________________
: ર૯:
એક દિવસ પિતાના જ કુલદેવતાને નમસ્કાર કર્યા વિના પ્રાર્થના કરી કહ્યું કે–અમારા પૂર્વજો અને મેં આ લેકના સુખ માટે પૂજા કરી છે, તે મારે પુત્ર ન હોવાથી તારી પૂજા કેણુ કરશે માટે અવધિજ્ઞાનવડે જઈને કહે કે મારે પુત્ર થશે કે નહિં? કુલદેવતાએ કહ્યું કે ધર્મ માં નિરંતર પ્રવર્તાતા એવા તને કેટલાક વખત પછી પુત્ર થશે. નિરંતર વિશેષ પ્રકારે ધર્મ કરતાં તેની સ્ત્રીની કુક્ષિમાં કઈ પુણ્યવંત જીવ આવ્યો. યોગ્ય સમયે જન્મ થતાં તેનું પુણ્યસાર નામ પાડયું. હવે તે જ નગરના રત્નસાર નામના શ્રેણીની રત્નસુંદરી નામની કન્યા અને આ પુણ્યસાર એક જ કલાચાર્ય પાસે ભણતા હતા. એક બીજા પરસ્પર વિવાદ ચર્ચા કરતાં પુણ્યસાર તેણુને કહે છે કે તું ગમે તેટલી કળાવાળી હવા છતાં છેવટ પુરુષના ઘરમાં દાસી થવાની છે. તેણી બોલી કે કઈ ભાગ્યશાળીની દાસી થઈશ પણ હું તારી સાથે નહિં પરણું. પુણ્યસાર કહે છે કે હું તને પરણીને દાસી કરું તે જ હું ખરેખર પુરુષ છું તેમ જાણજે. પછી પુણ્યસાર ઘેર આવી ગ્લાન મુખવાળા થઈને સૂતા છે. જ્યાં તેને પિતા આ દશ્ય જોઇ તેનું કારણ પૂછતાં તે કહે છે કે “રત્નસુંદરીના પિતા પાસે હમણાં જ માંગણી કરો અને તેને મને પરણું તે જ સ્વસ્થ થાઉં અને ભજન કરીશ.” પછી શેઠ રત્નસાર શ્રેણીને ઘેર જઈ પિતાના પુત્રની સાથે તેની પુત્રીના વિવાહની માંગણી કરે છે. રત્નસાર કબૂલ કરે છે તે દરમ્યાન તેની પુત્રી રત્નસુંદરી જે પાસે બેઠેલ છે, તે પોતાના પિતાને કહે છે કે હું પુરયસારની ભાર્યા નહિં થાઉં. આ સાંભળી પુણ્યસારનો પિતા વિચારે છે કે આ મારા પુત્રને પરણી શું સુખ આપશે ? હવે રત્નસાર શ્રેણી કહે છે કે–તે બાલિકાના વચન ઉપર વિચાર ન કરશે. અને હું તે કન્યાને અવશ્ય આપી ચૂકયો છું. પછી પુરંદર પિતાને ઘેર આવી પુત્રને કહે છે કે તે કન્યા તારે યોગ્ય નથી. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે,
ખરાબ શરીરવાળી, રનેહ રહિત, લજજા, શીલ અને કુળવડે ત્યાગ કરાયેલી, અતિ ઉદ્ધત તથા ખરાબ મુખવાળી સ્ત્રીને ત્યાગ કરવો.” પછી પુણ્યસાર એમ સાંભળી પોતાની કુળદેવીને ઉત્તમ પદાર્થો ફળ, નૈવેદ્ય વગેરે વડે પૂજા કરી પ્રાર્થના કરે છે કે, આજે મારી ભાર્યા સંબંધી વાંછા પૂર્ણ કર અને નહિં કર ત્યાં સુધી બેસીશ અને ભેજન નહિં કરું.
પછી દેવીએ કહ્યું કે ધીમે ધીમે સારું થશે. હવે કેટલેક કાળ ગયા પછી કોઈ કર્મવેગે ધ્રુત( જુગાર ) માં તે આસક્ત થયો. અને પછી એક વખત પિતે એક લાખ રૂપિયા હારવાથી લાખના રાજાના અલંકારને ઘરમાંથી ચોરી તે જુગારીના સ્વામીને તેણે આપ્યા. રાજાના માંગવાથી તે અલંકાર ઘરમાં નહિં જવાથી ખેદ પામેલા તે પિતાને પુત્ર જ આ ગુપ્ત સ્થાન જાણતો હતે માટે નક્કી તે જીગારમાં હારી ગયે હશે એમ પુરંદરે જાણું પુત્રને કહે છે કે તે અલંકારો લઈને મારે ઘેર આવવું તેમ કહી તેને કાઢી મૂકે છે. રત્નસાર દિવસ અસ્ત થયાં તે નગરની બહાર એક વડના વૃક્ષની કાતરમ પેસે છે. અહિં રત્નસારની માતા તે જાણતાં ક્રોધ પામી પુરંદર શેઠને કહે છે કે કાં તે પુત્રને લાવે, નહિ તે તમે પણ આ ઘરથી દૂર જાઓ. તે રીતે દુઃખી થયેલ પુરંદર શેઠ નગરમાં પુત્રની શોધ કરવા નીકળી પડે છે. પછી રત્નસારની માતા પણ તે માટે પશ્ચાત્તાપ કરે છે અને અશ્રપાત કરે પુણ્યસાર તે વૃક્ષના કોતરમાં રહી રાત્રિને વિષે ઊંચેથી અવાજ સાંભળે છે જેમાં એક દેવી બીજી દેવીને કહે છે કે ખાલી ભમવા કરતાં આજે કંઇ કૌતુક જોવા જવું હોય તે વલ્લભીપુર જઈએ, જ્યાં ધનપ્રવર નામને શ્રેણી છે જેને ધનવતી નામની ભાર્યાથી સાત કન્યાઓ થઈ છે. ધર્મસુંદરી, ધનસુંદરી, કામસુંદરી, મુકિતસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી છે. તેઓ વરપ્રાપ્તિ માટે ગણપતિદેવને મોદક કરી ધરી સંતુષ્ટ કર્યાથી તેણે કહ્યું કે હે એકી ! આજથી સાતમે દિવસે તારા લગ્ન સમયે તેં સર્વ સામગ્રી તૈયાર કરી હશે ત્યારે સાદા વેષવાલી બે સ્ત્રીઓની પાછળ એક પુરુષ આવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org