી અને દેવીએ રત્નમય જ્ઞાનપીઠ અર્પણ કરી, પછી સેનાપતિ - ચર્મરત્નવડે સિંધુ નદી ઉત્તરી વિભુની પાસે પશ્ચિમ ખંડમાં આવતાં પૂજા કરેલું ચક્રરત્ન વૈતાઢયને તળીયે જઈ વૈતાઢયાદ્રિકમાર પ્રભુએ વશવર્તી કર્યો. પછી ખંડપ્રપાતાગુફાનું દ્વાર પતે ઉઘાડયું જ્યાં કૃતમાલ દેવે પ્રભુની આજ્ઞા અંગીકાર કરી તેમાં ઉન્મમા અને નિર્મમા નામની બે નદીઓ જે તરવી દુસ્તર છે ત્યાં વર્ધીકિ રત્નવડે પાળ બનાવી, સૈન્ય સહિત પ્રભુ તે ગુફામાં પ્રવેશ કરી અંધકાર દૂર કરવા કાકિની રત્નવડે મંડલે કરે છે, તે ગુફા પચાસ જનની છે. તેમાં ઓગણપચાસ મંડલે કરે છે. પછી સૈન્ય સહિત પ્રભુ બહાર આવી આપાતચિલાત નામના મલેચ્છોને વશ કર્યા. પછી સેનાપતિ પાસે સિંધુનું બીજું નિષ્ફટ સધાવી હિમવાન પર્વતના દેવને સાધ્યો. ત્યાં વૃષભકૂટ નામના પર્વત ઉપર પિતાનું નામ લખ્યું અને સેનાપતિએ ગંગાનદીનું ઉત્તર નિષ્ફટ સાધ્યું. તમિસ્રા ગુફામાં નાયમાલદેવને સાધીને બહાર આવ્યા ત્યાં પ્રભુને બાર જન લાંબા અને નવ યજન વિસ્તારવાળા પેટીના આકારવાળા નવનિધાને પ્રભુને પ્રગટ થયા. જે પ્રથમમાં સૈન્યને પડાવ અને નગરાદિક નિવાસ હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ, ત્રીજામાં પુષ, સ્ત્રીઓ, હાથી અને અના સર્વ અભરોને વિધિ, ચેથામાં ચૌદરત્ન હોય છે, પાંચમામાં વસ્ત્રો, રંગ વગેરેની ઉત્પત્તિ, છઠ્ઠામાં ત્રણ કાળનું જ્ઞાન, સાતમામાં સુવર્ણ, રૂપું, લેહ, મણિ અને પ્રવાલની ઉત્પત્તિ, આઠમામાં સમગ્ર યુદ્ધની નીતિ, સર્વ શસ્ત્રો તથા યોદ્ધાઓને યોગ્ય બખતર, વગેરે હોય છે. શંખ નામના નિધિને વિષે વાજિંત્રના અંગે, ચાર પ્રકારના કાવ્યો, તથા નાટ્ય અને નાટકની વિધિ ઉત્પન્ન થાય છે. તેમાં પોપમના આયુષ્યવાળા નિધાનની જેવા નામવાળા દે રહે છે, વગેરે આ પ્રમાણે પ્રભુ વગર પ્રયાસે પૂણ્ય બળવડે છ ખંડ સાધી ઘેર આવ્યા. જ્યાં બત્રીસ હજાર મકરબદ્ધ રાજાઓએ બાર વર્ષ સુધી ચક્રવર્તીપણને અભિષેક આરંભ્યો અને દરેક રાજાઓએ સ્વામીને ઘણું ધન તથા બળે કન્યાઓ આપી, જેથી અત્યંત રૂપવાન ચોસઠ હજાર પ્રિયાઓ થઈ. હવે ચક્રવર્તીને કેટલી કેટલી રિયાસત, ર વગેરે હતા તેનું વર્ણન જાણવા જેવું હોવાથી અહિં આપવામાં આવે છે. સેનાપતિ અને ચૌદ રત્ન હતા, તે દરેક હજાર હજાર યક્ષો વડે અધિણિત હતા, ચોરાશી લાખ હાથી, તેટલાં જ અો, અને તેટલા જ ધ્વજવાળા રથે હતા. બહેતેર હજાર નગર હતા, ગામ પદાતિ છનું કરેડ હતા, બત્રીસ હજાર દેશ અને રાજાઓ હતા, તેમજ બત્રીશ બધુરંગવાળી તસણી અને નાટકો હતા. વીશ હજાર રત્નની ખાણ હતી, અડતાલીશ હજાર પટ્ટણી વગેરે પુણ્યવડે પ્રાપ્ત થયેલ ઋદ્ધિ જોગવતાં પ્રભુને પચીશ હજાર વર્ષ વ્યતીત થાય છે. હવે પ્રભુના વ્રતને સમય જાણી કાંતિક દેવ પ્રભુ પાસે આવી કૃપાનાથ “ તીર્થ પ્રવર્તા ” એમ વિનંતિ કરે છે. પ્રભુ તે તે સમય જાણતા જ હતા. જેથી એક વર્ષ સુધી યાચકને તેમની ઈચ્છા પ્રમાણે (વરસી) દાન આપે છે. પછી સપ, પાંડુક, પિંગલ, સર્વ રત્નક, મહાપદ્મ, કાળ, મહાકાલ, માણુવક, અને શંખક આ નવ નિધાના નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy