SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩ : તેનું બહુમૂલ્ય વસ્ત્ર લઇને ઉપકાર કરનાર તે શિવાસ્વામીને આપે છે, હવે તે લઇ શ્રાહ્મણ તે સુવણૅ કારને ઘેર આવે છે. બ્રાહ્મણુ દૂરથી જોઇ નીચી દૃષ્ટિ કરી તેની સામું પણુ જોતા નથી. તને કૂવામાંથી કાઢનાર બ્રાહ્મણુ હુ' આવ્યે છું તેમ કહેતાં સેાની ઉંચું જોઇ તેને નમે છે. બ્રાહ્મણ તેને કહે છે કે આ મૂલ્યવાન ભૂષણુ મને દાનમાં મળ્યું છે, તેનું સારું' મૂલ્ય તું મને ઉપજાવી આપ. તેમ કહી બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા જાય છે, તેટલામાં રાજપુત્રને હણનાર અને તેનું બહુમૂલ્ય વસ્ત્ર લેનારને હણવાની પટધાષણા રાજા તરફથી થતી સાંભળી. સેાની તે આભૂષણુ પેાતાનું જ ધડેલુ છે અને રાજપુત્રનુ' છે તેમ જાણુતાં પોતાના માથે ગુન્હા સાખીત થશે તેમ જાણી આ બ્રાહ્મણુ મારી અપરિચિત છે અને તેને બદલે મારે મારાથી મારા અનથ શું કામ કરવા ? તેમ વિચારી રાજા પાસે જઇ તે વસ્ત્ર આપી કુવરને હણી વસ્ત્ર હરણુ કરનાર શિવાસ્વામીને જણાવે છે, જેથી રાજા તેને પકડે છે અને રાજાના સેવકેા વધ કરવાની ભૂમિ ઉપર લઇ જાય છે, જ્યાં સેાનીની કૃતવ્રતાને માટે બ્રાહ્મણુ તેને ધિક્કારે છે અને વાધ, સર્પ અને વાનરનું કશું નહિં માન્યું માટે પશ્ચાત્તાપ કરે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ વેશ્યા, પાસા, કૂતરા, ચાર, જળ, ખિલાડી, વાનર, અગ્નિ અને સુવ કાર( સેાની ) આટલા કાઇ વખતે વિશ્વાસ કરવા લાયક નથી. ” રસ્તામાં સપ તેને ઓળખી તે ઉપકારના ખèા આપવા ઉદ્યાનમાં જઇ ક્રીડા કરતી રાજપુત્રીને ...સે છે. રાજાને તે જાણુ થતાં દુ:ખી થાય છે અને મંત્રવાદીએ ખેલાવતાં એક માંત્રિક પેાતાના નિ`ળ જ્ઞાનવર્ડ રાજાને જણાવે છે કે, જે આ બ્રાહ્મણને મારવામાં આવે છે તે નિપરાધિ છે. વળી આણે વનમાં રહેલા સર્પ, વાનર, વાધ અને સાનીને એક વખત કુવામાંથી બહાર કાઢી ઉગાર્યાં હતા. તે બ્રાહ્મણુ અહિં આવતાં વાનર ફળવડે અને વાધે આપના પુત્રને હણી ઉપકારના બદલામાં તેનુ ભૂષણુ બ્રાહ્મણને આપતાં બ્રાહ્મણે કિંમત ઉપજાવવા આ સાનીને આપતાં તે સુવણુકારે વસ્ત્ર બતાવી આપના પુત્રને આ હણુનાર છે તેમ કહેવાથી આ બ્રાહ્મણને આપે હણવા આદેશ કર્યો છે. રસ્તામાં સપે ઉપકાર કરવા તમારી પુત્રીને ડસ્યા અને તેથી જો આ બ્રાહ્મણુ મુક્ત થાય તે આ તમારી પુત્રી જીવશે. તેની ખાત્રી માટે મંત્રવાદીએ સર્પને તે રાજપુત્રીમાં ઉતારતાં તે તેણીએ કબૂલ કર્યું. પછી રાજા બ્રાહ્મણુને મુક્ત કરતાં તે સપ તે ઝેરને ચુસે છે અને કુવરી સજીવન થાય છે. બ્રાહ્મણુ કહે છે કે “ આ પૃથ્વી ઉપર જેની મતિ ઉપકારને વિષે હાય, અને ખીજાનેા ઉપકાર ભૂલે નહિં એવા માત્ર એ જ પુછ્યા પૃથ્વીને ધારણુ કરો. ’’ પછી રાજા ખુશી થઇ તેને દેશ આપે છે. બ્રાહ્મણુ તેના દેશમાં જ નાગપૂજા કરી નાગપંચમી પ્રવર્તાવે છે ત્યારથી નાગપૂજા (નાગપોંચમીનું પર્વ શરૂ થયેલ છે) અહિં તે કયા કહી વાધ વાનરીને એમ કહે છે કે બ્રાહ્મણ જેમ સુવર્ણ કારથી વિપદા પામ્યા. તેમ આ નિષાદ તારા અનથ કરશે માટે મને આપ. ઘેાડા વખત પછી તે દૂરાત્મા નિષાદના ખેાળામાં માથું નાંખી વાનરી સુવે છે, જ્યાં વાધ પાસે આવી વાનરીને પેાતાના ભક્ષ માટે માંગે છે. જો નહિ આપે તે તુ ધેર જઈ શકીશ નહિ; કેમકે એક વાનરે રાજાને હણ્યા હતા તે તું જાણતા નથી એમ કહેતાં નિષાદને વાધ કથા કહે છે. નાગપુરનગરમાં પાવક નામના રાજાને વિપરીત શિક્ષાવાળા એક અશ્વ ખળાકારે ક્રીડા માટે લઇ જાય છે, ત્યાં ભૂખ્યા, તરસ્યા તે રાજાને એક વાનર મળ્યે, અને સુદરા લાવી રાજાને આપે છે, તેટલામાં મત્રી, સામા સહિત તેનુ સૈન્ય ત્યાં આવે છે. પછી રાજા તે વાનરને પોતાના નગરમાં લઈ જાય છે. તેને સ્વાદિષ્ટ ખારાક આપે છે. પેાતાના ઉપર કરેલ ઉપકાર વારંવાર સભારે છે. એક દિવસ રાજા વસંતઋતુમાં વનને વિષે આવે છે ત્યાં તે વાનરને પેાતાના અંગરક્ષક તરીકે રાખી કદલીગૃહમાં સૂતા, જ્યાં તે કુમુદ્ધિવાળા વાનરે ભમરાના મિષથી ખડ્ગવડે રાજાની કધરા કાપી નાંખી. તેની જેમ તારા માટે પણ આ હિતકારક નથી. તે સાંભળી તે નિષાદ તે વાનરીને વાધની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy