SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તેને ચાર પુત્ર ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત નામના હતા. તેને અનુક્રમે ઉઝિકા, ભૂમિકા, પત્રિકા અને રોહિણી નામની ચાર ભાર્યાઓ હતી. અહિં શ્રેણી વિચારે છે કે “ ઘરની સ્ત્રીઓ વડે જ ઘર વતે છે. જે ઘરમાં સ્ત્રી ઘરનાં માણસે જમ્યા પછી જમે, સર્વને સૂતા પછી સૂવે, તથા સર્વથી પ્રથમ જાગે વગેરે ગુણો વડે ગૃહણ કહેવાય છે માટે મારે આ ચારે વહુઓની પરીક્ષા કરવી, કે જેથી સર્વથી અધિક ગુણવાળી વહુ, ગૃહની સ્વામીની થાય. એમ વિચારી એક દિવસ પ્રથમ વહુને શાલિના દાણ આપી સૌ દેખતાં કહ્યું કે-તે હું માંગું ત્યારે આપવા. ત્યારે પિતાના સસરાને બધા દેખતા આપવા શું જરૂર હતી, તેમની બુદ્ધિ વૃદ્ધાવસ્થાને લઈને બરાબર નથી, ઠીક છે, માંગશે ત્યારે બીજા આપીશ એમ કહીને ફેંકી દીધા. બીજીને આપતાં તે વિચાર કરી તે ફતરા રહિત કરી ખાઈ ગઈ. ત્રીજીને આપતાં તે વડિલનું કાર્ય છે તેમ માની સારા વસ્ત્રમાં બાંધી ઘરેણાની પેટીમાં રાખ્યા અને ચોથીને આપતાં તેના ભાઇને આપ્યા. તેણે વર્ષાકાલમાં ખેતરમાં વાવ્યા અને ઘણા ફલવાળા થયા. પ્રથમ વર્ષે એક પ્રસ્થ, બીજા વર્ષોમાં ઘણુ કુંભ, પછી પાંચમે વર્ષે શાલિના સેંકડો પલ્ય થયા. પછી શેઠે સર્વે લેકેને જમાડ્યા; બાદ પ્રથમ વહુ પાસે માંગતા અને તેને સોગન આપી સત્ય વાત જણાવવાનું કહેતાં બીજા કણ આપ્યાની વાત કહી, જેથી શેઠે તેને ઘરનું વાશીદું, છાણુ વગેરે કાર્ય તે વહુને કાઢવાનું હૈયું, બીજી વહુને પૂછતાં હકીકત જાણતાં ઘરની રસોઈનું કામ તેને સોંપ્યું. ત્રીજીને પૂછતાં હકીકત જાણતાં તેને સુવર્ણ વગેરે ભંડારની અધિકારી ઠરાવી. ચોથી વહુને પૂછતાં તેની હકીકત જાણતાં શેઠે દીર્ધદષ્ટિ વાપરી ઘરની અધિકારી નીમી. પૂર્વકાળમાં શ્રેણીએ વહુઓની પરીક્ષા અનેક રીતે કરતાં અને જે જેનો અધિકાર હોય તેને ઘરને કારભાર સોંપતાં જેથી ગૃહવ્યવસ્થા ઉચ્ચ પ્રકારની બનતી. અતિથિઓને યોગ્ય સત્કાર થત, સંસ્કારી કુટુંબ પણ કહેવાતું. આ કાળમાં કઈપણ જાતની પરીક્ષા કે દીર્ધ દષ્ટિએ કાર્ય થતું જોવામાં આવતું નથી, જેથી અનેક ઘરે ફ્લેશ યુક્ત અને અવ્યવહાર જોઈ શકાય છે તેમજ સંભળાય છે. અહિં આ કથાને ઉપનય કરી ગ્રંથકર્તા જણાવે છે કે “શ્રેણી જેવા ગુરુ જાણવા. પાંચ શાલિ કણે તે પાંચ મહાવ્રતે, કુલના મેલાપ જેવા ચાર પ્રકારને સંધ જાણો. વહુની જેવા દીક્ષિત સાધુ સાધ્વી જાણવા. મહાવ્રતનું દાન ( આપવું) તેની સમીક્ષા કરાય છે. વ્રતને ત્યાગ કરનાર જે શિષ્ય હોય તે ઉઝિકા જેવો તે આ લેક તથા પરકમાં દુ:ખનું ભાજન થાય છે. જે વેષ માત્ર વડે આજીવિકા કરનાર હોય તે બીજી વહુ જે, વ્રતનું પાલન કરવામાં પ્રીતિવાળો તે ત્રીજી વહુ જે અને જે સૂરિ ધર્મદેશનાવડે બીજાઓમાં વ્રતનું આરોપણ કરીને તેના ધર્મની વૃદ્ધિ કરનાર હોય તે ચેથી વહુ જે માને છે. આ કથા વીર જિનેશ્વરના વારે થવાની હોવાથી અહિં પાંચ વ્રત કહેલા છે. હમણાં તે (તે વખતે તે) વ્ર ચાર જ છે. એ રીતે શિક્ષાની કથા સાંભળી જિતશત્રુ પ્રત્રજ્યાનું પાલન કરવા લાગ્યા તેથી હે ભવ્યો. પરીક્ષા કરીને અહિંસાદિક લક્ષણવાળ ઉત્તમ ધર્મ તમારે આદર. ત્યારબાદ ક્ષેમંકર જિનેશ્વરે કહ્યું કે સુખના ભાજનરૂપ, દુઃખરૂપી પર્વતને વજુ સમાન તથા સ્વર્ગ મોક્ષ આપનાર સર્વ વ્રતોમાં પ્રથમવત મુખ્ય છે. સત્ય બેલવાવડે કીર્તિ પ્રાપ્ત થાય, લોકોને વિષે યશ પમાય, સત્ય વિશ્વાસનું કારણ છે, તે ધર્મનું બીજું લક્ષણ છે. અદત્તને ત્યાગ કરવાથી રાજ્ય દંડ થતું નથી, ઉત્તમ મનુષ્યનો સંગ થાય, નિર્ભયપણું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય વ્રતવડે મનુષ્ય તેજસ્વી અને સારા ભાગ્યવાળો થાય છે. નપુંસક અને તિર્યચપણું પામતું નથી. ધનના પરિગ્રહ પમિાણથી ચિત્ત સદા સતેજી રહે છે. વગેરે આ પાંચે ધર્મનાં લક્ષણેને વિષે તમે નિરંતર પ્રયત્ન કરે. પછી પ્રભુની દેશના સાંભળી ધમને સ્વીકાર કરી વજાયુધ રાજા પિતાની નગરીમાં જાય છે. પછી ચક્રરત્ન આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. પછી છ ખંડ સાધી એક દિવસ રાજસભામાં બેઠેલ છે ત્યાં આકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy