SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવ : પરિગ્રહના સંબંધમાં પ્રભુએ કહેલ સુલસની કથા. ૧૭૭ ] શું તેને હું તમને દેખાડું?” રાજાએ કહ્યું કે-“તે પક્ષીને અહીં લાવીને મને દેખાડ, કે જેથી તેના સારા સ્વરને સાંભળું, અને જોઉં.” ત્યારે તેણે જલદીથી તેને લાવીને રાજાની પાસે મૂક. રાજા બે કે “અહે! આનું રૂપ અપૂર્વ છે, કે જેથી આ મનુષ્યની જેવો છે અને પાંખેવડે યુક્ત છે. તે હવે તું મને કાનને સુખ આપનાર આને સ્વર સંભળાવ.” ત્યારે તેણે પ્રમાર્જન(ચાબૂક) લઈને તેની આરવડે તેને અત્યંત વિખ્યા, અને “તું બોલ.” એમ કહ્યું. ત્યારે “હું શું બેલું ?” એમ તે બે . રાજા પણ તેનું દર્શન જોઈને તથા તેને ઓળખીને બે, કે-“હે પુષ્પદેવ! આ પક્ષી મારા પુરોહિત જે દેખાય છે. ત્યારે “તે જ આ છે.” એમ તેણે કહ્યું ત્યારે ફરીથી રાજ બે કે-“આને આવે કેમ કર્યો?” ત્યારે તેણે તેની કથા કહી. પછી રાજાએ આરક્ષક પુરુષને આ પ્રમાણે આદેશ આપ્યો કે “ અરે! આ અન્યાય કરનારા અધમને મારી નાખે.” ત્યારે તેઓએ વિવિધ પ્રકારની વિડંબના કરીને, આખા નગરમાં ભમાડીને તેને મારી નાખ્યો. તે ઘેર નરકમાં ગયે. ત્યાં પણ જાજ્વલ્યમાન લેઢાની પુતળીને આલિંગન કરવા વિગેરે દુઃખને સહન કરીને તે અપાર સંસારમાં ભમશે. આ પ્રમાણે ચેથા વ્રતને વિષે કરાલપિંગની કથા કહી. સ્થળ પરિગ્રહવત સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદવડે ત્રણ પ્રકારનું છે. તથા અહો ! તે નવ પ્રકારે હોય છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ(ઘર), રૂપ, કુષ્ય, સુવર્ણ, દ્વિપદ અને ચતુપદ-આ નવ પ્રકારના પરિગ્રહને વિષે પ્રમાણ કરવું. આનાથી નિવૃત્ત નહીં થયેલા પ્રાણીઓને આ જગતમાં સુલસ શ્રાવકની જેમ નિરંતર દુઃખે પ્રાપ્ત થાય છે.” ત્યારે ચકાયુધ રાજા બે કે-“હે ભગવાન! આ સુલસ કેણુ છે?” શ્રી શાંતિનાથ પ્રભુ બોલ્યા કે આ ભરતક્ષેત્રને વિષે અમરપુર નામનું નગર છે. તેમાં અમરસેન નામને બળવાન રાજા હતા. તેમાં વિવેકવાળ, સ્થિર સમકિતવાળ, જિનેશ્વર અને સાધુને પૂજનારો વૃષભદત્ત નામને શ્રેષ્ઠી શ્રાવક રહેતો હતો. તેને ગુણે વડે યુક્ત જિનદેવી નામની ભાય હતી. તેમને સુંદરતાના સારના કળશ સમાન સલસ નામનો પુત્ર હતો. પછી તે યૌવનને પામ્યા. ત્યારે માતાપિતાએ તેને જિનદાસની પુત્રી સુભદ્રા નામની કન્યા પરણાવી. પછી તે પિતાના ઉપદેશથી ગુરુની પાસે ગયા. ત્યાં શ્રાવકના વ્રતે તેણે ગ્રહણ ર્યા, પરંતુ પરિગ્રહનું પ્રમાણ ગ્રહણ કર્યું નહીં. તે કળાને વિષે રસિક હતું, અને વિષયમાં રાગી નહોતે. તેવા પ્રકારનો તેને જોઈને શેઠાણીએ શેઠને કહ્યું, કે-“હે નાથ ! આપણે પુત્ર જેથી કરીને નિઃસ્પૃહી દેખાય છે, તેથી તમે તે પ્રકારે કરે, કે જે પ્રકારે તે વિષયની ઈચછાવાળે થાય.” શેઠ બોલ્યા કે-“તું આવું ન બેલ, કેમકે જન્મ ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy