________________
રાજાને બચાવે છે. (જુઓની રાજાની કામાતુરપણુવડે દુષ્ટતા અને ઉપકાર કરનાર વત્સરાજની દયાળુતા.) પુણ્યબળ શું કામ કરે છે? પુણ્યદય, વૈભવ, લક્ષ્મી, સૌંદર્યતા, બળ, ઐશ્વર્ય, કેવું કેટલું પ્રાપ્ત કરાવે છે. રાજાએ તેને હણવા કરેલી અનેક યુક્તિઓથી વત્સરાજ કેવી રીતે બધામાંથી બચી જાય છે તે તમામ વૃત્તાંત રસિક વાંચવા જેવું છે. (પા. ૧૨૯ થી ૧૫૦) તમામ ધર્મ આરાધનના જ ફળે છે. પછી રાજા પશ્ચાત્તાપ કરે છે. છેવટે પિતાની સુંદરી કન્યા અને રાજ્ય વત્સરાજને આપી પોતે તાપસી દીક્ષા લે છે. પછી પુણ્યવાન દઢ વિક્રમવાળ વત્સરાજ રાજસભામાં બેઠા છે ત્યાં એક દિવસ એક પુરુષ આવી લેખપત્ર આપી વિનંતિ કરે છે કે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાંના લેકે એ તમને વિનંતિ કરવા આ લેખ મોકલ્યો છે. વત્સરાજ તે લેખ નીચે પ્રમાણે પિતાના માણસ પાસે વંચાવે છે-કે “હે રાજા, ઉજજયની પુરીમાં વત્સરાજને નમીને ગ્રીષ્માથી પીડા પામેલ જેમ મેલને ઈચ્છે તેમ દેવરાજથી પીડા પામેલ અમે તમારું સ્મરણ કરીએ છીએ તેથી શીધ્ર પધારી અમારું સ્વામીપણું સ્વીકારો, નહિં તે અમે બીજાને આશ્રય કરીશું. પછી વત્સરાજ દેવરાજ રાજા પાસે તને મોકલે છે. પછી તે દેવરાજ બહાર નીકળે છે પરંતુ પરિવારજનો તેની પાછળ નહિં જવાથી વત્સરાજને બળવાન માની દેવરાજ નાશી જાય છે. વત્સરાજને લેકે નગરપ્રવેશ કરાવે છે. બંને રાજ્યનું પાલન વત્સરાજ કરે છે તેવામાં એક દિવસ તે નગરમાં ચાર જ્ઞાનના ધારક મહામુનિ પધારે છે. વત્સરાજ ત્યાં જઈ વંદન કરી ગુરુએ કહેલ સાધુ અને શ્રાવકનો ધર્મ સાંભળીને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. પછી અનેક જિનચ કરાવી અનેક જિનપ્રતિમાઓ પધરાવી, અષ્ટાહિક ઉસ વગેરે કરે છે. પછી તે જ ગુરુદેવ પધારતાં વત્સરાજ પૂછે છે કે-પૂર્વભવે મેં શું કર્યું હતું કે પ્રાપ્ત થયેલી વિપદામાંથી જલદી સંપદા પ્રાપ્ત થઈ. ગુરુમહારાજ જણાવે છે કે-આ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં તું શુર નામે રાજા હતા. તે શરીર, ન્યાયી, નીતિવાન, ધર્મારાધક, દાની, ન્યાયવાળો અને દેષ રહિત હતું. તેને વિદ્યાધર કુલમાં ઉત્પન્ન થયેલી રેગા અને રતનચલા નામની બે પ્રિયાએ હતી અને બીજી પ્રિયાને ત્યાગ કર્યો. પછીનું વૃત્તાંત તને દેવતાએ કહ્યું છે. હે મહાભાગ્યવાન, તે મરીને તું રાજપુત્ર થયા છે વગેરે સાંભળી વત્સરાજને જાતિમણુજ્ઞાન ઉત્પન્ન થવાથી દીક્ષા લેવા ઉત્સુક થાય છે. પછી શ્રીશેખર નામના પિતાના પુત્રને ગાદીએ બેસાડી ચારે ભાર્યાઓ સહિત તે મહાવ્રતી થયો. ઘણા કાળ સુધી ચારિત્ર પાળી, તપ કરી, તે દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામી સર્વ કર્મ ખપાવી તે મુક્તિને સુખ પામશે. હે રાજા, મેં તને પ્રથમ સૂચન કર્યું હતું જે વિપત્તિકાળે પણ સુખ ભોગવનાર થયો તે ધર્મનું જ ફળ છે. અહિં
પછી મેઘરથરાજાએ જિનેશ્વરને નમી, પોતાના પુત્ર મેઘસેનને રાજય ઉપર થાપન કરી, પિતાના બંધુ દૃઢરથને પણ તે વિચાર જાણી ચાર હજાર રાજાઓ, સાતસે રાજપુત્ર અને પોતાના ભાઈઓ સહિત જિનેશ્વર પાસે દીક્ષા લે છે. પછી આઠ પ્રવચન માતાઓ વડે અનેક પરિષહેને સહન કરતા હતા. પછી પૃથ્વી ઉપર વિચરી, અનેક જીને પ્રતિબંધ કરી, ધનરથ જિનેશ્વર કર્મમળ પેઈમેક્ષમાં પધાર્યા. પછી મેઘરથ મહામુનિ એક લાખ વર્ષ સુધી સંયમ પાળે છે અને અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ,
સ્થવિર, સાધુ, બહુશ્રુત અને તપાવીને વિષે સર્વદા તેમણે વાત્સલ્ય કર્યું. નિરંતર જ્ઞાનમાં ઉપયોગ, દર્શન, વિનય, આવશ્યક અને શીલવતને વિષે અતિચાર રહિત રહ્યા. બળ, તપ, દાન અને વિયાયને વિષે સમાધિવાળા રહ્યા. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવામાં પ્રયત્નવાળા, શાસ્ત્રની ભક્તિ કરવામાં યુક્ત થયા. સર્વ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરતા હતા તથા ઋસિંહનિષ્ક્રિડિત તપ પણ કરતા હતા. એ રીતે મેઘરથ
જ આ અને બીજા તપે વિધિવિધાન સહિત, શ્રી તપોરત્ન મહોદધિ નામના ગ્રંથમાં અમોએ છપાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org