________________
પણ પ્રસ્તાવ-મૈથુન વ્રત વિષે કરાલપિંગની કથા.
[ ૧૭૫ ]
મારા કણને જોઈને તત્કાળ ભાગીદાર થઈ. જે આજે આ કણથી મારો મોક્ષ થશે, તે હું કેટલાક કાળ આની સાથે ભોગ ભેગવીશ. અન્યથા સાગાર અનશન મારે હો.” આ પ્રમાણે વિચારતા તેને દુષ્ટ આશયવાળા આરક્ષક પુરુષે વધને સ્થાને લઈ ગયા. પોતાના મનની ઈચ્છા પ્રમાણે વર્તનારી અને કરેલા નિશ્ચયવાળા પ્રિય મિત્રની પુત્રી તે કન્યાએ ગૃહત્યમાં જઈ કાયોત્સર્ગ કર્યો અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું કે-“હે માતા જિનેશ્વરની શાસનદેવતા! જો હું જેનશાસન-(ધર્મ)વાળી હેલું, તે મારું સાનિધ્ય કર.” ત્યારે તેણુના અને તેના (જિનદત્તના) સારા શાળવડે તુષ્ટમાન થયેલી શાસનદેવતાએ તત્કાળ ત્રણ વાર તૃણની જેમ શળિકાને ભાંગી નાંખી. ત્યારે તેને વૃક્ષ ઉપર બાંધ્યું. તે દેરડું પણ તરત જ તૂટી ગયું. પછી ખગના પ્રહાર કર્યો, તે પણ પુષ્પની માળા જેવા થયા. આ તેને અતિશય જેઈને વિસ્મય પામેલા આરક્ષક પુરુષોએ આવીને તે વૃત્તાંત રાજાને કહ્યો. ભય અને વિરમયથી ભરપૂર થયેલ તે રાજા જલદી ત્યાં જઈને જિનદત્તને હાથી ઉપર ચડાવીને પિતાને ઘેર લાવ્યું. પછી રાજાએ પૂછેલા જિનદત્ત સર્વ વૃત્તાંત તેને કહો. અને જીવદયામાં તત્પર તેણે તે આરક્ષક પુરુષનું પણ રક્ષણ કર્યું. પછી રાજાએ અનુજ્ઞા આપેલ તે પોતાને ઘેર ગયે. તેના પિતાદિક સર્વે સ્વજનો પણ અત્યંત આનંદ પામ્યા. પ્રિયમિત્રે આવીને બુદ્ધિમાન જિનદત્તને પિતાની પુત્રીએ દેવતાની આરાધના કરી તે વગેરે વાત કહી. ત્યારે તુષ્ટમાન થયેલ તે જિનદત્ત સારા મુહુર્ત મહત્સવપૂર્વક તે જિનમતી સતીને પરણ્ય. પછી કેટલાક કાળ તેણની સાથે ભોગ ભેળવીને વિરક્ત આત્માવાળા તેણે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા લીધી. ચિરકાળ સુધી ખડ્ઝની ધાર જેવી દીક્ષા પાળીને તે બને સમાધિમાં તત્પર થઈને છેવટ મરીને સ્વર્ગે ગયા.
આ પ્રમાણે પરધનહરણની વિરતિને વિષે જિનદત્તની કથા કહી
દારિક અને વૈક્રિય એમ બે પ્રકારનું મૈથુનવ્રત છે. તેમાં તિર્યંચ અને મનુષ્યના ભેદે કરીને દારિક બે પ્રકારનું હોય છે. તથા વૈક્રિયમૈથુન દેવીને વિષે રહેલું એક જ પ્રકારનું જાણવું. આ વ્રત સર્વવતેને મધ્યે દુસહ છે. જેમ કરાલપિગ નામનો પુરહિત દુઃખનું સ્થાન છે, તેમ પદારામાં આસક્ત થયેલા પ્રાણીઓને અનેક પ્રકારનાં દુઃખો થાય છે.” ત્યારે “કરાલપિંગ નામનો કેણ હતો?” એમ ચકાયુધ રાજાએ પૂછેલા ભગવાન આ પ્રમાણે બેયા કે-“હે રાજા!
આ ભરતક્ષેત્રને વિષે નલપુર નામનું નગર છે. તેમાં મહાભુજાવાળે નલપુત્ર નામને રાજા હતો. તેને કરાલપિંગ નામને અતિઈણ પુરોહિત હતા. તે શાંતિ કર્મમાં નિપુણ અને રૂપ, યૌવન તથા ધનવાળો હતો. તે નગરમાં મોટા શ્રેષ્ઠીને પુત્ર પુ૫દેવ નામને શ્રેણી વણિક તે પુરોહિતને મિત્ર રહેતે હતો. તેને પતિવ્રત વિગેરે સ્ત્રીઓના ગુણો વડે ભૂષિત કરાયેલી, શ્રેષ્ઠ અને પ્રાણુને વહાલી પદમશ્રી નામની ભાર્યા હતી. પછી કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org