________________
ષષ્ટ પ્રસ્તાવ-સુલસને જિનશેખર દેવે કરેલ સહાય.
[ ૧૮૫ ]
ભેજન આપતા હતા. એક વખત રાત્રિએ સૂતેલા તેને તે મણિ તેઓએ ગ્રહણ કર્યો અને તેને ઠેકાણે તેટલા પ્રમાણવાળા બીજો પથ્થર બાં. પછી સુવર્ણ સિદ્ધ ન થવાથી તે સ્થાનથકી તે ચાલ્યો, અને અનુક્રમે અટવીશીષ નામના નગરમાં આવે. જેટલામાં રત્નને વેચવા માટે તે ગાંઠને જેટલામાં તેણે છોડી, તેટલામાં ત્યાં પથ્થર છે અને સર્પને મણિ જે નહીં. ત્યારે તેણે વિચાર્યું કે-“તે ધાતુવાદીઓએ તેને ચેર્યો છે, અથવા તેઓને શો દેષ? મારા કર્મો જ આ દેષ છે.” પછી એક દિવસ કૃષ્ણપક્ષની ચતુર્દશીની મધ્ય રાત્રિએ મોટા સમશાનને વિષે જઈને મોટા સ્વરે તે આ પ્રમાણે બલ્ય, કે-“હે વેતાળ અને ભૂત! તમે આદરવાળા ( સાવધાન) થઈને મારું વચન સાંભળે, કે મોટા માંસને હું વેચું છું. જેની ઈચ્છા હોય, તે તેને ગ્રહણ કરો.” તે સાંભળીને કિલ કિલ શબ્દને કરતા, હાથમાં કત્રિકા(કાતર)ને ધારણ કરતા અને નૃત્ય કરતા તે ભૂત અને પ્રેત વિગેરે તરત જ ત્યાં આવ્યા. અને બેલ્યા કે –“જે વૈરાગ્યને લીધે તે મોટા માંસને વેચતે હેય, તે તું આ ઠેકાણે પડ, જેથી અમે તે ગ્રહણ કરીએ. ” ત્યારે ભય રહિત સુલસ તે પૃથ્વીતળ ઉપર પડ્યો. તેનું માંસ ગ્રહણ કરવા માટે તેઓ તેની ચોતરફ આવ્યા. તે વખતે જિનશેખર દેવ તેવા પ્રકારે રહેલે તેને જાણીને શીધ્રપણે ત્યાં આવ્યો, ત્યારે તે ભૂતાદિક નાશી ગયા. દેવ છે કે–“હે મિત્ર શ્રાવક! હું તને વાંદું છું. જિનશાસનમાં કુશળ એવા તેં આવું કાર્ય કેમ આરંહ્યું? તે વખતે તે કૂવાને વિષે જે નિઝામણા કરાવી હતી, તે હું જિનશેખર નામને તારે મિત્ર છું. હે ભદ્ર! તારી આરાધનાવડે સહસાર દેવકને વિષે હું ઇંદ્રને સામાનિક દેવ થયે છું, તેથી તું સર્વ પ્રકારે ગુરુ છે.” તેને જોઈને સુલસ પણ તત્કાળ “ હું પણ તને વાંદું છું” એમ બોલતે ઊભે થયા, અને તેને સ્વાગત પૂછયું. દેવ બેલ્યો કે “હે મિત્ર! હું તારું શું ઈષ્ટ કરું?” તે બોલ્યો કે--“જે તારું દર્શન મને થયું, તે જ મને ઈષ્ટ છે, તો પણ તું મને કહે, કે હજુ મારે ગાઢ અંતરાય કર્મ કેટલું છે? કે જેથી હું વ્રતને ગ્રહણ કરું. ” દેવ બે કે –“હે મિત્ર! તે તારું કર્મ પ્રાયે કરીને ક્ષીણ થયું છે, અને ભેગના ફળવાળું કર્મ બાકી છે, તેથી હજુ તું વ્રતને ચગ્ય નથી. આ પછી દેવે મેટા મૂલ્યવાળા માણિકય, સુવર્ણ અને ધનના સમૂહ તથા મનોહર વસ્ત્રો વિગેરે તેને આપ્યા. સુલસ બે કે–
હે દેવ! મને મોટા સાથે સાથે પિતાને સ્થાને લઈ જા, કે જેથી મારી પ્રસિદ્ધિ થાય.” દેવ પણ તે પ્રમાણે કરીને પોતાને સ્થાને ગયા. ત્યાં રાજાએ સુલસનું આગમન જાયું અને તેની સામે જવાપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. ઉચિતને જાણનાર સુલસે પણ રાજાને ઉપકાર માન્ય. પછી ઘેર ગયેલા સુલસની સારા કુલવાળી તે પ્રિયાએ પૂજા કરી, અને ઘરને વિષે વધુપન કર્યું. વેણના બંધ અને શ્વેત વસ્ત્રવડે શોભતી તે કામ પતાકા વેશ્યાને સુભદ્રાની પાસે રહેલી તેણે જોઈ. અનુરાગવાળી તે પણ સુલસની ભાર્યા થઈ. આ પ્રમાણે ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org