________________
પણ પ્રસ્તાવઃ પહેલાં દિવ્રતને વિષે સ્વયંભૂદેવને વૃત્તાંત.
[૧૮૭]
કે “અરે! ઘણું દાન આપ્યું. હમણ દાનને સમય નથી માટે હવે પછી નહીં આપું. અથવા દેવાથી પણ અહીં શે ગુણ છે? વંશની પ્રસિદ્ધિને કરનારું બંદીઓને દાન આપવું સારું છે, પણ જેઓ પ્રશંસા કરતા નથી, તે સાધુઓને આપવાથી શું ફળ?” આ પ્રમાણે મનમાં રહેલા ભાવ(વિચાર )વડે તે તારાચંદ્દે વિવેક રહિતપણાને લીધે આંતરે આંતરે દઢ અંતરાય કર્મ બાંધ્યું. ફરીથી સાધુને જોઈને તેને શ્રેષ્ઠ દાનની શ્રદ્ધા થઈ. એ પ્રમાણે અનેક વખત દાન આપ્યું, અને તે દુબુદ્ધિથી ખંડિત કર્યું. તે અંતે સમાધિવડે મરીને સૌધર્મદેવલેકમાં દેવ થયા. ત્યાંથી ચવીને સૌમ્ય! તું શ્રેણીપુત્ર થયો છે, તેથી હે ભદ્ર સારા વિવેકી જનાએ મનની શુદ્ધિવડે દાન આપવું જોઈએ. બીજું પણ સમગ્ર ધર્મકાર્ય તે મનની શુદ્ધિથી સફળ થાય છે.” ત્યારે પ્રતિબંધ પામેલા સુલસે રાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે રાજા! હું આજે દીક્ષા ગ્રહણ કરીશ. મને રજા આપે.” રાજા બે કે-“હે સુંદર ! હું પણ પ્રતિબંધ પામે છું, તેથી રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને હું પણ અવશ્ય દીક્ષા લઈશ.” પછી ગુરુને નમીને, ઘેર જઈને તથા પુત્રને રાજા કરીને તે ધન્ય રાજા અને સુલસે દીક્ષા ગ્રહણ કરી. સંવેગથી ભાવિત થયેલા તે બને ઉગ્ર તપ કરવા લાગ્યા. પછી કેવળજ્ઞાન પામીને સુલસ મેક્ષમાં ગયે. હે ચક્રાયુધ રાજા ! પાંચમા અણુવ્રતને વિષે તને આ સુલસની કથા કહી.
આ પ્રમાણે પરિગ્રહ પ્રમાણને વિષે સુલસની કથા કહી,
પ્રભુ કહે છે “હે રાજા! આ પ્રમાણે પાંચે અણુવ્રતો મેં તને કહા. હવે તું ગુણતેને સાંભળ. પહેલું દિગ્ગવત, બીજું ભેગે પગ વ્રત અને ત્રીજું અનર્થદંડ એ પ્રમાણે ગુણવ્રત ત્રણ પ્રકારે છે. પૂર્વાદિક દિશાઓને વિષે તિરછું તથા ઊંચે અને નીચે જે પરિમાણુ કરાય, તે પહેલું ગુણવ્રત છે. આ વ્રતને વિષે અવધિ ન કરી હોય, તે તે જીવ સ્વેચ્છા દેશમાં ગયેલા સ્વયંભૂદેવની જેમ અનેક દુઃખ પામે છે.
અનેક કરેલા આવાસ(ઘર)વડે સાંકડું, લક્ષ્મીને વશ કરનારું અને શત્રુઓને મહાભયંકર ગંગાતટ નામનું નગર છે. તેમાં નિમેલા અને દરેક દેશમાં જતા દૂતાના સમૂહવડે સર્વ રાજાઓના વૃત્તાંતને જાણનાર સુદત નામનો રાજા હતા. તેમાં ખેતી વિગેરે કાર્યમાં આસક્ત અને સંતેષ રહિત સ્વયંભૂદેવ નામને કુટુંબી રહેતું હતું. એક વખત રાત્રિને વિષે નિદ્રાને વિરામ થયો ત્યારે તેણે આ પ્રમાણે વિચાર્યું કે“અહીં રહેલા મને મનવાંછિત લાભ થતું નથી, તેથી કોઈપણ દેશાંતરમાં જઈને તથા લક્ષમી ઉપાર્જન કરીને પોતાના (મારા) સર્વે મનેરથાને હું પૂર્ણ કરીશ.” પછી સામગ્રી તૈયાર કરીને તે ઉત્તરાપથમાં ગયો. અને ધીમે ધીમે લક્ષ્મીશીર્ષક નામના શ્રેષ્ઠ નગરમાં ગયો. તેની અંદર પ્રવેશ કરીને વેપાર કરતા તેને જે લાભ પોતાના કર્મો સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org