________________
* ૩૫ ?
તીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. વરસીદાન આપી તીર્થકર ભગવાન દીક્ષા લે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ભવિછના ઉપર ઉપકાર કરતાં પ્રભુ અનેક સ્થળે વિચારે છે. દરમ્યાન દઢરથ તથા મેઘરથ દેવરમાણુ ઉદ્યાનમાં આનંદ કરવા જાય છે. ત્યાં વિમાનમાંથી વિદ્યાધર સિંહ રથ અને તેની ભાર્યા વગવતી ત્યાં આવે છે. તે બંનેનું સુંદર સ્વરૂપ જોતાં મેઘરથની રાણીના પૂછવાથી તેને પૂર્વભવ જણાવે છે. સંઘપુર નગરમાં રાજગુપ્ત નામનો કુલપુત્ર હતું, જેને શખિકા નામની સ્ત્રી હતી. નિર્વાહના માટે તે બંને બીજાને ઘેર કામ કરતા હતા. એક વખત કાષ્ટ લેવા જતાં એક મહામુનિને જોઈ નમસ્કાર કરે છે. અને મુનિશ્રી જિનેશ્વરે કહેલ ધમ સંભળાવે છે. જેથી તેઓ બત્રીશકલ્યાણક નામને શ્રેષ્ઠ તપ કરે છે. શ્રદ્ધાપૂર્વક તે તપ કરતાં પારણાના દિવસે એક મુનિરાજને ભાવપૂર્વક વહેરાવે છે. છેવટે દીક્ષા લે છે. રાજગુપ્ત આચાર્મ્સ તપ કરે છે. આયુષ્ય પૂરું થતાં બંને બ્રહ્મલોક દેવલોકમાં જાય છે. ત્યાંથી ચ્યવી આ તે સિહરથ અને વેગવતી થયા છે. બંનેએ પૂર્વભવ સાંભળી તીર્થકર મહારાજ પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. ( પા. ૧૧૬-૧૧૮ ). હવે એક વખત મેઘરથ રાજા પિષધવ્રત ! ગ્રહણ કરે છે અને પૈષધશાળામાં સર્વ રાજાઓને ધર્મદેશના આપે છે તેટલામાં ભયગ્રસ્ત થયેલે, કંપતા શરીરવાળે એક પારે (પારાપત) “હે રાજા! હું તમારે શરણે છું.” એમ મનુષ્યવાણીથી બેલતો
ખેાળામાં પડે છે. તેની પાછળ એક ક્રર સ્પેન પક્ષી સિંચાણે) આવી “ તમારા ખોળામાં પડેલ પારાપત મારું ભક્ષ્ય છે, માટે ભૂખ્યા એવા મને આપો” તેમ કહે છે. મેઘરથ રાજા કહે છે કે મારે શરણે આવેલાને હું આપી શકતો જ નથી. કારણકે “ શુરવીરને શરણે આવેલ, સપને મણિ, સિંહની કેશવાળી અને સ્ત્રીનું ઉરૂસ્થળ આ પદાર્થો તેમનાં જીવતાં કોઈથી લઈ શકાતા નથી. ” વલી બીજાના પ્રાણવડે પિતાનું પોષણ કરવું તે કાર્ય નરકમાં લઈ જનાર છે. તારું એક પીંછુ છેદવાથી તને જે દુઃખ થાય છે તેમ બીજાને પણ થાય છે. વળી તેના નાશથી ક્ષણવાર તને કદાચ તૃપ્તિ થાય પણ આના સર્વનાશથી ( જીવહિંસા થવાથી ) જરૂર તું નરકે જઈશ. જેથી દયાદિ ગુણવડ કરી જેમ એક વાનરી સ્વર્ગે ગઈ તે દષ્ટાંત સાંભળ
હરિકાંતા નગરીમાં હરિપાળ નામને રાજા હતા. તે નગરમાં એક ક્રૂર નિષાદ નામને હિંસક રહેતા હતા. તે નગરની બહાર દયા વગેરેના ગુણવાળી હરિપ્રિયા નામની વાંદરી હતી. ત્યાં એક દિવસ ભયંકર સિંહને જોતાં તે નિષાદ અહીકથી વૃક્ષ ઉપર ચડી ગયે, જ્યાં આ વાનરી જેમાં પ્રથમ ભય પામે. છેવટે પ્રસન્ન મુખવાળી તેણીને જોતાં તેની પાસે નિષાદ બેસે છે, તેવામાં સિંહ વાનરીને કહે છે કે તે મનુષ્યને મને આપ, કારણ કે આ જગતમાં કોઈ પણ ઉપકારને જાણતું નથી તેમાં મનુષ્ય તે વિશેષ કરીને જાણતા નથી. માટે તેના ઉપર તને સુવર્ણકારની કથા કહું છું તે સાંભળ
એક ગામમાં શિવસ્વામી નામને બ્રાહ્મણ તીર્થ કરવા નીકળે છે. રસ્તામાં તૃષા લાગવાથી એક પુરાણે કો જોતાં તેમાં દેરડીને નાંખતાં તેને પકડી એક વાનર, બીજી વખત નાંખતાં વાઘ અને સપ નીકળ્યાં. હવે જાતિસ્મરણ જ્ઞાનવડે તે વાનરે અક્ષરો વડે લખી બ્રાહ્મણને જણાવ્યું કે અમે મથુરા નગરીની પાસે રહીયે છીયે, આ ઉપકારના બદલામાં તારું કંઈ કરીશું, માટે તું ત્યાં આવજે. હવે આ કુવામાં એક કMી મનુષ્ય પડે છે તેને તારે બહાર કાઢવો નહિં. એમ કહી તેઓ ચાલ્યા ગયા પછી દયાળુ બ્રાહ્મણ તેના ઉપર ઉપકાર કરવા તેને પણ બહાર ખેંચી કાઢે છે અને તેને પૂછતાં તે કહે છે કે હું સુવર્ણકાર(સેની) મથુરાને રહેનાર છું. તારે ઉપકાર થયે, તું હવે મથુરામાં આવજે, પછી કેટલાક દિવસે બ્રાહ્મણ મથુરામાં આવે છે અને વાનર તેને જોઈ હર્ષ પામી મનહર ફલે લાવી તેનું સન્માન કરે છે. વાઘ તેનું સન્માન કરવા માટે વાડીમાં જઈ અવિવેકીપણુવડે ત્યાં રહેલા રાજપુત્રને મારી નાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org