SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેની પ્રિયા અને સારા શ્રાવકામાં રધર સિંહ નામે તેમના પુત્ર હતા. તે સિંહુ બન્ને સધ્યા કાળે સારી વિધિવડે સામાયિક લઈને અતિ નિશ્ચળપણે પ્રતિક્રમણ કરતા હતા. એક દિવસ તે ક્રૂન્ય ઉપાર્જન કરવા માટે કરીયાણાં લઈને સાની સાથે ઉત્તર દેશમાં ગયા. તે સાથે અટવીને વિષે નદીને કાંઠે પડાવ નાંખ્યા. ત્યાં શ્રાવકમાં અગ્રેસર તે સિંહૈ સામાયિક ગ્રહણ કર્યું. આ અવસરે ત્યાં ઘણા મચ્છરના સમૂહ આભ્યા, તેથી તેને દૂર કરવા માટે લેાકાએ ધૂમાડાના સમૂહ કર્યાં. પરંતુ મહાસત્ત્વવાળા, મેરુની જેવા નિશ્ચળ અંગવાળા અને સમાધિવાળા તે સિ ંહૈ તે મચ્છરના પરિષદ્ધ સહન કર્યો. ક્ષણવાર પછી દક્ષિણ દિશાના વાયુવડે પ્રેરાયેલા તે મચ્છરા જતા રહ્યા. ઉપસર્ગ રહિત થયેલા સિ ંહૈ પણ સામાયિક પાયું. પછી મચ્છરથી દુભાએલું તેનું શરીર સેાજાવ દૂષિત થયુ. અને કેટલાક દિવસે તે સારું થયું. પછી અનુક્રમે વસતપુરમાં જઇને, કરીયાણાં વેચીને, માટે લાભ પામીને તથા પાા વળીને તે પાતાને ઘેર આવ્યેા. ત્યાં ધર્માંમાં તત્પર રહીને સાત ક્ષેત્રમાં દ્રવ્યને વાવતા તે ગૃહનું પાલન કરવા લાગ્યા. છેવટ સલેખના કરીને તથા અનશનવડે મરીને તે સ્વાઁને પામ્યા. ત્યાંથી ચવીને તે અનુક્રમે મુક્તિ પામશે. આ પ્રમાણે સામાયિકને વિષે સિંહ શ્રાવકની કથા કહી. અહીં દિવ્રતને વિષે પરિમાણુના સંક્ષેપ કરવાથી દેશાવકાશિક નામનું બીજી શિક્ષાવ્રત છે. અથવા તે આ વ્રતમાં સર્વ વ્રતાને સ ંક્ષેપ કરાય છે. તેમાં આનયન અને પ્રયાગ વિગેરે અતિચારા કહ્યા છે. આ વ્રત પણ શુદ્ધ રીતે કર્યું. હાય તેા ગગદત્ત ગૃહસ્થની જેમ આ લેાક અને પરલેાક સફળ થાય છે. આજ ભરતક્ષેત્રને વિષે શખપુર નામના નગરમાં પૃથ્વીને વિષે પ્રસિદ્ધ ગંગદત્ત નામના વિષ્ણુક વસતા હતા. એક દિવસ તેણે ગુરુની પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યા. તે બાર પ્રકારના ધર્મને તે હંમેશાં પાળતા હતા. એક દિવસ શુદ્ધબુદ્ધિવાળા તેણે આ પ્રમાણે દેશાવકાશિક ગ્રહણ કર્યું કે“ મારે આજે ઘરથકી ચૈત્ય સિવાય બીજે કાઈ ઠેકાણે જવું નહીં. ” પછી ઘરમાં રહેલા તેને એક વણિક મિત્રે આવીને કહ્યુ કે હે ભાઈ ! આજે નગરની બહાર સાથ આવ્યા છે તેથી જલદી તુ ત્યાં ચાલ, કે જેથી માટા લાભને કરનારું અને માટા મૂલ્યવાળુ ઘણું કરિયાણું આપણે બન્ને જ ગ્રહણ કરીએ. ” ગંગદત્ત આા કે—“ આજે હું ત્યાં નહીં આવું, કેમકે પેાતાના ઘરમાં જ સ્થિતિવાળું દેશાવકાશિક મેં ગ્રહણ કર્યું છે. ” ત્યારે તે ખેલ્યા કે “ આજે ઘણા ધનના લાભ તું કેમ ગ્રહણુ કરતા નથી ? ખીજે દિવસે પણ તું ક્રીથી વ્રત ગ્રહણ કરી શકીશ. '' ફ્રીથી ગંગદત્ત ઓલ્યા કે હૈ મિત્ર ! જ્યાં ધર્મની હાનિ થાય, તે બહુ આરંભને કરનારા લાભવડે પણ સયુ`. આ પ્રમાણે તેના નિશ્ચય જાણીને તે મિત્ર પેાતાને ઘેર ગયા. અને બીજે દિવસે .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy