SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવ–અદત્તના વિષયમાં જિનદત્તની કથા. [ ૧૭૩ ] ,, તે લેવા માટે હું આવ્યા, તેટલામાં ત્યાં કાના આટાપે કરીને ભયંકર એક સર્પ મે જોયા, તથા આ દેવતાવર્ડ અધિષ્ઠિત છે એમ મેં વિચાર્યું. તેથી હું દેવ ! જો તમારી અનુજ્ઞા હાય, તેા દ્રવ્યને ગુપ્ત કરનાર તે સર્પને હું અહીં કાઇપણુ ઉપાયવડે હર્યું. ત્યારે “ એમ કર ” એમ રાજાએ કહ્યુ ત્યારે તેણે તત્કાળ કાષ્ઠોડે વ્રુક્ષના કાટરને પૂર્ણ કર્યું, તથા તેની બહાર ચાતરમ્ કાઇ નાંખ્યા. પછી અગ્નિ સળગાવવાના આરભ કર્યો ત્યારે છાણાથી ઉત્પન્ન થયેલેા મેાટા ધૂમાડા થયા. તેનાવડે રૂધાયેલા નેત્રવાળા દુષ્ટ બુદ્ધિના તે પિતા તત્કાળ પૃથ્વી તળ ઉપર પડ્યો. અને “ આ તા ભદ્રં શ્રેણી છે ” એમ રાજાએ અને લાકાએ તેને ઓળખ્યા “ આ શું ? ” એમ કોતુક પામેલા સર્વેએ પૂછેલા તે આા કે-“ આ દુષ્ટ મારી પાસે ફૂટ સાક્ષિણું કરાવ્યું. મૃષાવાદથી ઉત્પન્ન થયેલું પાપ મને આ ભવમાં જ ફળીભૂત થયુ' એમ જાણીને હું લેાકેા ! કાઇએ અસત્ય ખેાલવું નહીં. ' એમ કહીને તે સારી બુદ્ધિવાળા ભગ્ન સ્થિર રહ્યો. પછી રાજાએ તેના પુત્રની પાસેથી સર્વ ધન લઈને તેને પેાતાના નગરમાંથી કાઢી મૂકયેા. અને સુબુદ્ધિને તે રાજાએ વસ્ર અને અલંકારાદિવડે પૂજ્યેા તથા સત્યપણુાથી સર્વ લેાકની પ્રશસાને તે પામ્યા. આ લાકને વિષે પણ અસહ્ય દુઃખનું કારણ છે, એમ જાણીને હું ચઢાયુધ રાજા ! તે તારૂં તજવું. અસત્યના વિષયમાં ભદ્રે શ્રેષ્ઠીની કથા. સ્થૂલ અદત્તના ત્યાગ નામનું આ ( ત્રીજી ) અણુવ્રત જિનદત્તની જેમ ગુણુ કરનારું' છે, તેથી તેને પ્રયત્નવડે પાળવુ. નગરના ગુ@ાવડે વ્યાસ વસતપુર એવા નામનું નગર છે. તેમાં યથાર્થ નામવાળા જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં જિનદાસના પુત્ર જિનદત્ત નામના જીવાજીવાદિ તત્ત્વને જાણનાર શ્રાવક હતા. પછી યૌવનને પામેલા તે દીક્ષા ગ્રહણુ કરવાના અંત:કરણવાળા થયા, તેથી પ્રાર્થના કર્યા છતાં પણ તે કુલવાન કન્યાના વિવાહને ઈચ્છતા નહાતા. એક વખત મિત્રમ ડળ સહિત તે ઉપવનમાં ગયા, અને ત્યાં ઊંચા શિખરવાળું જિનાલય તેણે જોયુ. ત્યારે વિધિવડે તેમાં પ્રવેશ કરીને પુષ્પાદિકવડે જિનેશ્વરની પૂજા કરીને તેણે ચૈત્યવંદન કર્યું. તે વખતે ઉત્તરીય વસ્રવડે ઢાંકેલા મુખવાળી એક કન્યાએ આવીને શ્વેત દ્રવ્યવડે જિનપ્રતિમાનું મુખમંડન કર્યું. પછી જિનખિ ંબના કપાલમાં પત્રવેલને રચતી તેણીન જોઇને આશ્ચર્ય પામેલા જિનદત્તે મિત્રાને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું). કે—“ હે મિત્રા ! આ કૈાની પુત્રી છે ? ” તેઓ મેલ્યા કે-“પ્રિયમિત્ર સાર્થવાહની આ પુત્રી તારા જાણવામાં શું નથી ? આ જિનમતી નામની જેમ સ્ત્રીઓના મુગટ સમાન છે તેમ તું પણ રૂપાદિક ગુણે કરીને પુરુષાના શિરામણિ સમાન છે. જો વિધાતા ગૃહવાસવડે તમારા બન્નેના સંયાગ કરે, તા તેના નિર્માણના પ્રયાસ સફળ થાય. ” જિનદત્ત એલ્સે કે“ હે મિત્ર! આ ઠેકાણે મારી સાથે જે તમે હાસ્ય કર્યું, તે તમે ચેાગ્ય કર્યું નથી. બીજાના અભિપ્રાય જાણવામાં નિપુણ અને અનુસરનારા એવા પણ તમે દીક્ષા લેવાના આશયવાળા મને શું નથી જાણતા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy