SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૯ : દેવીઓ થાકે છે ત્યારે પ્રગટ થઈ, અતિપૂર્વક પ્રશંસા કરી, અપરાધ ખમાવી, નમસ્કાર કરી, પોતાને સ્થાને જાય છે. રાજાએ પૈષધ પાર્યો. એક દિવસ ધનરથ તીર્થકર ભગવાન ત્યાં પધારે છે તેને વાંદવા માટે રાજા મેઘરથ આવે છે. પ્રભુ દેશના આપતાં જણુવે છે કે, “જિનેશ્વરની પૂજા અને નમસ્કારને વિષે તથા અપૂર્વ નવા પાઠના શ્રવણને વિષે પ્રમાદ ન કર.” જેથી શુરરાજાની જેમ તે સુખને માટે થાય છે. ગણધર મહારાજ શર નામને પુણ્ય કર્યું હતું તેમ પૂછતાં પ્રભુ તેની કથા કહે છે. આ જંબૂદીપના ભરતક્ષેત્રને વિષેક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં વીરસેન નામને રાજા હતા, તેને ધારિણિ નામની રાણી હતી. તેને આગળ જતાં પુત્ર થાય છે જેનું નામ દેવરાજ પાડવામાં આવ્યું, બીજો પુત્ર વત્સરાજ નામનો થયો. આઠ વર્ષની ઉંમર થતાં કળાચાર્ય પાસે સમગ્ર કળા બંને શીખવા લાગ્યા. એક દિવસ રાજા જવરદાહના રોગથી વ્યાપ્ત થયેલે જે વખતે રાજાની માંદગીનો લાભ લઈ લાગતાવળગતા મંત્રીઓ સાથે વિચાર કરી દેવરાજ ગાદીએ બેસી જાય છે. રાજાની ઇચ્છા વત્સરાજને ગાદીએ બેસાડવાની હતી છતાં આમ બન્યું તેને શેક કરે છે. દરમ્યાન વત્સરાજ પિતાને બંધુ પાસે વિનયપૂર્વક વર્તતા છતાં પ્રાપ્રિય હોવાથી મંત્રીઓએ તે ફાંસ કાઢી નાંખવા દેવરાજને ઉશ્કેરી વત્સરાજને દેશને છોડી જવા દેવરાજ ફરમાવતા વત્સરાજ મા અને મારી સાથે નગરથી બહાર નીકળે છે અને ચાલતાં ચાલતાં અવંતી દેશની ઉજજયની નામની નગરીમાં આવે છે. વત્સરાજ કે પુણ્યશાળી, સત્વવાન, પરોપકારી અને દૃઢનિશ્ચયી છે, તેમજ પરદેશમાં પુણ્યપ્રભાવે લક્ષ્મી, માનસન્માન, સુંદર પત્નીઓ અને મનવાંછિત દૈવી વસ્તુઓ પ્રાપ્ત કરી સુખી થાય છે, તે હકીકત સુંદર અને અભૂત રીતે ગ્રંથકાર મહારાજે જણાવી છે, તે મનનપૂર્વક વાંચવા જેવી જ છે સંક્ષિપ્ત અહિં કહેવામાં આવે છે. ઉજજયિની નગરી, તેમાં જિતશત્રુ નામને રાજા, તેને કમલશ્રી નામની રાણી હતી. હવે અહિં પિતાના કર્મને વિચાર કરતાં વત્સરાજની મા તેની બહેન વિમલાને નિવાસસ્થાન કરવા ગામમાં મોકલે છે. જ્યાં સેમદત્ત નામના શ્રેષ્ઠીને શાંત મૂર્તિવાળે જઈ તેની પાસે વિમલા પિતાની બહેન અને પુત્રને તેની નિશ્રામાં રહેવા માટે સ્થાન માગે છે. શ્રેષ્ઠી પિતાના મકાનમાંની એક ઓરડી દેખાડી તે ભાડાના બદલે તે બંને બહેને ઘરકામ કરવાની અને વસરાજ તેના ઢોર ચારવાની શરતે તેમજ ત્રણે પીવાની શરતે નોકરી સ્વીકારે છે. “ ઉદર માટે પ્રાણીને શું શું નથી કરવું પડતું ?” હવે વછરાજ નિરંતર વાછડા ચારવા જતાં વનમાં રાજકુમારને કસરત કરતાં જોઈ ત્યાં જાય છે અને તેમાં કઈ પણ યોગ્ય સ્થળે ઘાત થતાં તે હર્ષના ઉદગાર કાઢતે જાણી સાથેના તેના કલાચાર્ય વત્સરાજ બાલક છતાં શસ્ત્રકર્મને જાણનારો છે એમ જાણી તેને નામઠામ પૂછે છે, વત્સરાજ નામ ન જણાવતાં હું એક પરદેશી છું એમ કહે છે. કલાચાર્ય વત્સરાજને પિતાની કળા બતાવવા જણાવતાં વત્સરાજ કળા બતાવી સૌને ખુશી કરે છે અને રાજકુમારે પોતાની સાથે વત્સરાજને ભોજન કરાવે છે. આમ થવાથી વાછડાઓ શ્રેણીને ઘેર વહેલા મોડા આવતાં, છી તેનું કારણ પૂછતાં વિમલા તેનું અજાણપણું બતાવે છે. વત્સરાજ ઘેર આવી તેમ થવાનું કારણ પોતે બહાર સૂતા હતા, કેઈએ જગાડ્યો નહિ તેમ કહે છે. આમ થવાથી શ્રેણી ઠપકે આપે છે. છેવટે ખરી હકીકત માતાને જણાવે છે અને ઘરમાં લાકડાં નથી તેમ માતાએ જણાવતાં શ્રેણીની નોકરી છોડી કાવડ લઈ વનમાં જાય છે, અને વિચારે છે કે, કઈ ઉત્તમ વૃક્ષ મળે તે તેને છેદી દારિદ્રરૂપી વૃક્ષનું છેદન કરું. તે ત્યાં એક દેવળ જેમાં યક્ષરાજ છે તેને જાએ છે. ત્યાં સુગંધ આવતાં એટલામાં ક્યાંઈ ચંદનવૃક્ષ હોવું જોઈએ, તેમ જાણી તે વૃક્ષ પાસે જઈ તેના ઉપરના સર્પોને ફેંકી દઈ કુહાડીવડે તેને એક કટકે કાપી કાવડમાં નાંખી પિતાને ઘેર આવતાં રાત્રિ પડતાં નગરના દરવાજા બંધ દેખી પૂર્વે દેખેલ કુલિકામાં રાત્રિ વિતાડવા આવે છે. ( અહિં તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy