SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. સુખમડનની કળાના કૌતુકથી મે' તમને આ પૂછ્યું છે. અન્યથા તેા હૈ મિત્ર ! અહીં સ્ત્રી કથા કરવી ચેગ્ય નથી.” આ પ્રમાણે કહીને રહેલા તેને જિનમતીએ જોચે, અને સુંદર આકારવાળા તેને વિષે તેણીના અનુરાગ થયેા. તે તેણીના મનમાં રહેલે અભિપ્રાય સખીએએ જાણ્યા. પછી ઘેર પ્રાપ્ત થયેલી તેઓએ તે અભિપ્રાય તેણીના માતાપિતાને જણાવ્યા. જિનદત્ત પણ ઘેર જઇને ભાજન કરીને તથા દુકાને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વ્યાપાર કરવા લાગ્યું. જિનમતીના પિતાએ જિનદાસની પાસે જઈને કન્યાદાન કર્યું. એણે પણ હર્ષથી તે અંગીકાર કર્યું. ઘેર આવેલા પુત્રને તે વૃત્તાંત પિતાએ જણુાગ્યે, અને તે દીક્ષાની અભિલાષાવાળા હાવાથી માનતા નહાતા. જિનાલયમાં જવા વિગેરેના પેાતાના વૃત્તાંત નિવેદન કરીને તે પિતાવડે વિવાહુને માટે ક્રીથી કહેવાયેલા મૌન રહ્યો. પછી કાઈક દિવસે પેાતાના ઘરમાંથી નીકળતી તે કન્યાને નગરના આરક્ષક વસુદત્ત નામના ભાગીએ જોઈ. ત્યારપછી અનુરાગ ઉત્પન્ન થવાથી તેણે જઈને તેણીના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેણે ‘જિનદત્તને આપી છે' એમ કહ્યું. ત્યારે રાષ પામેલા તે દુષ્ટાત્મા જિનદત્તને મારવાની બુદ્ધિથી નિરંતર તેના છિદ્રને શેાધનાર થયા. પછી એક દિવસ અશ્વ વહન કરવાની ક્રીડાવડે ઉદ્યાનમાં ગયેલ રાજાના કાનનું કુંડલ અશ્વ વેગથી ચાલતા હાવાથી પડી ગયું. તે રાજકુળમાં આવેલા તે રાજાએ જાણ્યું ત્યારે તેની શેાધ કરવા માટે વસુદત્તને આજ્ઞા આપી. તેને માટે તે જેટલામાં ચાલ્યે તેટલામાં તેની આગળ ચાલતા જિનદત્ત કાર્યક્ર કાર્ય વડે બહાર જવા પ્રવર્ત્ય. માર્ગોમાં તે કુંડલ જોઇને તે દૂર ચાહ્યા, કેમકે સજ્જના પરના દ્રવ્યને ઢેફા જેવુ' જુએ છે. વસુદત્ત પાતે ત્યાં આવ્યા, અને આ શું છે ? એમ વિચારતાં તેણે તે કુંડલ જોઇને તથા ગ્રહણ કરીને તરત જ રાજાને આપ્યુ. રાજા મેલ્યા કે—“ હે ભદ્રે ! તેં ક્યાંથી પ્રાપ્ત કર્યું ? ” ત્યારે ‘જિનદત્ત પાસેથી મેં પ્રાપ્ત કર્યું.' એમ તે દુષ્ટ બુદ્ધિવાળા મેલ્યા, “ અહેા ! શું જિનદત્ત પરદ્રવ્યનું હરણ કરે છે ? ” એમ રાજાએ પૂછ્યું ત્યારે વસુદત્ત ફરીથી ખેલ્યા, કે“ હે પ્રભુ ! જિનદત્તની જેવા બીજો કાઇ પણુ તસ્કર છે નહીં, કે જે બીજાના જોતાં છતાં પણ હુ ંમેશાં બીજાનું ધન હરી લે છે.” ત્યારે મનમાં ક્રોધ પામેલા રાજાએ આજ્ઞા આપી કે “ આના વધ કરવા. ” ત્યારે વસુદત્તે પણ તેને બાંધીને ગધેડા ઉપર આરાપણુ કર્યા. તેનુ શરીર રાતા ચંદનવડે લીંપ્યુ હતુ, રસ રહિત ડીંગીંગ વાગતા હતા. માણુસા હાહારવ કરતા હતા. આ રીતે નગરીની મધ્યે લઇ જવાતા તેને ઘરમાંથી નીકળેલી જિનમતીએ જોચે.. અને અતિ ગુપ્ત રુદન કરતી તેણીએ આમ વિચાયું કે—“ ધર્મના અથી, દયાવાળા, દેવ અને ગુરુની ભક્તિમાં તત્પર તથા નિરપરાધી આ જિનદત્ત અરે ! કેવી દુર્દશાને પામ્યા ? તે વખતે કપટ રહિત સ્નેહવડે વહાલી તેણીને જોઈને તત્કાળ અનુરાગને વશ થયેલા જિનદત્તે પણ પેાતાના મનમાં વિચાર કર્યાં કે— “ મહા ! આની કાઇ પણ અકૃત્રિમ ( સ્વાભાવિક ) પ્રીતિ મારે વિષે વર્તે છે કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy