________________
[ ૧૮૬]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર
તે તે બન્નેની સાથે વિરાગથી ભોગ ભેગવવા લાગ્યું. તેણે એક દિવસ વિચાર્યું કે“હે લેભમાં લંપટ થયેલા જીવ! પરિગ્રહનું પ્રમાણ કરેલું નહીં હોવાથી કયું કર્યું દુઃખ તને ન થયું?” પછી તેણે મનવડે જ પરિગ્રહનું પ્રમાણ કર્યું અને બાકીનું ધન ધર્મના વ્યયને માટે ચિત્યાદિકને વિષે આપ્યું. કેટલાક કાળ ગયો ત્યારે ગ્રીષ્મ ઋતુમાં સરોવરના જળની જેમ તે ધન પણ પૂર્વે કરેલા કવડે ક્ષીણ થયું. તે વખતે જેટલામાં તે સુલસ કાંઈક શ્યામ મુખવાળો થયે, તેટલામાં તે દેવ અવધિજ્ઞાનવડે જાણીને ફરીથી ત્યાં આવ્યો. અને બોલ્યા કે –“હે શ્રેષ્ઠ શ્રાવક! કેમ તું દુઃખી મનવાળો દેખાય છે? હું મિત્ર અનુકૂળ છતાં તારે વૈભવની શી ચિંતા છે?” આ પ્રમાણે કહીને ક્ષણવારમાં જ તુષ્ટમાન થયેલા તેણે કુબેરની જેમ તેના ઘરના આંગણામાં સવર્ણના ઢગલાને પ્રગટ કર્યો. સુલસ બોલ્યો કે “હે મિત્ર! આટલું બધું દ્રવ્ય મને સંમત (ઈષ્ટ) નથી, કેમકે મેં પરિગ્રહનું પ્રમાણ કર્યું છે. દેવ પણ બોલ્યા કે-“હે શ્રાવક! આ તે સારું કર્યું કેમકે આ વિષયમાં તપોધન આ પ્રમાણે કહે છે, કે-“જેમ જેમ લેભ ઓછો થાય, અને જેમ જેમ આરંભ તથા પરિગ્રહ એાછા થાય, તેમ તેમ માણસને સુખ અને ધર્મની સિદ્ધિ થાય છે.” પછી તે દેવ તેને ઈચ્છિત ધન આપીને અને તેની રજા લઈને ફરીથી પિતાને સ્થાને ગયે. પછી એક દિવસ તે સુલસ ઉદ્યાનમાં ગયે. ત્યાં કેઈક ઠેકાણે નિધાન જોયું, પરંતુ વ્રતના ભંગના ભયથી તેણે ગ્રહણ કર્યું નહીં. તે નિધાનને દષ્ટિવડે જોતાં તેને રાજપુરુષોએ જે, અને તે ગયો ત્યારે તેઓએ પણ ત્યાં તેને જોયું ત્યારે ખરેખર આપણને જોઈને આણે આ નિધાન ગ્રહણ કર્યું નથી.” એમ વિચારીને દૂર રહેલા તેઓએ સાત દિવસ સુધી તેને છે. ત્યારપછી તે સુલસ તે દિશાએ પણ જાત નહતો ત્યારે વિસ્મય પામેલા તેઓએ તેની તે ચેષ્ટા રાજાને કહી. ત્યારે સંભ્રમ સહિત રાજાએ સુલસને બોલાવીને કહ્યું કે-“હે ભદ્ર! તેં જોયા છતાં પણ તે નિધાનને કેમ ગ્રહણ કર્યું નહીં ?” ત્યારે તેણે પોતાના પરિગ્રહના પ્રમાણુનો વૃત્તાંત નિવેદન કર્યો ત્યારે રાજાએ નહીં ઈચ્છતા છતાં પણ તેને ભાંડાગારમાં ની. પછી એક દિવસ તે નગરમાં અમરચંદ્ર નામના સૂરિ આવ્યા. ત્યારે કોઈ એક પુરુષે સુલસને તેનું આગમન જણાવ્યું અને તેણે રાજાને કહ્યું. પછી પરિવાર સહિત તે બને ત્યાં જઈને તથા તે સૂરિને નમીને મેગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તે ગુરુએ ભવ્ય જીના મનવાંછિતને આપનારી અને પ્રતિબોધ કરનારી ધર્મદેશના આપી. આ અવસરે તે સુલસે પૂછયું કે-“હે ભગવાન! કgવડે મેળવી મેળવીને પણ મારી લીમી કેમ નાશ પામી?” ત્યારે તે ચાર જ્ઞાનવડે શોભતા શુભ ગુરુ બેલ્યા કે-“મેળવેલી પણ તારી લક્ષમી જે ગઈ, તેનું કારણ તું સાંભળ. પૂર્વભવે તું તામ્રાકર નામના ગામમાં દાન દેવાની શ્રદ્ધામાં તત્પર તારાચંદ્ર નામને કુટુંબી હતે. યાચક અને સાધુ વિગેરેને દાન દેતે તે અનુક્રમે શ્રાવક થશે, પરંતુ તે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org