SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ પ્રસ્તાવ-ભોગપભોગ સંબંધી જિતશત્રુ રાજા ને નિયમંડિતાની કથા. [ ૧૮૯ ] સાતમા વ્રત ઉપર પ્રભુ હવે કથા કહે છે. ભોગ અને ઉપભેગનું જે માન કરવું, તે બીજું ગુણવ્રત છે. તે ભેજનને વિષે અને કર્મને વિષે એમ બે પ્રકારે કહ્યું છે. વિવેકી પુરુષે ભજનને વિષે અનંતકાયાદિકનું જન કરવું નહીં, અને કર્મને વિષે સર્વ ખર કર્મોનો ત્યાગ કરવો. સચિન, સચિવ મિશ્ર, દુપટવ, અપકવ અને તુછ ઔષધિ આ પાંચ અતિચાર ભેજનને વિષે છે અને કર્મને વિષે છે. રાજા ચક્રાયુધ! આગમમાં કહેલા અંગાર કર્મ વિગેરે પંદર અતિચાર જાણવા. અહીં ઉપગને વિષે જિતશત્રુ રાજાનું દષ્ટાંત જાણવું અને પરિગને વિષે નિત્યમંડિતા બ્રાહ્મણી જાણવી. આ જ ભરતક્ષેત્રને વિષે વસંતપુર નગરમાં જિતશત્રુ એવા નામનો પ્રસિદ્ધ રાજા હતા. બુદ્ધિવડે બૃહસ્પતિને જીતનાર સુબુદ્ધિ નામને તેને મંત્રી હતે. તે મંત્રી રાજાને અત્યંત વલભ હતો. એક દિવસ વિપરીત શિક્ષાવાળા બે અશ્વ તે બનેને હરણ કરીને મનુષ્ય વિનાની અટવીમાં લઈ ગયા. ત્યાં તેઓ ત્રણ દિવસ સુધી ભમ્યા. તેની પાછળ લાગેલા સેજે તે રાજા અને મંત્રીને શોધી ચોથે દિવસે ભૂખ્યા એવા તે બન્નેને નગરમાં લાવ્યા. ત્યારે સુધાથી આતુર થયેલા રાજાએ રસોઈયા પાસે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વ રસોઈ તત્કાળ કરાવી. પછી પિતાના મનમાં નટના નાટકનું દષ્ટાંત વિચારતા તે રાજાએ પ્રથમ જઘન્ય આહાર ખાધે. અને પછી મધ્યમ અને ઉત્કૃષ્ટ આહાર તે પ્રકારે કંઠ પર્યત તેણે ખાધે, કે જે પ્રકારે તેના ઉદરમાં ઓડકારનું સ્થાન પણ ન રહ્યું. તેથી નહીં પચવાવડે તે આહારવડે તે રાજાને વિસૂચિકા નામનો વ્યાધિ થયો. તેની પીડાથી મરીને તે વ્યંતર થયે. આ પ્રમાણે ઉપભેગથી નિવૃત્ત નહીં થયેલા આ દેષ કો હવે પરિગથી નિવૃત થવાને વિષે દોષ કહેવાય છે. અહીં વર્ધન નામના ગામને વિષે નિરંતર વેદ ભણવામાં તત્પર અનિદેવ નામને બ્રાહ્મણ હતું, તેને સુનંદા નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ગામના લોકોને અત્યંત ગૌરવ કરવા લાયક હતું, તેથી તેમની પાસેથી ધનને પામતે તે અનુક્રમે ઈશ્વર થર્યો. તેણે પિતાની ભાયના સર્વ અંગે એક આભરણ કરાવ્યાં. ભારને નહીં માનતી તે નિરંતર અંગને લાગેલા તેને ધારણ કરતી હતી. પછી કઈક દિવસ પતિએ તેણીને કહ્યું કે-“તારે આ ભૂષણ પર્વના દિવસ વિના પહેરવા નહીં. અને સર્વ પ્રકારે તેને ગુપ્ત રાખવા. આપણે ગામના કાંઈક છેડે રહીએ છીએ તેથી જ્યારે ચારની ધાડ પડશે ત્યારે હે પ્રિયા ! તારા શરીરને વિષે આ ભૂષણ વડે અનર્થ થશે.” તે પણ બોલી કે જે આ ભૂષણ શરીર ઉપર ન ધારણ કરાય, તે આનું શું કામ છે? કેમકે જે ભેગવાય, તે જ ધન કહેવાય છે. જ્યારે ધાડ આવી પડશે, ત્યારે જ હું તત્કાળ અને શરીર ઉપરથી ઉતારીશ.” એમ તેણીએ કહ્યું ત્યારે તે બ્રાહ્મણ મૌન રહ્યો. પછી કઈ વખત તે ગામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy