SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨ : ઉપર દેશના આપે છે. (પા. ૬૮) પછી કનકેશ્રી પોતાના પિતાનું મૃત્યુ અને બંધુને વિયાગ કેમ થે તે પૂછતાં પૂર્વભવ જણાવે છે. આ ધાતકી ખંડના પૂર્વ ભરતક્ષેત્રમાં શંખપુર નામના નગરમાં ઉછેદ પામેલા સંતાપવાળી શ્રીદત્તા નામની દુઃખી એક ગરીબ સ્ત્રી હતી, જે બીજે કરી કરી આજીવિકા ચલાવતી હતી. એક દિવસ શ્રેષ્ઠ મુનિ પાસે ધર્મ સાંભળી ચક્રવાલ નામને તપ કરવા લાગી, જેના ફલથી કે તેને ધન આપવા લાગ્યા. છેવટે તેના ઘરની દિવાલ પડવાથી તેણીને ઘણું ધન પ્રાપ્ત થયું. તે તપનું ઉદ્યાપન કરી મોટા હર્ષવડે મુનિને પ્રતિભાભી પારણું કર્યું. તે વખતે તેણીના ઘરે માસના ઉપવાસવાળા સુવ્રત નામના મુનિ આવ્યા. ઉપાશ્રયે જઈ મુનિને વાંદી ધર્મ સંભળાવાનું કહેતાં મુનિશ્રી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઉપર દશન આપે છે. તે હકીકત પૂરી થતાં શ્રીદત્તાના પૂછવાથી વિવેકી પુરુષોએ અમૃતિમાન ધવડે અસ્થિ, અને મજજાને ભાવવી–પછી શ્રીદત્તા કહે છે કે અસ્થિ અને મજજાની અધિવાસના શી રીતે થાય તેના ઉપર એક દષ્ટાંત મુનિ આપે છે. (પા. ૭૦ થી ૭૩ સુધી) જેમાં જુદા જુદા દેશનું ત્રિદંડીવડે વર્ણન કરવામાં આવે છે તે ખાસ વાંચવા લાયક છે. આ કથા નરસિંહ રાજાની છે, જે છેવટે મોક્ષમાં જાય છે. (પા. ૭૦) અહિં શ્રીદત્તા ધર્મ કરતાં તેનાં ફલને વિષે સંદેહનું ચિંતવન કર્યું તેથી તેને બંધુવિયોગનું દુઃખ પડયું તે સાંભળી વાસુદેવને પિતાના દીક્ષા લેવાના વિચાર જણાવતાં તેની અનુજ્ઞા લઈ સુભગાપુરમાં સ્વયંપ્રભ જિનેશ્વર પધાર્યા તેની પાસે દીક્ષા લે છે. એકાવલી વગેરે તપ કરી કેવળજ્ઞાન પામી તે છેવટે મોક્ષમાં જાય છે. હવે અહિં રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનંતવીર્ય વાસુદેવ પ્રથમ નરકમાં ગયો અને અપરાજિત ચારિત્ર લઈ દુષ્કર તપ તપી અનશન કરી અયુત દેવલોકમાં દેવેન્દ્ર થયો. અહિ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીને વિષે ગગનવલ્લભ નગરના મેઘ વાહન રાજાની મેઘમાલિની રાણીની કુક્ષિમાં અનંતવીર્ય પ્રથમ નરકમાંથી એવી તેને મેઘનાદ નામે પુત્ર થાય છે. મેઘનાદે એક વખત મેરુપર્વત ઉપર જઈ શાશ્વત જિનશ્ચયોને પૂજી પ્રાપ્તિ વિદ્યા સાધી અને છેવટે અમરગુરું નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી. ત્યાં એક રાત્રિની પ્રતિમા ધારણ કરી રહેલ છે, ત્યાં અશ્વગ્રીવના પુત્રને જીવ જે અસુર થયો હતો તેણે ઘણા ઉપસર્ગો કર્યા છતાં ડગ્યા નથી. છેવટે અનશન કરી મૃત્યુ પામી તે અભ્યતંદ્ર થયો. આ રીતે આ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના છઠ્ઠા સાતમા ભવનું કરવામાં આવેલ વર્ણન સંપૂર્ણ થાય છે. • પ્રસ્તાવ ૪ થે. (પા. ૭૭ થી પા. ૧૧૨ સુધી) આ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના આઠમા નવમા ભવનું વર્ણન કરવામાં આવે છે. જંબૂદીપના પૂર્વ મહાવિદેહને વિષે મલાવતી નામની વિજયમાં સીતા નદીના કાંઠે રત્નસંચયા નામની નગરી, તેમાં ક્ષેમંકર રાજા તીર્થંકરપણે હતા. તેમને રત્નમાલા નામની પ્રિયા હતી. અહિં અપરાજિતને જીવ દેવલોકમાંથી ચવી રાણીની કુક્ષિમાં ચક્રવર્તીપણાને સૂચવતાં ચૌદ સ્વપ્નવડે જન્મે છે. દેવીએ સ્વપ્નમાં જ જોયેલું તેથી રાજા તેનું વિશ્વયુદ્ધ નામ પાડે છે. કળાઓ શિખ્યા પછી યૌવનવયે લક્ષ્મીવતી નામની સુંદર કન્યા સાથે તેને પરણાવવામાં આવે છે. હવે મેઘનાદને જીવ જે અમ્યુરેંદ્ર થયા હતા તે એવી લક્ષમીવતીને પુત્ર થાય છે, જેનું નામ સહસ્ત્રાયુધ પાડવામાં આવે છે. અને તે કનકશ્રી નામની કન્યાને પરણે છે. તેને શતબળ નામને પુત્ર જન્મે છે. એક દિવસ કુટુંબ સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy