SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. શિખર ઉપર અતિ પાંડબલ જુએ છે. હે રાજા! તમારી રાણીએ જે રવને જોયા છે તેથી છ ખંડ ભરતક્ષેત્રને રાજા અને ત્રણ જગતવડે વંદાયેલા જિનેશ્વર પણ સાથે થશે. તે સાંભળી રાજા તેને ઈનામ આપી વિદાય કરે છે. તે વખતે નગરમાં મરકીવડે લોકોને માટે નાશ થતો હતો; પરંતુ પ્રભુ ગર્ભમાં આવતાં તરત જ તે રોગ શાંત થયો. પછી નવ માસ ને સાડાસાત દિવસ વ્યતીત થતાં જેઠ માસની વદી ૧૩ ના રોજ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં મધ્ય રાત્રિના સમયે સુવર્ણની જેવી કાંતિવાળા ત્રણ જગતને સુખ કરનારા પુત્રને અચિરા માતાએ જન્મ આપ્યો. છપ્પન દિકુમારિકાઓ અવધિજ્ઞાનવડે પ્રભુને જન્મ જાણી ત્યાં આવે છે. (અધલેકમાંથી ગજદંત પર્વત કંદમાંથી આઠ, મેરુ પર્વતના નંદન વનના ફૂટમાંથી આઠ, રૂચક દીપથી આઠ આઠ, ચાર દિશાઓમાંથી ચાર, વિદિશામાંથી ચાર, મધ્યના રૂચક દીપમાંથી ચાર મળી છપન્ન આવી.) સંવર્ત વાયુ, દર્પણ ધારણ કરવું, ઝારી, પંખા, ચામર અને દીવી ધારણ કરવી, રક્ષા કરવી વગેરે જિનેશ્વર ભગવાનનું સૂતિકર્મ, ભક્તિ નિમિત્તે ફરજ તરીકે કરે છે. હવે દેવેન્દ્રનું પણ સિંહાસન (કુદરતના નિયમ પ્રમાણે) ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનવડે પ્રભુને જન્મ થયો જાણી દિને સેવક હરિતૈગમેષિ નામના દેવને સુઘોષ ઘંટ વગાડી સર્વ દેવને જાણ કરવા આજ્ઞા કરે છે. પછી પાલક નામે શ્રેષ્ઠ વિમાન રચી પરિવાર સહિત પ્રભુના જન્મગૃહે આવે છે, અને ઇન્દ્ર પ્રભુને અને માતાને નમીને, રસ્તુતિ કરીને, માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તેમની પાસે પ્રભુના પ્રતિરૂપને સ્થાપી, પછી ઇદ્ર પાંચ રૂપ કરી એક રૂપે જિનેશ્વરને ધારણ કર્યા, બીજા રૂપે છત્ર ધારણ કર્યું, ત્રીજા રૂપે વજી ધારણ કર્યું, બે રૂપે ચામર ધારણ કરી મેરુપર્વતના શિખર કે જ્યાં બીજા દેવેન્દ્રો, દેવ, ભૂવનવાસી, વ્યંતરે પણ પ્રભુને જન્માદિક કરવા આવેલાં હતાં ત્યાં છે. શિખર ઉપર અપાંડકંબલ શિલારૂપ શાશ્વત આસન ઉપર સૌધર્મ દ્ધ પિતાના ઉલ્લંગમાં જિનેશ્વરને ધારણ કરે છે. પછી અય્યતાદિક દેવેન્દ્રોએ તીર્થોદક અને ગંદકવડે ભરેલા સુવર્ણ રૂપ, મણિ, અને માટીના કળશેવડે જિનેશ્વરનું સ્નાત્ર કરે છે. પછી તે રીતે અમ્યુરેંદ્રના ઉસંગમાં જિનેશ્વરને સ્થાપીને સૌધર્મેન્દ્ર રત્નાત્ર કરે છે. પછી ઉત્તમ વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછી ચંદનાદિકવડે વિલેપન કરી ઈકે પૂજા કરી, અને પ્રભુ ઉપર કોઈની નજર ન પડે માટે લવણનું ઉતારવું વગેરે કરી ભક્તિ વડે જિનેશ્વરની સ્તુતિ અને વંદન કરી હે પ્રભુ! તમે જય પામે, જય પામે એ ઉચ્ચારી, વિશ્વસેન રાજાને ગૃહે આવી જિનેશ્વરને તેની માતાની પાસે મૂકે છે. અને માતાની તથા પ્રભુની સ્તુતિ કરી ત્યાંથી નંદીશ્વર દીપને વિષે યાત્રા કરી સર્વ દેવ-દેવીઓ સ્વસ્થાને જાય છે. માતા જાગતાં દાસીઓ પુત્ર સહિત માતાને જોઈ આનંદ પામતી રાજાને પુત્રજન્મની વધામણી આપે છે. રાજા અતિ હર્ષ પામી તે દાસીઓને મુગટ સિવાય સર્વ આભૂષણ બીજા દ્રવ્ય સહિત આપે છે. રાજા પુત્ર જન્મને મહત્સવ કરે છે, અને બારમે દિવસે બંધુવર્ગ વગેરેને ભોજન કરાવી રાજાએ સભામાં જણાવ્યું કે આ જિનેશ્વર ગર્ભમાં આવ્યા ત્યારે અશિવની શાંતિ થઈ છે જેથી કંવરનું શાંતિ નામ પાડવામાં આવે છે. ઇકે અંગૂઠામાં સ્થાપન કરેલા અમૃતવડે વિશિષ્ટ રૂ૫ તથા લાવણ્ય કરીને અનુક્રમે પ્રભુ વૃદ્ધિ પામે છે. અહિં સૂરિમહારાજ પ્રભુના શરીરનું સુંદર વર્ણન કરે છે. (૫. ૧૫૪) અનકમે પચીસ હજાર વર્ષો વ્યતીત થયા બાદ પ્રભુને અશ્વસેન પિતા રાજ્યગાદી ઉપર સ્થાપન કરે છે. અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે જેમાં યશોમતી નામની રાણી મુખ્ય છે. હવે દઢરથને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી યશોમતીની કુક્ષીમાં આવ્યો જેનું ચકાયુધ નામ પાડવામાં આવે છે અને યુવાન વય થતાં રાજકન્યાએ તેને પરણાવવામાં આવે છે. હવે એક દિવસ આયુધશાળામાં હજાર આશાવાળું અનુપમ ચક્રરત્ન ઉત્પન્ન થયું જેની વધામણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy