________________
ષષ્ટ પ્રસ્તાવ-પૈષવત સંબંધી જિનચંદ્રનું દષ્ટાંત.
[ ૧૯૩]
ગંગદત્ત તે સાથેની મળે ગયે. અને તે કરિયાણું દૈવયોગથી અક્ષત (સંપૂર્ણ ) જ તેણે દેખ્યું અને ખરીદ કર્યું. પછી તેને લઈને મોટે લાભ થયો. પછી તેણે વિચાર્યું કે“આ ધર્મને જ પ્રભાવ છે, તેથી આ ધન મારે અવશ્ય દેવગૃહાદિકને વિષે વાપરવું.” એમ વિચારીને તેણે જિનપૂજા શરૂ કરી, અને સમગ્ર સંધને ભક્તિથી દાન આપ્યું. આ પ્રમાણે ધર્મને ઉદ્યમ કરીને છેવટ અનશનવડે મરીને તે દેવ થયે. પછી ક્રમના ગવડે તે સિદ્ધ થશે.
આ પ્રમાણે દેશાવકાશિકવ્રતને વિષે ગંગદત્તની કથા કહી.
આ દષ્ટાંત સહિત દેશાવકાશિક કહ્યું. હવે હું તને નિર્મળ પોષધ વ્રત કહું છું. હે રાજા ! ચાર પર્વને દિવસે જે કરાય છે, અને જે ધર્મને વિષે પુષ્ટિને ધારણ કરે છે, તે પૌષધ ચાર પ્રકારને કહ્યો છે. પહેલા આહાર પૌષધ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં પહેલે (સર્વથી ) ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનથી થાય છે, અને ત્રિવિધ આહારના ઉપવાસમાં અથવા આચાસ્લાદિક તપમાં અથવા સર્વ પ્રત્યાખ્યાનમાં દેશથી પૌષધ થાય છે. બીજો પ્રકાર દેહસંસ્કાર નામને પૌષધ અહીં કહ્યો છે. તે સર્વ શરીરને સત્કાર વર્જવાથી તે સર્વથી દેહસત્કાર પોષધ કહેવાય છે. અને માત્ર સ્નાન ન કરવું વિગેરે દેશથી જાણો. ત્રીજે બ્રહ્મચર્ય પોષધ છે, તે બે પ્રકાર છે. તેમાં સર્વ પ્રકારે સ્ત્રીઓના કરસ્પર્શ વિગેરેનું જે વર્જવું તે સર્વથી છે, અને માત્ર તેના સંગનું જ જે વજવું તે દેશથી છે. તથા એથે અવ્યાપાર નામને પૌષધ છે. તેમાં સર્વ વ્યાપારને જે ત્યાગ તે સર્વથી છે, અને એકને જે ત્યાગ તે દેશથી છે. આ પૌષધ વ્રતમાં જિનચંદ્રનું દષ્ટાંત કહેવાય છે.
સુપ્રત નામના નગરમાં અનંતવીર્ય રાજા હતા. ત્યાં જિન ધર્મને વિષે અતિ નિશ્ચળ જિનચંદ્ર નામે શ્રાવક હતા. તેને સુંદર આકારવાળી સુંદરી નામની ભાર્યા હતી. એક દિવસ કોઈ પર્વને દિવસે શુભ ચિત્તવાળા તેણે પૌષધશાળાને વિષે પ્રવેશ કરીને પૌષધ ગ્રહણ કર્યો. તે વખતે હૈં સભાને વિષે તેની પ્રશંસા કરી કે-“આ દેવડે પણ પૌષધથી ચલાયમાન કરાય તેમ નથી.” તે સાંભળીને કઈ એક દેવે તેનું વચન અસત્ય કરવા માટે તેની પાસે આવીને અકાળે સૂર્યને ઉદય કર્યો. અને તેની બહેનનું રૂપ કરીને કહ્યું કે-“હે ભાઈ ! તારે માટે હું આ ભેજન લાવી છું તેથી તું પારણું કર.” ક્રિયા વિગેરે કરવામાં અનુમાન વડે તેણે જોયું કે-“કોઈપણ દેવે આ માયા કરી જણાય છે. ” એમ મનમાં વિચારીને તે મૌનમાં તત્પર રહ્યો. પછી મિત્રના રૂપવાળા તે દેવે તેને વિલેપન આપ્યું. અને “સુગંધી પુને તું ગ્રહણ કર.” એમ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org