________________
ક્ષેમકર રાજા સભામાં બેઠા છે ત્યાં એક ચિત્રશૂલ નામને મિથ્યાત્વી કોઈ દેવ આવે છે અને પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, જવ, પરલેક કંઈ નથી એમ નાસ્તિકવાદથી બોલે છે. ત્યાં વાયુધે “તારે આ નાસ્તિક વાદ યોગ્ય નથી તેમ જણાવી તેને અનેક હેતુઓ દલીલ વગેરે આપી પ્રતિબધ પમાડવાથી તે તુષ્ટમાન થઈ કુમાર પાસે સમ્યફલ ગ્રહણ કરે છે, અને ઉત્તમ અલંકાર આપી તે દેવ અય્યતેંદ્ર પાસે સ્વર્ગમાં જાય છે. પછી ઈશાનંદે વાયુધ તીર્થકર થવાના છે તે જાણી ભક્તિપૂર્વક ત્યાં પૂજા કરે છે.
એક દિવસ તેમની મોટી રાણી લક્ષ્મીદેવીની ઈચ્છાથી સુરનિપાત ઉદ્યાનમાં ક્રીડા કરવા જાય છે. જળક્રીડા કરવા ક્રિયાઓ સહિત વાવમાં જાય છે જ્યાં પૂર્વભવને વૈરી દમિતારીને જીવ વિદ્યદંષ્ટ નામે દેવ થયો છે, તે કુમારને જળમાં ક્રીડા કરતો જોઈ તેને હણવા તે વાવ ઉપર એક પર્વત મૂકે છે અને નાગપાશવડે કુમારને બાંધે છે. અહિં તે વાયુધ મેટા બળવાળો ચક્રવર્તી હવાથી બે હજાર યક્ષોના અધિછિત હોવાથી ક્ષણમાં પર્વતને ભેદી નાંખી નાગપાશ તેડી લાંબા વખત ક્રીડા કરી વજાયુદ્ધ વગેરે વાવની બહાર આવે છે તેટલામાં ઈદ્ર જિનેશ્વરને નમી શાશ્વતી યાત્રા માટે મહાવિદેહમાંથી નંદીશ્વર દીપે પાછા વળતાં વજાયુધને રાણીઓ સહિત બહાર નીકળતાં જે વિસ્મય પામી જ્ઞાનના ઉપયોગ વડે ભાવી તીર્થકર થવાના પાણી મોટી ભક્તિવડે નમે છે અને ભાવપૂર્વક સ્તુતિ કરી ઇદ્ર સ્વસ્થાને જાય છે. હવે સમય થતાં લેકાંતિક દે ક્ષેમકર તીર્થંકર મહારાજ પાસે આવી “ તીર્થ પ્રવર્તાવો” એમ જણાવે છે. ક્ષેમકર રાજા વાયુધને ગાદી આપી વરસીદાન આપી ચારિત્ર ગ્રહણ કરે છે. થોડા સમય પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં દેવો ત્યાં સમવસરણ રચે છે જેમાં બેસી ક્ષેમંકર પ્રભુ અહિંસા વગેરે ઉપર દેશના આપતાં જણાવે છે કે આયુર્વેદમાં દૂધપાન કરવાના વચનની જેમ શ્રત, શીલ અને દયા વગેરેવડે બુદ્ધિપૂર્વક ખૂબ વિચાર કરી પરીક્ષા કરી ચિંતામણી કલ્પવૃક્ષ જેવા ધર્મને વિષે નિરંતર આદર કરવો. આ જગતમાં બુદ્ધિવડે વિચાર્યા વિના કાર્યને કરનારા પ્રાણીઓને અમૃત, આમ્ર અને નિપાત્ય વગેરે રાજાની જેમ દેશે ઉત્પન્ન થાય છે તે સાંભળી પર્ષદાની વિનંતિથી પ્રભુ તેના ઉપરની કથા કહે છે.
અવંતિ દેશને વિષે ઉજજયની નગરીને વિષે જિતશત્રુ રાજા તેને વિજયશ્રી નામની રાણી હતી. એક દિવસ સભામાં બેઠેલા રાજાની પાસે રાજપુત્રો જેવા ચાર પુક્કો આવે છે. તેની આકૃતિ જોતાં સારા કુલમાં ઉત્પન્ન થયેલા જાણી તેઓને કયાંથી આવે છે? શા માટે આવ્યા છે? તેમ પૂછતાં તેમાંથી એક જણ કહે છે કે હે દેવ ! ઉત્તરાપથને વિષે આવેલા સુવર્ણતિલક નગરમાં વૈમિતિ નામને રાજા તેને રૂપવતી નામની રાણી હતી. તેને ચાર પુત્ર. ૧ દેવરાજ, ૨ વત્સરાજ, ૩ દુર્લભરાજ અને ૪ ચોથે કાતિરાજ નામના હતા. કળા અભ્યાસ કર્યા પછી રાજાને નિવતંક રોગ થવાથી મોટા પુત્ર દેવરાજને ગાદી આપી છેવટે તે પરલોકમાં જાય છે. પછી તેના ભાયાતના રાજ્ય ઉપર આક્રમણ થવાથી અમો ચાર ભાઈ ઓ આપની સેવા કરવાની ઈચ્છાથી અહિં આવ્યા છીએ. રાજાએ તેને આવાસ આપી પિતાના અંગરક્ષક તરીકે નિમણુંક કરી અને તેઓ નિરંતર રાજાની રક્ષા કરવા લાગ્યા.
એક દિવસ દેવરાજ રજા લઇ પાસેના ગામમાં જઈ કાર્ય કરી પાછો આવે છે, ત્યાં રસ્તામાં પ્રચંડ વાયુ, વાવાઝોડું, વિજલી, વરસાદ વગેરે તેફાને શરૂ થતાં ભય પામી એક ક્ષણવાર વડને આશ્રય કરીને રહેતાં ઊંચે કંઈક સ્વર સાંભળતાં આ શું ? એમ કહી સાવધાન થાય છે. ત્યાં બે પિશાચે અરસપરસ કહે છે કે “આ નગરને રાજા સપથી રાત્રિના પ્રથમ પહેરમાં મરી જશે.” તે સાંભળી પિતે રાજાને બચાવવાના પ્રયત્નને વિચાર કરી, જયારે રાજા વાસભવનમાં રાષ્ટ્ર સહિત સૂતા હતા ત્યારે દેવરાજ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org