________________
: ૩૩ :
પા. ૧૦૭ થી પા. ૧૦૯ માં છે જે ગ્રંથ વાંચતાં ત્યાં રસની ક્ષતિ ન થાય તેમજ ગ્રંથની મહત્વતા ઓછી ન થાય માટે અહિં સંક્ષિપ્તમાં અહિં આપી છે. હવે અહિં રાજા તેને મુખ્ય મંત્રી બનાવે છે.
મતિજ્ઞાની પુરુષો મતિજ્ઞાનના ક્ષયોપશમથી કેટલું જાણી-કહી શકે છે, તે આત્માને કે અપૂર્વ ગણ છે અને જૈન શાસ્ત્રો આ અને બીજા દરેક વિષયોમાં કેટલા ઊંડા ઉતર્યા છે. અને તેથી જ જેનદર્શન, સનાતન દર્શન, સર્વ નય દર્શન, શ્રી સ્યાદ્વાર દર્શન હેવાથી જ તે સર્વ દર્શનમાં મુખ્યત્વે સત્ય, પ્રમાણિક માત્ર જૈન દર્શન છે તેમ તેથી જણાય છે. શ્રદ્ધાળુ વાંચકે આવા ગ્રંથનું મનનપૂર્વક પરિશીલન કરે ત્યારે જ તેઓ આત્મિક આનંદ પ્રાપ્ત કરે છે. હવે ક્ષેમકર પ્રભુ મતિજ્ઞાનનાં બીજા ભેદે જણાવે છે. વિનયવડે ગુરુ પાસે ભણેલા પણ નિમિતદિક શાસ્ત્રને વિષે સારા વિચાર કરનારી વૈનાયિકી બુદ્ધિ, કારીગર અને લેખકના ઘર અને ચિત્રાદિક કરવામાં ક્રિયાથી જે ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ અને પરિણામના વશથી સર્વ વસ્તુનો નિશ્ચય કરવાથી પ્રતિબોધ કરનારી પરિણમિકી બુદ્ધિ છે. એ ચારે પ્રકારની બુદ્ધિ મતિજ્ઞાન વિષયક છે. આ જ્ઞાન હોવાથી પ્રાણીઓને શ્રુતજ્ઞાન પ્રગટ ઉત્પન્ન થાય છે.
જે ભણવાથી ત્રણ કાળના વિષયવાળી વસ્તુ જણાય છે તે સ્વર, વ્યંજન, વગેરે શ્રુતજ્ઞાન કહેલું છે. જેના વડે પ્રાણીઓના કેટલાક ભવો જણાય તે સર્વ દિશામાં અવધિવાળે અવધિજ્ઞાન છે. સંક્તિ જીવોના મનના ભાવો જેના વડે જણાય છે તે મન:પર્યવ નામે એથું જ્ઞાન છે. સર્વે ઠેકાણે હંમેશાં કોઈ પણ પ્રકારે સ્કૂલના ન થાય, અનંત પ્રાણી પદાર્થો પરનું, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું, ઉત્પત્તિ સ્થિતિ ને લયનું એક સમય માત્રનું જ્ઞાન જે સિદ્ધિસુખને કરનારું તે કેવલજ્ઞાન છે. દેશના પૂરી થયા બાદ વાયુધે ઘેર જઈ સહસ્ત્રાયુ ને ગાદીએ બેસાડી પછી ચાર હજાર રાજાઓ રાણીઓ અને સાતસો પત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી વિહાર કરતાં કરતાં એક વખત સિદ્ધિ પર્વત ઉપર પધાર્યા. ત્યાં વૈચન તંભ ઉપર સુંદર શિલા ઉપર એક વર્ષની પ્રતિમાં ધારણ કરી રહ્યા. અહિં અશ્વગ્રીવના પુત્રો મણિકુંભ અને મણિધ્વજ જે દેવપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાં આવે છે અને પિતાનું વૈર સંભારી અનેક ઘર ઉપસર્ગો કરે છે. જે વખતે રંભા અને તિજોત્તમા નામની ઈદની બે અગ્રમહિલીએ તે વાયુધ મુનિને નમસ્કાર કરવા ત્યાં આવે છે, તેમને જોતાં બંને દે નાસી ગયાં. દેવીઓએ તેને ભયંકર તજના કરી. પછી મુનિ પાસે ઉત્તમ નૃત્ય, ભક્તિ કરી, પ્રણામ કરી બંને સ્વસ્થાને ગઈ. પછી પ્રતિમાધારી વજાયુધ મુનિ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ક્ષેમંકર પ્રભુ મેક્ષમાં પધાર્યા પછી પિહિતાશ્રવ નામના ગણધર સહસ્ત્રાયુધના નગરમાં આવ્યા. તેને પ્રતિબંધ સાંભળી પિતાના પુત્ર શતબલને રાજ્ય આપી દીક્ષા લીધી. પછી પિતા પુત્ર મળ્યા ને વિવિધ પ્રકારનાં તપ કરી ઈન્સ્ટાગુભાર નામના પર્વત ઉપર જઈ તે બંને પાદપપગમવડે અનશન કરી રહ્યા, પછી બંને મુનિઓ શરીરનો ત્યાગ કરી નવમાં શ્રેયકમાં ગયા. એ રીતે આ પ્રસ્તાવમાં શાંતિનાથ પ્રભુના આઠમા નવમા ભવનું વર્ણન કરવામાં આવ્યું તે સંધનું કલ્યાણ કરનારું થાઓ તેમ જણાવી આ પ્રસ્તાવ ગ્રંથકર્તા આચાર્ય મહારાજ પૂર્ણ કરે છે.
પ્રસ્તાવ ૫ મ. (પા. ૧૧૩ થી ૧૫૦ સુધી) આ પ્રસ્તાવમાં પ્રભુના દશમાં અગીયારમા ભવનું વર્ણન આચાર્ય મહારાજ જણાવે છે. વાયુધને જીવ રૈવેયકથી એવી જંબૂદીપના મહાવિદેહની પુષ્કલાવતી નામની વિજયમાં પુંડરીકિણ નામની નગરીમાં ઘરથ નામના રાજા તીર્થકર હતા તેની પ્રીતિમતી નામની રાણીની કુક્ષિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org