________________
: ૩૧ :
કરું છું. જ્યારે રાજા તેને કોઈ ઈષ્ટ મિત્ર હોય તે આને બોધ પમાડી મૃત્યુમાંથી બચાવે, એમ આદેશ કરતાં પુણ્યસાર તે જાણી ત્યાં આવે છે અને પુણ્યસાર મિષ્ટ વચનેવડે દુઃખનું કારણ જણાવવાનું કહેતાં તે કહે છે કે જેનાથી હું દુઃખી થાઉં છું તે દેખાતું નથી. ત્યારે તે લખેલા લેકો બેલી કહે છે કે આ પ્લેકે તે લખ્યા છે ? પુણ્યસારે હા કહેતાં હું ગુણસુંદરી નામની તમારી પ્રિયા છું કે જેમને તમે તેરણના કારમાં મૂકી ચાલ્યા ગયા હતા જેથી તમારા માટે જ મેં આ પ્રયાસ કર્યો છે, પછી તેણીના કહેવાથી પિતાના ઘેરથી પુણ્યસાર સુંદર સ્ત્રીવેષ મંગાવી આપે છે. ગુણસુંદરી પતિ અને સર્વને વાંદે છે. રાજાને પુયસાર સર્વ વૃત્તાંત જણાવે છે. અહિં રત્નસાર શેઠ રાજાને જણાવે છે કે મારી પુત્રીને જે પરણે આ પુયસારની સ્ત્રી છે જેથી મારી પુત્રી પણ પુણ્યસારની સ્ત્રી થાય. પછી વલભીપુરથી આવેલી સર્વ સ્ત્રીઓ અને રત્નસુંદરી વિ. આઠ પુણ્યસારને ઘેર આવે છે. હવે એકદા જ્ઞાનસાર નામના આચાર્ય ભગવાન પધાર્યા જેને વાંદવા પુર દર, પુસાર સહિત જાય છે અને વાંદી પુણ્યસારે પૂર્વે શું પુણ્ય કર્યું હતું તે કૃપા કરી જણાવે તેમ પૂછતાં અવધિજ્ઞાનધારક આચાર્ય મહારાજ જણાવે છે કે, નીતિપુર નગરમાં એક સંતાન રહિત કુલપુત્ર હતા. સંસારથી ઉગ પામેલા તેણે સુધર્મ મુનિ પાસે દીક્ષા લીધી. તે સમ્યફ પ્રકારે પાંચ સમિતિ અને બે ગુપ્તિ, સાત પ્રવચન માતાનું પાલન કરતા હતા પરંતુ એક કાય ગુપ્તિમાં દઢ નહોતા. જ્યારે જ્યારે કાયોત્સર્ગમાં રહેતા અને દંશ, મશકનો ઉપદ્રવ થાય ત્યારે વખત પૂર્ણ થયા પહેલાં મારતો હતો. પછી ગુરુમહારાજ તેને થતાં આવશ્યકખંડન તથા વ્રતના ભંગથી માટે દેશ થાય છે તેમ શિખામણ આપતાં કાયપ્તિને નિર્વાહ કરવા લાગ્યા. છેવટે સમાધિપૂર્વક મરણ પામી તે પ્રથમ દેવલોકમાં ગયે. ત્યાંથી એવી હે શ્રેણી ! તારો પુત્ર થયો છે. પૂર્વભવે સાત પ્રવચન પાળવાવડે સાત ક્રિયાથી અને એક પ્રવચન માતાને કષ્ટવડે પાળવાથી તેની એક પ્રિયા પણ તે જ પ્રમાણે થઈ જેથી ધર્મકાર્યમાં હંમેશાં અપ્રમાદ કરવો જોઈએ. પછી પુરંદરે દીક્ષા લીધી અને પુણ્યસારે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. છેવટે પુત્રો થતાં દીક્ષા લીધી અને છેવટે સુગતિને ભજનાર થશે.
આ પ્રમાણે પુણ્યસારની કથા સાંભળી કનકશક્તિએ ગુરુ પાસે તેમજ તેની બે પ્રિયાએ વિમલમતિ સાધ્વી મહારાજ પાસે દીક્ષા લીધી. એક દિવસ કનેકશક્તિ મુનિ સિદ્ધિપર્વત ઉપર જઈ
એક રાત્રિ પ્રતિમાએ રહ્યા છે ત્યાં પૂર્વ ભવને વૈરી હિમચૂલ નામના દેવે ઉપસર્ગો કર્યા જ્યાં વિદ્યાધરોએ તેને નિવારણ કર્યા. પછી પ્રભાત થયા પછી તે મુનિ રતનસંચયા નગરીના સુરનિપાત નામના ઉધાનમાં ત્યાં ચાર ઘાતી કર્મો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં દેવો, વાયુધ ચક્રી વગેરેએ
જ્ઞાનને મહિમાં કયી. પછી એક દિવસ ક્ષેમંકર જિનેશ્વર ઈશાન દિશામાં સમવસયો. ચક્રીને વધામણી મળતાં ત્યાં આવી જિનેશ્વરને વાંદી ધર્મદેશના સાંભળવા યોગ્ય સ્થાને બેઠે. પછી સહસ્ત્રાયુધ ૫ણ ત્યાં આવી પ્રભુને વાંદી વિનંતિ કરી કે પવનવેગ વગેરેના પૂર્વ અને પછીના ભાવો મારા પિતાજીએ શી રીતે જાણ્યા? મને તે મોટું કૌતુક થયું છે. ભગવાને કહ્યું કે હે! સહસાયુધ, વાયુધે અવધિજ્ઞાનવડે તેના ભવનું સ્વરૂપ જાણ્યું છે. આ જ્ઞાન કેટલા પ્રકારનું તેમ ફરી પૂછતાં પ્રભુએ કહ્યું કે-આ જ્ઞાન આગમમાં પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. ૧ મતિ, ૨ શ્રત, ૩ અવધિ, ૪ મન:પર્યવ, ૫ પાંચમું કેવલજ્ઞાન છે. બુદ્ધિ, સ્કૃતિ અને પ્રજ્ઞા તે મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો છે તેના જુદા ભેદ બુદ્ધિમાન જનોએ કહેલ છે. ભવિષ્યકાળના વિષયવાળી મતિ કહી છે, વર્તમાન કાળના વિષયવાળી બુદ્ધિ છે અને ભૂતકાળના વિષયવાળી સ્મૃતિ છે. ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા છે. અત્યાવરણ કમને ક્ષય થવાથી ચાર પ્રકારની ૫ત્તિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની છે. પૂર્વે નહિં જોયેલી અને નહિં સાંભળેલી વસ્તુ વિષે તરત જે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને ડાહ્યા પુરુષો અત્પત્તિકી બુદ્ધિ કહે છે જેને વિષે ભારતવર્ષમાં શિલા વગેરે વસ્તુને જાણવામાં રોહકનું દૃષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org