SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦ : સુભાગ્ય પ્રગટે છે ) ત્યાં રાત્રિના વિમાનમાં બેઠેલ વિદ્યાધરીઓને સમૂહ મંદિરમાં આવે છે. જ્યાં તેમની એક ચિત્રલેખાને વિષ્ણુ વગાડવા, પ્રદનિકાને તાલ વગાડવા, પરિણાને પડકને સજજ કરવા, યવનિકાને મૃદંગને વિસ્તારવા, ગાંધવિકાને ગીત ગાવાને પરસ્પર બેલી એક નૃત્ય કરવાનું જણાવી શરૂ કરે છે. છેવટે વિશ્રાંતિ લઈ પિતાનાં સ્થાન બારના છિદ્રવડે તેને ચાલી જતાં તેમ જ તેમાંહેની કેઈને રત્નસમૂહથી શોભિત એક કંચુક ભૂલી ગયેલ જુએ છે અને તે કંચુક પિતે લઈ દેવળના બારણું બંધ કરી વત્સરાજ અંદર દાખલ થાય છે. ત્યાર બાદ જેણુ પિતાનો કંચુક ત્યાં ભૂલી ગયેલ છે તે વિદ્યાધરી ત્યાં આવે છે, ત્યાં અપ્રમાદપણે જોતાં ઝાડ ઉપર કાવડ દેખી આ દેવળમાં રહેલ કોઈ ગુપ્ત પુરુષ કંચુકને હરણ કરનાર છે, તેમ જાણી અંદર રહેલ વત્સરાજને અનેક રીતે પાછા આપવા વિનવે છે. છેવટે ગામમાં જઈ તેની શોધ કરતાં શ્રેણીને ઘેર માતા, માસી વિરહથી વિલાપ કરે છે તે હકીકત વિદ્યાધરીએ જાણીને દેવલ પાસે આવી માતાના જેવા સ્વરવડે અનેક રીતે બારણું ઉઘાડવા આક્રંદ કરે છે, છતાં બુદ્ધિશાળી વત્સરાજ માતાનું અત્યારે અહિં આવવું સંભવતું નથી તેમ સમજે છે. છેવટે થાકીને વિદ્યાધરી ચાલી જાય છે. સવાર થયું જાણી શ્રીખંડના વૃક્ષના કેતરમાં કંચુક મૂકી કુહાડી ચંદનકાછ લઈ વત્સરાજ ગામમાં પિતાને ઘેર આવી તે કાને સંતાડી તેને એક ટૂકડો વેચવા પિતાની માસીને આપે છે અને હવેથી ઘરકામ (નિંદિત કામ ) નહિં કરવા અને ઉપજેલા પૈસામાંથી શ્રેષ્ઠીને ભાડાના પૈસા આપવા જણાવે છે અને પોતે દિવસે ક્રીડા કરવા વનમાં જઈ રાત્રિના સવા માટે આવીશ તેમ માતાને જણાવે છે આ રાજકુમાર સાથે નિરંતર ક્રિીડા કરે છે. એક દિવસ કળાચાર્ય કુમાર અને વત્સરાજ સાથે રાજા પાસે આવે છે. કળાચાર્યને વત્સરાજ કેણુ છે પૂછતાં કળાચાર્ય અજાણપણું બતાવી વિજ્ઞાનમાં આના જેવો કોઈ કુશલ નથી તેમ કહી વત્સરાજને પિતાનું વિજ્ઞાન જણાવવા કહે છે, અને રાજાના પૂછવાથી પિતાની ઓળખ આપે છે. જેથી ત્યાં બેઠેલ રાજાની રાણી કમલશ્રી વત્સરાજ ભાણેજ અને તેની માતા, માસી પિતાની સગી બહેન થાય તેમ જાણી કમલશ્રી હાથણી ઉપર બેસી પિતાની બહેનને પિતાના આવાસમાં લાવવા મદત્ત શ્રેષ્ઠીને ત્યાં આવે છે. એકી અને તેણે પરસ્પર ક્ષમા માગી માતા, માસી, કુમાર સહિત રાજાના મહેલમાં આવે છે. રાજાની સેવા કરવા વત્સરાજ સાંજના પિતાને ઘેર જવાની શરતે માગી લે છે, એક દિવસ વત્સરાજને રજા આપ્યા સિવાય રાજા સુતે છે. તે વખતે મધ્ય રાત્રિના રાજા અતિદુઃખવડે કરુણ સ્વર સાંભળી વત્સરાજને ત્યાં સુતે જોઈ રુદન કરનાર સ્ત્રીનાં દુઃખનું કારણ પૂછી તે દૂર કરવા રાજા વત્સરાજને કહે છે. શબ્દને અનુસાર વત્સરાજ સ્મશાનમાં જાય છે. જ્યાં રુદન કરતી સ્ત્રીને જોઈ કારણ પૂછતાં કુંવરના આગ્રહથી કહે છે કે, આ નગરને ઉત્તમ પુwતી હું સ્ત્રી છું. નિરપરાધિ એવા મારા આ પતિને રાજાએ વગર ગુહાએ આ શલિકા ઉપર ચડાવ્યું છે, તેને ઘેબર વગેરે ખોરાક બહુ જ ભાવતા હતા તેથી તેને આપતાં હું શલિકા ઊંચે હોવાથી આપવા અશક્ત છું તેથી રૂદન કરૂં છું. તેમ સાંભળી વત્સરાજ તેને પિતાના સ્કંધ ઉપર તે સ્ત્રીને ચડાવે છે, જ્યાં તે દુષ્ટ સ્ત્રી માંસના ટુકડા ખાતાં ખાતાં એક ટુકડે વત્સરાજના અંધ ઉપર પડે છે, તેથી વત્સરાજ ઊંચે જતાં તેની તે દુષ્ટ ચેષ્ટા જઈ ખડગને ખેંચી તેને મારવા જતાં એનું વસ્ત્ર જે પકડેલું હતું તે કુમારના હાથમાં છોડી દઈ આકાશમાં ઉડી જાય છે. તેવામાં ત્યાં બિરાજમાન વનરથ તીર્થકર ભગવાનને તે ભાગતી સ્ત્રી કેશુ છે, તેણે આવું કર્મ કેમ કર્યું? તેમ પૂછતાં પ્રભુ જણાવે છે કે તે દુષ્ટ દેવતા છે, અને દેવ માંસ ખાય છે. તેમ પૂછતાં ભગવાન કહે છે કે દેવ માંસ ખાતા નથી પણ તેઓની આ પણ ક્રીડા છે. પછી વત્સરાજ તે વસ્ત્ર સાથે ઘેર આવી રાજાને વૃત્તાંત જણાવી તે વસ્ત્ર રાજાને આપતાં રાજા પિતાની રાણીને તે વસ્ત્ર આપે છે તે ' પહેરતાં તેની સાથે પિતાને કંચુક શોભતે નથી તેમ રાણીએ કહેતાં પોતાની પાસેને શ્રેષ્ઠ કંચુક લાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy