________________
[ ૧૯૦]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પ્રચંડ મિલોની ધાડ પડી. તે ધાડ દેવગથી પ્રથમ તે બ્રાહ્મણના ઘરમાં પડી. તેણીના શરીરનું સ્થળપણું હોવાથી તે ભૂષણ લેવાને અસમર્થ ચોરોએ હાથ, પગ, વિગેરે તેના શરીરને છેદ કર્યો. અને તે ભૂષણે લઈને તેઓ પિતાને સ્થાને ગયા. પછી આર્તધ્યાનવાળી તે મરીને નરકે ગઈ.
આ પ્રમાણે ઉપભાગ અને પરિભેગને વિષે બે કથા કહી.
અનર્થદંડની વિરતિ એ ત્રીજું ગુણવત છે. તેના અહીં ચાર ભેદ (પ્રકાર) જાણવા. તેને હું કહું છું. તેમાં જે અપધ્યાન (ખરાબ ધ્યાન) થાય, તે પ્રથમ ભેદ છે, તથા પ્રમાદનું આચરણ એ બીજે ભેદ છે, હિંસપ્રદાન નામના ત્રીજે ભેદ કહેવાય છે, અને પાપપદેશ એ અનર્થને ચે ભેદ કહ્યો છે. હે રાજા! અહીં હું ઉદાહરણ કહું છું, તે તું સાંભળ. અહીં ધાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ૨પુર નામનું નગર છે. તેમાં સાર્થક નામવાળો રિપુમર્દન નામનો રાજા હતે. તથા ત્યાં સમૃદ્ધદત્ત નામને પ્રસિદ્ધ કુટુંબી હતો. એક વખત સૂઈને જાગે તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે “જે મને લક્ષમી પ્રાપ્ત થાય, તે હું રાજા થાઉં. ત્યાર પછી છ ખંડવાળા ભરત ક્ષેત્રને હું સાધીશ. પછી વૈતાઢ્ય પર્વત ઉપર રહેનારા ખેચરે મને વિદ્યા આપશે. પછી વિદ્યાના બળથી હું આકાશમાં જઈશ” એમ વિચારીને તેના આવેશથી તે શખ્યા ઉપરથી આકાશ તરફ ઊડ્યો અને એકદમ પૃથ્વી ઉપર પડ્યો. શરીરે અત્યંત પીડા પામ્યો. આઠંદ કરતા તેને ઘરના મનુષ્યએ ઉપાડીને શયામાં નાખે. પછી મોટા કણવડે તેને વેદનાને ઉપશમ થયે, અને સ્વસ્થ શરીરવાળો થયે, તેથી પિતાના ઘરનું પાલન કરવા લાગ્યા. આ તરફ તેની પાસે સારા લોઢાનું બનાવેલું, ઘણું દ્રવ્યવડે ખરીદ કરેલું અને સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એક ખળું હતું. તે ખરું કેઈક દિવસ પ્રમાદથી ઘરના આંગણામાં તે ભૂલી ગયો. અને રાત્રે ઘરની અંદર સુતેલા તેને બે પહાર ગયા ત્યારે સાંભર્યું પરંતુ પ્રમાદના દોષથી તે તેને ઘરની અંદર લાવ્યા નહીં. અને “તેને કેણ ગ્રહણ કરશે?” એમ વિચારતે તે નિદ્રા પામે. આ અવસરે રાત્રિના છેલા પહેરે તેના ઘરમાં દુષ્ટ ચેષ્ટાવાળા ચેર કેઈપણ પ્રકારે પેઠા. તેને ગ્રહણ કરીને તેઓ ગયા, પછી તે ખના બળવડે દુષ્ટ મનવાળા તેઓએ નગરના શ્રેણીના પુત્રને બંદી તરીકે પકડ્યો. રાજપુરુષોએ ચોરેને માર્યા, તે ચોરોએ એક પુત્રને માર્યો અને સમૃદ્ધદરનું ખરું રાજાને આપ્યું. ક્રોધ પામેલા રાજાએ તેને બોલાવીને કહ્યું કે-“અરે ! તે આ પાપકર્મ કેમ કર્યું? કેમકે આ તારું ખરું છે.” ત્યારે તેણે ખ5ના વિસ્મરણની વાત તેને કહી, તે પણ રાજાએ અનર્થ દંડ કરવાથી તેને દંડ કર્યો. પછી એક દિવસ યાચના કરાયેલા તેણે અજાણતાં એકદમ રાજાના કેઈક વેરીને વિષ આપ્યું. તેણે રાજાના ઘાતને માટે તે વિષ સરોવરમાં નાંખ્યું. તેનું પાણી પીવાથી કેટલાક માણસો મરી ગયા. ત્યારે “આ શું થયું?” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org