________________
બહારથી આવેલ એક વેપારી રાજાને એક જાતિવંત અશ્વ ભેટ આપે છે. રાજા તે અશ્વની ગતિને જાણવા તેના ઉપર બેસી ચલાવે છે. ભેટ આપનાર વેપારી આ અશ્વ “અવળી ચાલને ” છે તેમ તે વખતે કહેવું ભૂલી જતાં પછી તેના સામંતને કહે છે. પછી સામતે પાછળ જાય છે. રાજા પછી તે અશ્વને અવળી ચાલને જાણી લે છે. છેવટે અશ્વ મરી જાય છે અને રાજા ભૂખ્યોતરસ્યા એક જંગલમાં આવે છે. એક વડના ઝાડ નીચે બેસતાં ત્યાં પડતું પાણી દેખી, પડીએ કરી પીવા જતાં ઉપર બેઠેલ એક પક્ષી તે ઢોળી નાંખે છે. તેમાં બે વખત પાડી નાંખ્યું. ત્રીજી વખત પાણી લેતાં વિચાર્યું કે હવે તે પક્ષી જો ઢળી નાંખશે તે તે માટે હણી નાંખવું. અહિં પક્ષી પણ સમજી ગયું છતાં પોતે મરે તે સારું છે પણ આ લેકને પાલક મરે તે ઠીક નથી, એમ વિચારી ત્રીજી વખત ઢળી નાંખતા રાજા તેને હણી નાંખે છે. પછી પીવા જતાં આગળ આગળ પડતાં પાણીને દેખી વૃક્ષ ઉપર નજર કરતાં અજગરના મોઢામાંથી પડતું તે ઢળી નાંખી મારા ઉપર ઉપકાર કરનાર પક્ષીને મેં મારી નાંખ્યું તેમ જાણી અતિ પશ્ચાત્તાપ કરે છે. ત્યાં સામંત વગેરે આવે છે. પછી પક્ષીને સાથે ચંદન લાકડાવડે તેનો અગ્નિસંસ્કાર કરે છે. પછી સામંત વગેરેને તે હકીકત જણાવે છે જેથી હે રાજા! વિચાર્યા વિના કાર્ય કરનારને આ પ્રમાણે પશ્ચાત્તાપ થાય છે માટે સુંદર બુદ્ધિવાળાએ વિચારીને કાર્ય કરવું. આ ત્રણે કથાઓ શિખામણ લેવા જેવી છે (મનુષ્યને જયારે ક્રોધ થાય છે ત્યારે વિચાર્યા વગર અનર્થ કરી નાંખે છે.) ખરી હકીકત જાણ્યા પછી પશ્ચાત્તાપ કરવાને વખત આવે છે; માટે કંઈપણ કાર્ય ક્રોધવડે સાહસ કરી નાંખતા પહેલાં વિચાર કરવાની જરૂર રહે છે, જેથી શાંતિથી ખૂબ વિચાર કરી કાર્ય કરવું. એ આ ત્રણે કથાને સાર છે. આવા ઉચ્ચ કેટીના સુંદર ચરિત્રોના વાંચનથી આત્માને કેટલે લાભ થાય છે, માટે નિરંતર આવા ચરિત્રનું વારંવાર પઠન પાઠન કરવું. હવે પ્રાત:કાળ થતાં કાતિરાજ સ્વસ્થાને જાય છે. રાજા ઊઠી વિચારે છે કે કોઈએ મારું કાર્ય ન કર્યું. : વિચારી રાજા સભામંડપમાં આવે છે ત્યાં દેવરાજ આવી વિનંતિ કરે છે કે-આપની આજ્ઞા હેય તે વિનંતિ કરૂં, તેમ કહેતાં રાજા ક્રોધિત થયે છતાં ત્યાં દેવરાજ, પિશાચન વચનના શ્રવણુથી આરંભી સર્વ વૃત્તાંત રાજાને જણાવી પછી દેષરૂપી વિષને નાશ કરનારું બે કકડાવાળું સપનું શરીર રાજાને બતાવ્યું, જે જાણી વિચારે છે કે મારા જીવિતની રક્ષા માટે જેણે કર્યું તેને વિચાર્યા વિના મેં પાપીએ પોપકાર કરનારને હણવાને વિચાર કર્યો છતાં વિચક્ષણ એવા આ વત્સરાજ વગેરે ભાઈઓએ કથા કહી ઠીક કર્યું જેથી મેં આ ઉત્તમ પુરુષને હણ્યો નહિં. પછી પોતે સંતતિ રહિત હોવાથી પ્રજાને જણાવ્યું કે-મને દેવોએ આ પુત્ર આપેલ હેવાથી હું દેવરાજને ગાદી આપું છું. વત્સરાજને યુવરાજ સ્થાપું . પછી ત્યાં રાજા વ્રત લેવાને વિચાર કરી સારા મુહૂર્ત દેવરાજને ગાદીએ બેસાડી વત્સરાજને યુવરાજપદે સ્થાપન કર્યો. એટલે તે નગરના ઉદ્યાનમાં શ્રીદત્ત નામના આચાર્ય મહારાજ પધાર્યા. પછી ગુરુમહારાજની ધર્મદેશના સાંભળી અને પૂર્વ ભવને પિતાને વૃત્તાંત પૂછતાં ગરુમહારાજે કહ્યું કે-પૂર્વ ભવમાં ગૌરી નામની તારી ભાર્યા હતી. તે કઈ કર્મનાં દોષથી દર્ભાગી થતાં તારી અપ્રીતિને પ્રાપ્ત થવાથી પોતાના પિતાને ઘેર જઈ અજ્ઞાન તપવડે મરણ પામી યંતરપણાને પામેલી પૂર્વના તારા વૈરનું રમણ કરી સર્પના શરીરમાં અધિકાન ( રહેવું) કરી તારા ઘરમાં પેઠી. તારા કુલ દેવતાએ તારા કલ્યાણ માટે બે પિશાચનું રૂપ કરી ઓ વૃત્તાંત દેવરાજને જણાવ્યા તેથી દેવરાજે સર્પને હ. પછી રાજા ત્યાં સૂરિમહારાજ પાસે સંજમ લે છે. પછી ગુરુમહારાજ તેને પ્રતિબંધ કરનારી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં કહેલી અને ભવિષ્યમાં થનારી એક મનહર કથા સંભળાવે છે કે –મગધ દેશને વિષે રાજગૃહ નગરમાં ધન નામના શ્રેષ્ઠીને ધારિણી નામની ભાર્યા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org