________________
: ૨૫ :
એક આશ્રમ
અને અંધ એવા મારા માતપિતાને પણ છવાડવા જેથી આ આમ્રફળ ઉપકારના બદલામાં આપું છું. તે ફલ અત્યંત દુષ્કાય, અનેક ગુણ કરનાર છે, કારણ કે વિંધ્ય પર્વતની વિધ્યાટવી છે ત્યાં હું બેઠા હતે જ્યાં શ્રેષ્ઠ બે સાધુઓએ નિર્જન વન ઈ વાત કરવા લાગ્યાં કે સમુદ્રની મધ્યે કોઈ પર્વતને તળીયે
પામ્રવૃક્ષ છે તેનું ફળ જે કોઈ ખાય તેના વ્યાધિ, અપમૃત્યુ અને જરાવસ્થા નાશ પામી, સૌભાગ્ય, રૂપ, દીપ્તિ, કાંતિ, ફટ રીતે થાય છે. મને તે વાતને વિશ્વાસ આવતાં હુ તે ફલ લઈ તમારા ઉપકારના બદલામાં આપું છું, અને બીજું ફલ મારા માબાપ માટે લાવીશ. શ્રેણી તે ફળ લઈ ઘણાના ઉપકારવાળા પુરુષને આપવું તે વિચાર કરી, તે વહાણુ સામે કાંઠે પહોંચતાં ત્યાંના રાજાને ભેટ કરી, પછી ગંભીર નગરે શ્રેણી પહોંચે છે. ત્યાંથી કાદંબરી અટવી આવે છે. પછી શ્રેણી પોતાનાં નગરમાં આવે છે. જ્યાં સત્કાર્યો કરે છે. છેવટે ત્યાં કેઈ ઉત્તમ સુરિ પધારે છે, તેની પાસે ધમ સાંભળી મહાવતી થઈ છેવટે મેક્ષપદને પામે છે. હવે જેને આમ્રફળ છીએ આપ્યું હતું તે રાજા તેને વવરાવી આમ્રવૃક્ષ કરે છે. તેને ફળ થતાં એક ફળ ઉત્તમ બ્રાહ્મણને આપતાં ખાતાં તે મરી જાય છે. રાજાને વહેમ પડતા તે વૃક્ષ છેદી નાંખે છે, જેથી રોગથી પીડિત થયેલા મૃત્યુને ઈચછતાં મનુષ્યએ નીચે પડેલા તેનાં ફળ ખાતાં દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે. તે બ્રાહ્મણે ખાધેલ સપના ઝેરથી લેવાયેલ વૃક્ષ વગરવિચારે છેદવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયે તેમ હે રાજા ! પરીક્ષા કર્યા સિવાય સાહસ કાર્ય સુખના ઈચછનારાએ ન કરવું તેમ વત્સરાજે રાજાને કહી, ત્રીજો પહાર થતાં તેને ના ભાઈ ત્યાં પેઠે, જ્યારે રાજા વિચારે છે કે સુંદર કથા કહી વત્સરાજ મારું કાર્ય કર્યા વગર જ રહ્યો. પછી ત્રીજા ભાઈને તેમ જણાવતાં તે પિતાના બંને ભાઈઓ જાગે છે, પછી આપનું કાર્ય કરીશ તેમ જણાવી રાજાને કહે છે. આપ કંઈ કથા કહે અથવા હું કહું. રાજા તેને કહેવાનું કહેતાં તે દુર્લભરાજે કહ્યું કે-ભરતક્ષેત્રમાં રાજપુર નગરમાં શત્રુદમન રાજા અને તેને રત્નમાલા નામની રાણી હતી. રાજાને એક વખત દેવપૂજા માટે કેાઈ ટુક આવી પુષ્પ આપે છે. તું કર્યું છે તેમ પૂછતાં બટુક કહે છે કે અરિષ્ટપુરના યજ્ઞદત્ત બ્રાહ્મણને શુભંકર નામે પુત્ર છું. પછી તેને વિનયવાળો જોઈ રાજા તેને પોતાની હજુરમાં રાખે છે. એક દિવસ નગરની સમીપે સિંહ આવતાં રાજા શુભંકર અને સૈન્ય સાથે ત્યાં આવતાં પિતાના રાજાને ઇજા ન થાઓ તેમ જાણી શણંકરે તે સિંહને મારવાથી રાજા બોલ્યો કે તે આ સારું ન કર્યું. મારા યશને તે આથી હણ્યો છે, તેને શુભંકર કહે છે કે હું સર્વેને આપે માર્યો તેમજ કહીશ. તે માટે આપ બેફીકર રહેશે, પછી સિંહને મારવાથી રાજ્યમાં ઉત્સવ કર્યો. પછી રાજા મહેલમાં રાણી પાસે જતાં રાણી આ શેને ઉત્સવ છે તેમ પૂછતાં રાજા કહે છે કે મેં સિંહ માર્યો તેને છે. એ સાંભળી રાણી બોલી કે-ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા આવું બોલતાં હશે ? કારણ કે સિંહ તે બટુકે માર્યો તે મેં જોયું છે. એ સાંભળી રાજા ક્રોધ પામે છે અને બટુક તે વાત કેઈને નહિ કહું તેમ મિથ્યા બોલે છે, તેમ વિચારી તેને આરક્ષકે પાસે હણાવી નાંખે છે. પછી એક દિવસ રાણીએ બટુક કયાં છે અને તે વાત બટકે મને કહી નહાતી, પરંતુ સાતમે માળેથી મેં તે વખતે જોયેલી હતી, તે સાંભળી રાજા ઉપકાર કરનારને મેં સાહસ કરી હણી નાંખી કૃતધી થયો એમ માની પશ્ચાત્તાપ કર્યો. હે રાજા! આપના વિનોદ માટે મેં આ વાત કરી છે. એમ કહી રાત્રિનો ત્રીજો પહોર વ્યતીત થયો. દુર્લભરાજ પિતાના આવાસે ગયો હવે કાતિરાજને રાજ તેના ભાઈનું મસ્તક લાવવા જણાવે છે. રાજાને બીજા પ્રસ્તાવે તમારે આદેશ થશે તેમ જણાવી તે કાર્ય ક્રેઈને નાશ કરાવનારી નીચેની કથા કહે છે.
ભરતક્ષેત્રમાં મહાપુર નગરમાં શત્રુંજય રાજાને પ્રિયંગુ નામની પ્રિયા હતી. તેને કોઈ દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org