SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આવી ઉપર નીચે સર્વ ઠેકાણે તપાસ કરતા ખચ્ચને ખેંચી દીવાની છાયામાં સંધ્યા સમયે ત્યાં રહી જુએ છે. ત્યાં ચંદ્રના પ્રકાશવડે લટકતાં સર્પ જે પોતાના એક હાથવડે તેનું મુખ પકડી તેના બે કકડા કરી તે કટકા સંતાડે છે. તે વખતે રાણીના ઉરૂસ્થળ ઉપર લેહીના ટીપાં પડેલા તેને વિષે જાણી પિતાના હાથે દર કરે છે. તે જ વખતે રાજ જાગ્રત થતાં તે જોઈ ક્રોધથી વ્યાપ્ત થયેલે તેને મારી નાંખવાનો વિચાર કરી નિદ્રા અવસ્થાવ. વ્યાપ્ત થાય છે. હવે પ્રથમ પહોરે બીજા ભાઈ વત્સરાજને ત્યાં મૂકી દેવરાજ ઘેર જાય છે. પછી રાજા કાણુ કાહરીક છે? વત્સરાજ આપને સેવક છે. રાજા તેને પોતાનું એક કાર્ય કરવા જણાવતાં કબૂલ કરે છે. ત્યારે રાજા કહે છે કે તારા ભાઈ દેવરાજનું મસ્તક છેદીને લાવ. વત્સરાજ વિચારે છે કે મારા ભાઈ ઉપર રાજા અતિ ક્રોધિત થયેલ છે, પરંતુ આ ક્રોધ શરીર, સ્ત્રી, ધન અને દ્રોહવડે જ ઉત્પન્ન થાય છે. જેથી ઉત્તમ જનો છે તે પિતાના મરણને અંગીકાર કરે પરંતુ ઉન્માર્ગને પામતા નથી. વળી ખોટું જાણેલું, ખોટું સાંભળેલું, ખોટું જોયેલું અને ખોટી પરીક્ષા કરેલું આ કાર્ય હોવું જોઈએ. ડાહ્યા પુરુષો કહે છે પુરુષોના અશુભના નાશ માટે વિલંબ કરવો જોઈએ. પછી વત્સરાજ રાજાને કહે છે કે આપ કઈક કથા કહે અથવા હું કહું તે કથા સાંભળે. પછી રાજા તેને જ કથા કહેવાનું જણાવતાં કહે છે કે પાટલીપુત્ર નામના નગરને વિષે પૃથ્વીરાજ નામને રાજા અને તેને સુતારા નામની ભાર્યા હતી, અને રત્નસાર નામને શ્રેણી અને તે રજજુકા નામની શ્રેષ્ઠ દેવ, ગુરુને વિષે અતિ ભક્તિવાળી પ્રિયા અને ધનદત્ત નામે પુત્ર હતા. એક વખત તે ધનદત્ત કોઈ કાર્યપ્રસંગે ઘેરથી જ હતું. તેને જોઈ કોઈ મનુષ્ય બોલ્યો કે કાયર પુના જેવી ક્રિયાવાળો પિતાની મેળવેલી લક્ષ્મી ભગવનાર આ છે. આ સાંભળી ધનદત્ત હિતકર વચન બોલે છે એમ વિચારી પરદેશમાં જઈ મારે હવે પુષ્કળ ધન મેળવવું એમ વિચારી પિતાને જણાવે છે કે તમારી આજ્ઞાથી ધન મેળવવા માટે પરદેશ જવા ઈચ્છું છું, તેથી તેના પિતાને આઘાત લાગ્યા, અને ફરી ધનદ જણાવ્યું કે આપની મેળવેલી લક્ષ્મી મારે માતા સમાન છે વગેરે સાંભળી પછી તેના પિતાએ ઘણે આગ્રહ જોઈ જવા આજ્ઞા આપે છે. પછી સર્વ ભાતા વગેરેની તૈયારી કરી મિત્ર સહિત શુભ દિવસે પ્રયાણ કરે છે; જે વખતે પિતાને કેટલીક શિખામણ પણ આપવા સાથે હૃદયને ભાવ બીજ ન જાણી શકે તે મધ્ય થજે વગેરે કહે છે. પછી પ્રયાણ કરતાં એક દિવસ શ્રીપુરનગરને વિષે જ્યાં સરોવર છે તેની પાસે તે બેઠે છે તેટલામાં એક કંપતે પુરુષ ધનદત્તને શરણું આવે છે તેની પાછળ હણો, હણ કહેતાં ચાર આરક્ષક પુરુષો આવી સાર્થવાહને કહે છે કે રાજાનું આભૂષણ લઈ જામારી પાસે આ માણસ હારી ગયા છે જેથી તેને આ કેદખાનામાં પુરેલ જ્યાંથી રાત્રિએ સીપ મારી નાંખી બહાર ભાગી ગયો હતો. તે આ જ છે અમને સંપી દે. તે ન સોંપતા રાજા પાસે આવી એક રત્નાવલી હાર રાજાને ભેટ આપી તેને છોડાવે છે. અને હવે પછી ચારી નહિં કરવા બોધ આપે છે. છેવટે તે ચોર ઉપકારના બદલામાં ભૂતને નિગ્રહ અને વિશ્વાસ કરનાર પિતાની પાસેના મંત્ર સાર્થવાહને આપે છે. સાર્થવાહ ત્યાંથી ચાલી તે કાદંબરી નામની અટવીમાં આવે છે. જ્યાં એક શિકારી રોતો ત્યાં આવે છે. તેને પૂછતાં પોતાને માલેક આ પર્વતની ગિરિકંડ ગકામાં સિહચડ નામને પલીપતિ તેને સિંહવતી નામની ભાર્યા છે, જેને ભૂતની પીડા છે તેમ કહેતાં તેને સાર્થવાહ પિતાના મંત્ર પ્રયોગથી નિવારી ત્યાંથી આગળ ચાલી સમુદ્ર કિનારે રહેલ ગંભીર નગરીમાં આવે છે. ત્યાં પ્રાતઃકાલમાં સમુદ્રની પૂજા કરી દેવતાવડે અધિષ્ઠિત એક સુંદર વહાણું ખરીદ્યું અને કરીયાણું વગેરે લઈ વહાણ ઉપર ચડે છે. વહાણ સમુદ્રમાં ચાલતાં એક પોપટ જેના મુખમાં આમ્રફલ છે તે ઉડતા તેની પાસે આવે છે તે પિતાની પાસે અણુવી શાંત થયેલ છે તે શુક ચાંચમાંથી આમ્રફળ મૂકી, સાર્થવાહને કહે છે કે તેં મને જીવતદાન કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy