SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ - - --- - -- [ ૧૭૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. દિવસ તે પુરહિત કાંઈક હિતકારક કર્મવડે રાજાએ તુષ્ટમાન (પ્રસન્ન) કર્યો, ત્યારે તેણે તેને વરદાન આપ્યું. ત્યારે વિષયમાં આસક્ત ચિત્તવાળા તેણે આ પ્રમાણે માગ્યું કે “હે મારે આ નગરમાં ઇરછા પ્રમાણે સ્ત્રીઓ સાથે ક્રીડા કરવી.” રાજા બોયે કે-“ અહીં જે કઈ સ્ત્રી તને છે, તેને તારે સર્વદા સેવવી, પરંતુ બીજી(ઈચ્છા વિનાની)ને સેવવી નહીં. અને જે નહીં ઈચ્છતી સ્ત્રીની સાથે ક્રીડા કરીશ, અથવા તેની પ્રાર્થના કરીશ, તે પારદારિકની જેમ તારો હું દંડ કરીશ.” પછી તે નગરમાં ઈચ્છા પ્રમાણે ફરતા તે પુરા હિતે એક દિવસ પુષ્પદેવની પ્રિયા પદ્મશ્રીને જોઈ. ત્યારે વિદ્યુલતા નામની તેણીની દાસીને તેણે કહ્યું, કે-“હે ભદ્રા! આ જે પ્રમાણે મને ઈછે, તે પ્રમાણે તેણુને તું કહે.” સતીપણુંનું પાલન કરતી તે કોઈ પણ પ્રકારે તેને ઈચ્છતી નહાતી, ત્યારે કાઈક દિવસ કરાલપિંગે પિતે ક્રીડા કરવા માટે તેને પ્રાર્થના કરી. ત્યારે તે બેલી કે “તું આવું ન બોલ, તારે મિત્ર આ જાણશે.” તે બે -“જે રીતે આ અન્ય સ્થાને જાય, તે રીતે હું કરીશ.” પછી તેણુએ તેની સમગ્ર વાત પિતાના પતિને કહી. ત્યારે તે વચનને મનમાં ધારણ કરીને તે કાળને જોતે (વિચારતો) રહ્યો. પછી એક દિવસ તે પુરોહિતે વિવાના સામર્થ્યથી રાજાના મસ્તકને વિષે દુસહ પીડા ઉત્પન્ન કરી. ત્યારે રાજાએ તેને બોલાવીને તે સ્વરૂપ તેને કહ્યું. ત્યારે તે મંત્રવાદીએ તે મસ્તકની પીડા દૂર કરી. ફરીથી તુષ્ટમાન થયેલા રાજાએ તેને કહ્યું કે-“કાંઈક માગ.” તેણે પણ કહ્યું કે-“હે દેવ! આ મારું વચન તમે કરે.-કિજલ્પી નામના દ્વીપને વિષે સારા સ્વરવાળા કિંજદિપક જાતિના પક્ષીઓ છે. તેને જોવાથી જ તે સુખને આપનારા થાય છે, તેથી તેમને લાવવા માટે પુષ્પદેવ વણિકને મોકલે.” રાજાએ પણ તે અંગીકાર કરીને તે લાવવા માટે તેને વિદાય કર્યો (આજ્ઞા આપી). તે બુદ્ધિમાન પણ “પુરોહિતનું કરેલું આ છે” એમ જાણીને તથા “દેવની આજ્ઞા પ્રમાણ છે.” એમ બેલીને પોતાને ઘેર ગયે. પછી તેણે વિશ્વાસુ માણસની પાસે પોતાના ઘરની અંદર ભૂમિગૃહ (યરૂ) કરાવ્યું, અને તેની ઉપર યંત્રને પલંક કરાવ્યો. તથા તે માણસને કહ્યું કે “જે અહીં પુરહિત આવે, તો તેને ગુપ્ત રીતે જ બાંધીને મારી પાસે લાવ.” આ પ્રમાણે તેઓને આદેશ આપીને પછી તે પોતાના ઘરમાંથી નીકળીને દેશાંતરમાં જવા માટે નગરની બહાર જઈને કઈક ઠેકાણે રહ્યો. પછી હર્ષ પામેલ કરાલપિંગ પુષ્પદેવને ઘેર ગયો, ત્યાં યંત્રના બનાવેલા પયંક ઉપર તેને બેસાડ્યો. અને પછી તરતજ ભૂમિગૃહમાં પડ્યો. ત્યાં રહેલા મનુષ્યોએ તેને મયૂરબંધવડે બાંધીને પુષ્પદેવને સેં. ત્યારે તે પોતાની સાથે તેને દેશાંતરમાં લઈ ગયે. પછી છ મહિને પાછો વળીને ફરીથી તે પોતાના નગરમાં આવ્યો. પછી મીણને ગાળીને તેના વડે પુરોહિતના શરીરને લીંપીને પછી પાંચ વર્ણના પીંછાવડે તેના શરીરને તરફ સુશોભિત કર્યું. પછી રાજાની પાસે જઈને પુષ્પદેવે વિનંતિ કરી કે –હે દેવ ! પક્ષીઓ મેં ઘણા ગ્રહણ કર્યા હતા, પરંતુ માર્ગમાં આવતાં તે સર્વે નાશ (મરણ) પામ્યા. માત્ર એક જ આપે છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy