SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ : વિષે જન્મે છે અને સહસ્રાયુધના જીવ તેમની ખીજી રાણી મનાહરીની કુક્ષિમાં પુત્રપણે જન્મે છે. જ્યાં અનુક્રમે તેમના મેઘરથ અને દૃઢરથ નામ પાડવામાં આવે છે. બાલપણામાં કલાચાર્ય પાસે બહેાતેર કલા શિખે છે જે નામેા જાણુવા જેવા છે. ( પા. ૧૧૩ ). હાલના કાળમાં કલા શિખવવામાં આવતી નથી તેમ તેવા શિખવનાર કલાચાર્યું પણ નથી. યૌવનવય થતાં સુદિર નગરના રાજા નિહુતારી રાજાની બે પુત્રી પ્રિયમિત્રા અને મનારમાને મેધરથ પરણે છે અને તેની નાની મ્હેન સુમતીને દઢરથ પરણે છે. મેશ્વરથને તેની બે પત્નીએથી અનુક્રમે નંદીષેણ અને મેધસેન નામના બે પુત્રા થયા અને દઢરથને થસેન નામનેા એક પુત્ર થાય છે. એક દિવસ ધનરથ રાજા પુત્ર, પૌત્રા સહિત રાજસભામાં બેઠેલ છે, જે વખતે નવા શિખેલા પોતાના પુત્રાની પરીક્ષા કરવા પુત્રને જણાવે છે કે, તમારી બુદ્ધિને પ્રકાશ કરવા સામસામા પ્રશ્નોત્તર કરો, જેથી પરસ્પર અને ભાઇએ તેમ કરતાં જે પ્રશ્નો પૂછે છે તેને બીજો ઉત્તર આપેછે. જેના ઉત્તરા કલાભ્યાસ, મહીપતિ, જીવરક્ષા અને ભાવના આ ચાર જવા આપે છે તે જાણવા જેવા છે. ( પા. ૧૧૩), પૂર્વકાળમાં પુત્રએ લીધેલા શિક્ષણની પિતા પરીક્ષા કરતા હતા. આજે જ્યાં પિતા તેવા શિક્ષિત પણ નથી તેમ તેવા કલાચાર્યે પણ નથી. વળી આ દેશને આ કાળને ખધખેસતુ શિક્ષણ પણ મળતુંઅપાતું નથી. પરંતુ પરદેશનું અનુકરણવાળુ શિક્ષણ છે ત્યાં આવી શી આશા રખાય? એટલામાં ત્યાં રાજસભામાં એક ગણિકા પોતાના કુકડાને બતાવી, તેને કાઇ ખીજાને કુકડા જીતે તે તેને એક લાખ રૂપી આપવા રાજાને જણાવે છે. ત્યાં રાણી પોતાના કુકડા લાવી તેની સાથે યુદ્ધ કરાવતાં એમાંથી ક્રાઇ ન હારવાથી તેનુ કારણ તીર્થંકર મહારાજ ધનરથને જણાવે છે. (પા. ૧૧૫ ). ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં ધનદ અને સુદત્ત નામના બે મિત્રા હતા. મિથ્યાપણાએ કરી ખાટા તેલ, માપ વગેરેના આન્તધ્યાનના વ્યાપારવડે અરસ્પરસ મરી પ્રથમ હાથી, ખીજે ભવે અયેાધ્યા નગરીમાં નદીમિત્રને ત્યાં પાડા થયા, ત્યાંથી મરી ધેટા ત્યાંથી મરી આ બે કુકડા થયા છે. અને તે કુકડા મેાટા ક્રોધવાળા ખેચરથી અધિષ્ઠિત છે. તે ખેચરાના પણ પૂર્વ ભવ મેમ્બરથ પિતાને કહે છે. વૈતાઢ્ય પર્વત ઉપર સુવર્ણનાભ નગર તેને ગરૂડવેગ રાજા, તેને ચતિલક અને સુરુતિલક નામે બે પુત્રા હતા. તે અંતે એક વખત શાશ્વતા અરિહંતની પ્રતિમાને વાંદવા મેરુ પર્વત પર જાય છે. ત્યાં સાગચંદ નામના ચારણુ મુનિને વાંદી પોતાના પૂર્વભવ પૂછતાં મુનીશ્વર જણાવે છે કે ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં વાપુર નગર અને તેને જયાષ નામે રાજા ને સુવર્ણતિલકા નામે રાણી હતી. તેને જય અને વિજય નામે બે પુત્ર હતા. સુવર્ણનગરના શ ́ખ રાજાને પૃથ્વીદેવીથી ઉત્પન્ન થયેલી પૃથ્વીસેના નામની એક પુત્રી હતી તેને અભયધેાષની સાથે પરણાવી હતી. એક વખતે સા રાણીઓ સહિત વસંતઋતુમાં ક્રીડા કરવા જાય છે, જ્યાં પૃથ્વીસેના દ་તદમન નામના મુનિને જોઈ ઉપદેશ સાંભળી દીક્ષા લે છે. રાજા નગરમાં આવે છે. એક દિવસ તેને ધેર છદ્મસ્થ અનત તીર્થંકર પધારતાં પ્રાસુક અન્ન વહેારાવે છે. અને પછી રાજા પેાતાના એ પુત્રા સહિત દીક્ષા લે છે. વીશ સ્થાનક તપવડે તીર્થ ંકર ગાત્ર બાંધી સ્વગે` જાય છે. અહિં અભયધેષને જીવ ત્યાંથી ચ્યવી હેમાંગદ રાજાના ધનરથ નામે પુત્ર થાય છે. જય વિજયના જીવ ત્યાંથી ચ્યવી તમારા પુત્રા થયા. હે પિતા ! તે મુનીશ્વરે તે બંનેને કહેવાથી ઉત્સુક થયેલા તે એ વિદ્યાધરો અહિં આવી યુદ્ધ કરતા આ બે કૂકડાને જોઈ વિદ્યાવડે તે એ વિષે અધિષ્ઠિત થયા. મેશ્વરથે કહેલ પૂર્વભવની વાત સાંભળી તે ખેચરા ત્યાં પ્રગટ થઈ પૂર્વભવ જાણી પેાતાને હવે શુ કરવુ તે પૂછ્તાં ધનરથ રાજા સમકિત સહિત અહિંસાયુક્ત ધમ સભળાવે છે. ત્યાંથી મરી અને વ્યંતર દેવ થાય છે. હવે સમય થતાં લેાકાંતિક દેવા આવી ધનરથ તીર્થંકર ભગવાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy