________________
ખબર મળતાં ત્યાં આવી પૂછતા શ્રી દત્ત શેઠને જણાવે છે. પછી વત્સરાજને ઉપકારક જાણી શ્રી દત્તાને તેની સાથે પરણાવે છે. એક રાત્રી રહી જવા માટે પૂછતાં શ્રીદત્તા કહે છે કે-“હે કાંત! વિરહ, વસંતમાસ, નવ રનેહ, નવું વય અને પંચમ વરને વનિ આ પાંચ અગ્નિ શી રીતે સહન થાય?” વત્સરાજ કહે છે કે-હું દેશાંતર ન જાઉં તે મારે અગ્નિપ્રવેશ કરવો પડે તેવું છે. તેથી શ્રીદત્તા તેના આવતાં સુધી કંકુ, કાજળ, પુષ્પ અને આભૂષણ નહિં લગાડવાની પ્રતિજ્ઞા કરે છે અને વત્સરાજ શ્રેણીની રજા લઈ ત્યાંથી પ્રયાણ કરે છે. આગળ અટવીની મધ્યે એક નગરી દેખી તેની બહાર એક વૃક્ષની નીચે બેસે છે, જયાંથી શહેરમાં પાણી ભરી જતી સ્ત્રીઓને આ નગર કયું છે તેમ પૂછતાં સ્ત્રીઓ જણાવે છે કે–આ બંતર દેવોએ પિતાની કીડા કરવા માટે વસાવેલ છે. પછી આ જળ કેમ લઈ જાઓ છે? તેમ પૂછતાં સ્ત્રીઓ કહે છે કે અમારી સ્વામિની કોઈ સ્થળે ગઈ હતી ત્યાં કોઈ પુરુષે બાહુને વિષે પ્રહાર કરતાં તે પીડા પામી છે અને તે દૂર કરવા આ જળ, તેના ઉપર શેક કરવા લઈ જઈએ છીએ. વળી તેણીના હાથમાં ધશ્રૌષધી અને સંરહિણી બે ઔષધિ તેણીના હાથ ઉપર તાડન થતાં તે પડી રાઈ હોવાથી હજી પીડા શમતી નથી. વત્સરાજ કહે છે કે હું વૈદ્ય છું તેથી મને ત્યાં લઈ જાઓ. તેને ત્યાં લઈ જાય છે અને તેમાંથી એક સ્ત્રી વત્સરાજને સૂચના આપે છે કે જ્યારે અમારી વામિની પ્રસન્ન મુખવાળી હોય ત્યારે તે આવાસની ઉપલી ભૂમિમાં રહેલી બે કન્યા અને અશ્વિના રૂપવાળા યક્ષને અને ઈચ્છિત આપનારા પર્યકને એ ત્રણ વસ્તુ માગી લેવી. પછી તે સ્ત્રી તેની સ્વામિનીની પાસે લઈ જાય છે. તે સ્વામિની વત્સરાજને કહે છે કે-તું વૈદ્યક જાણતો હોય તે મારી પીડાનું નિવારણ કર. પછી વાસરાજ વૈધકને વિસ્તાર કરી ધૂમ્રૌષધિવડે ધૂમાડે કરી બીજી ઔષધિવડે તેની પીડાને દૂર કરવાથી તે સ્વામિની જણાવે છે કેમને ઘા કરનાર તું જ છે. વત્સરાજ તે કબૂલ કરે છે, જેથી દેવી તેના સાહસથી તુષ્ટમાન થઈ વર માંગવા કહેતાં બે કન્યા, અશ્વ અને પર્યક માગે છે. દેવી ઘરને ભેદ થયેલે સમજી છતાં તે વસ્તુ વત્સરાજને આપે છે. (પ્રાણીને પુણ્યોદયથી શું પ્રાપ્ત થતું નથી?) પછી તે વસ્તુઓની ઉત્પત્તિ શાથી થઈ તે જણાવતાં દેવી કહે છે કે-વૈતાઢય પર્વત ઉપર ચમચંચા નગરીમાં ગંધવાહગતિ નામના રાજાને રત્નચલા અને સ્વર્ણચૂલા નામની બે પુત્રીઓ હતી. એક દિવસ તેને ત્યાં વિદ્યાધર મુનિ આવ્યા. તેમને પોતાની બંને પુત્રીને ભર્તા કોણ થશે ? તેમ પૂછતાં વત્સરાજ નામને રાજપુત્ર થશે પરંતુ તારા સમીપપણામાં તેનું લગ્ન નહિં થાય. તારું આયુષ્ય એક માસ બાકી છે. તે શી રીતે ભર્તા થશે તે સાંભળ. પહેલાં પોતાના મિત્ર અને ભૂમિ પર રહેલા શર રાજાને તારા પિતાએ તારી બહેન આપી હતી. તેને બીજી પણ રાજપુત્રી પ્રિયા હતી. તેના ઉપર રાજાને પ્રેમ હતો. તારી બહેન ઉપર અણગમો હતું તેથી તેણી બાળ તપ કરી મરી શ્રેષ્ઠ વ્યંતરી થઈ છે અને
ની શકય એક ધર્મ. દાનાદિકવડે મરીને શ્રીદત્ત શેઠની શ્રીદત્તા નામની પુત્રી થઈ છે અને તે યામિકને હણે છે (પુરુષોને ક્ષય કરે છે, તેથી તે દેવીને તારી બે પુત્રીઓ સોંપ અને તેણીને થનાર ભર્તા વત્સરાજ ત્યાં આવશે. શ્રીદત્તાને પરણશે જેથી તે ખેચર રાજાએ આ બે કન્યા મને સોંપી છે (પૂર્વનાં ઋણાનુબંધ સિવાય આવા સંબંધે થતા નથી.) પછી તે ખેચર રાજા મરીને વ્યંતરદેવ થયો છે. તેણે અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર તથા આ પર્યક અને આ બે ઔષધિઓ સર્વે મને આપ્યું છે. તારું ભાગ્ય હોવાથી તને આપું છું. પછી વત્સરાજ તે બને કન્યાઓને પરણે છે. પછી દેવી તે બંને પ્રિયાઓ સહિત તેને રજા આપવાથી તે પલંગ ઉપર ત્રણે ચડી આકાશમાગે શ્રીદત્તાના આવાસમાં આવે છે. ત્યાં ઉપરની ભૂમિકાએ અશ્વ, પર્યક, બે સ્ત્રીઓ અને પિતાના પતિને જોઈ પિતાના પિતાને તે વાત જણાવે છે. શ્રેષ્ઠી ત્યાં આવે છે. બીજે દિવસે શ્રેણીની રજા લઈ ત્રણે પ્રિયાઓ સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org