SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. છસ્થપણાથી જે કરેલા દુષ્કૃતને તું જાણતે હોય, કે ન જાણતે હેય, તેનું સિહોની સાક્ષીએ તારે મિઆદુષ્કૃત છે. ચારે ગતિવાળા આ સંસારમાં જે છોને તે દુભવ્યા હોય, તે સર્વેને પણ તારે મિથ્યાદુષ્કૃત છે. જેમ દુસ્સહ સંગ્રામને વિષે શૂરવીર માણસ જય પતાકાને ગ્રહણ કરે છે, તેમ તું આ દુસહ વેદનાના સમૂહને વિષે આ આરાધનાને ગ્રહણ કર.” આ પ્રમાણે આ આરાધના સુલસ શ્રાવકે કહી, તે જિનશેખર નામના શ્રાવકે અંગીકાર કરી. ભક્તને ત્યાગ (અનશન) કરીને નમસ્કારનું સ્મરણ કરતે તે જિનશેખર મરીને આઠમા દેવલોકમાં દેવ થયે પછી હુંકારને નહીં દેવાથી સુલસે તેને મરેલો જાયે. ત્યારે શેકના સમૂહથી વ્યાપ્ત કંઠવાળે તે મોટા સ્વરે રોવા લાગ્યું, કે- “હે ગુણના આલય (ઘર)! હે મહાશય ! હે સાધમિક જિનશેખર બંધુ! તું દુખી થયેલા મને મૂકીને ક્યાં ગયે છે? હું માનું છું કે-ધર્મની આરાધનારૂપ રજવડે સંસારરૂપી કૂવામાંથી નીકળીને રસકપમાં રહેલે પણ તું સ્વર્ગને પામ્યા છે.” આ અવસરે તે ગોધા આવીને તથા તે રસ પીને ચાલી, તેના પુચ્છને વિષે સુલસ દઢ રીતે વળગે. ગોધાના પુચ્છને લાગે તે કઈ ઠેકાણે સૂતેલે, કોઈ ઠેકાણે ઉકેલે અને કેઈ ઠેકાણે બેઠેલે થઈને તે કૂવામાંથી કષ્ટ કરીને બહાર નીકળે. સૂર્યને અને પર્વતેને જોઈને તેણે તેના પુચ્છને મૂકી દીધું. તેણી પણ તેના ભયથી બીક પામીને વેગથી પિતાને સ્થાને ગઈ. પછી એક દિશાને આશ્રીને તે જેટલામાં ચાલે તેટલામાં એક હાથીએ તેને જે, ત્યારે તે પણ તેના તરફ દોડ્યો. ત્યારે તેણે વિચાર્યું કે “અહે! જેટલામાં હું એક દુઃખના અંતને નથી પામતે, તેટલામાં ક્યાંથી પણ મને બીજું દુઃખ આવી પડે છે. ” પછી નાશી જતા તેને મેટા ક્રોધથી વ્યાપ્ત થયેલા તે હાથીએ સુંઢવડે પકડ્યો અને આકાશ તળમાં ફેંકયો. ભવિતવ્યતાના ચગવડ નીચે પડતે તે એક વૃક્ષની શાખાનું અવલંબન કરીને ત્યાં જ દૂઢ અને સ્થિર ચિત્તવાળો રહ્યો. એટલામાં તે હાથી ક્રોધથી તે વૃક્ષ ઉપર વેધ દેવા લાગ્યો, તેટલામાં ત્યાં એક સિંહ આવ્યું, અને તેણે તે હાથીને મારી નાંખે. પછી ત્યાં હાથીનું માંસ ખાવા માટે વાઘ આવ્યું. એક ભયને માટે તે વાઘ અને સિંહનું યુદ્ધ પ્રવર્યું. આ પ્રમાણે તેઓ યુદ્ધ કરતા હતા ત્યારે રાત્રિ થઈ, અને તે વખતે વૃક્ષની એક શાખા ઉપર પ્રકાશ થયે. પછી આલસ રહિત તે સલસે “ આ શું છે?” એમ વિસ્મય પામીને એક પક્ષીના માળામાં એક ઉત્તમ મણિ છે. તથા તેની પાસે સના અસ્થિ (હાડકાં) જોઈને તેણે એમ વિચાર્યું કે-“ખરેખર વિષને હરણ કરનાર આ સપનું ફણારત્ન છે.” તેને હાથમાં ગ્રહણ કરીને વૃક્ષ ઉપરથી તે ઉતર્યો. અગ્નિની જેવા તેનાં તેજ વડે વાઘ અને સિંહ નાશી ગયા. રાત્રિ પ્રભાતરૂપ થઈ ત્યારે તે રત્નને વસ્ત્રની ગાંઠમાં બાંધીને તે સુલભ સાત દિવસે અરણ્યના પારને પામે. રાત્રિએ એક પર્વત ઉપર અગ્નિથી ઉત્પન્ન થયેલા ઉદ્યોતને જોઈને તે તેને અનુસાર ધાતુવાદીની સમીપે ગયે. કેટલાક દિવસ સુધી તેની ક્રિયામાં તત્પર તે ત્યાં રહ્યો. અને દક્ષતાને સેવનારા તેઓ જ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy