SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કર્યું છે, કેમકે આ સ્થાનને આપણું બે વિના બીજો કોઈ પણ જાણતો નથી.” ત્યારે તે બે કે “જે હું ધનને હરણ કરવાની ઇચ્છાવાળો હોત, તે એકાંતમાં પ્રાપ્ત થયેલ તે ધન પહેલાં પણ મેં તેને કહ્યું ન હતું, પરંતુ તે તે પિતાના વંચકપણાએ કરીને મારી પણ અવજ્ઞા કરે છે, કેમકે પિત્તથી વ્યાપ્ત થયેલે પ્રાણુ જળને પણ અગ્નિની જેમ જુએ છે.” આ પ્રમાણે કલહ કરતા તે બન્ને રાજાની પાસે ગયા. તેમાં પ્રથમ તે દુર્બુદ્ધિએ તેને વિનંતિ આ પ્રમાણે કરી કે-“હે દેવ! અમે બેએ કેઈક ઠેકાણે નિધિ પ્રાપ્ત કર્યો હતો, તે અમે લેભીએ તમને નિવેદન કર્યું ન હતું, અને તમારા ભયથી અમુક ઠેકાણે નાંખ્યો હતો. આ સુબુદ્ધિએ મને છેતરીને તે ગ્રહણ કર્યો છે. આ પ્રમાણે જાણીને હે રાજા ! જેમ યંગ્ય લાગે તેમ કરે.” રાજાએ કહ્યું કે-“આ બાબતમાં તારો સાક્ષી કોણ છે?” ત્યારે તે દુબુદ્ધિ વિચારીને ફરીથી આ વચન બે-“હે રાજા ! જેની નીચે તે દ્રવ્યને નાંખ્યું હતું, તે માટે વૃક્ષ જ અહીં અવશ્ય સાક્ષી છે. “આ વિત્ત આણે ગ્રહણ કર્યું છે.” એવું વચન જે તે વૃક્ષ બેલે, તે હે રાજા! મને સત્ય વચનવાળે જાણવો.” રાજાએ કહ્યું કે-“જે આ પ્રમાણે કોઈ પણ રીતે તું કરીશ, તે લોકને વિષે તું એક જ સત્ય વાણુવાળા થઈશ.” “આ કાર્ય હું કાલે કરીશ.” એમ દુષ્ટબુદ્ધિએ કહ્યું, ત્યારે તે બન્નેના સાક્ષી લઈને રાજાએ તેમને ઘરે જવાની રજા આપી. “અહો ! આ દુર્ઘટ કાર્ય શી રીતે કરશે? અથવા તે ધર્મને જ જય થાય છે.” એમ વિચારતો સુબુદ્ધિ પોતાને ઘેર ગયે. બીજે પણ ઘેર ગયે. ત્યાં ભદ્ર નામના પિતાના પિતાને તેણે કહ્યું કે-“હે પિતા! તે દીનાર મારા હાથમાં આવી ગયા. રાત્રે તમને હું લઈ જઈને વટના કોટરમાં નાંખીશ. પછી સવારે “સુબુદ્ધિએ ધન લીધું છે.” એમ તમારે બોલવું. ” ત્યારે તે બોલ્યો કે-“હે દુષ્ટબુદ્ધિ! આ સારું નથી, પરંતુ છે પુત્ર! તારા આગ્રહથી મારે કરવું.” એમ કહી તેણે એ પ્રમાણે કર્યું. બીજે દિવસે રાજા .અને નગરના લેકોની પાસે તે વૃક્ષની પૂજા કરીને દુષ્ટબુદ્ધિ આ પ્રમાણે બોલ્યો કે-“તે ધન કોણે ગ્રહણ કર્યું છે? હે વૃક્ષ! તું સત્ય કહે. આ વિવાદ તારે વિષે રહ્યો છે.” ત્યારે વટના કટરમાં રહેલા તે ભદ્ર શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે લેકે! તે ધન સુબુદ્ધિએ ગ્રહણ કર્યા છે, એમ તમે જાણો.” તે સાંભળીને સવે વિસ્મય પામ્યા. અને રાજાએ સુબુદ્ધિને કહ્યું કે-“હે સુબુદ્ધિ ! તું અપરાધી છે. પ્રથમ તે નિધાન મને આપ.” તેણે વિચાર્યું કે-“આ જગતમાં વૃક્ષો કદાપિ બોલે જ નહીં. આ દુબુદ્ધિની કપટ રચના જણાય છે. વટના કોટરમાંથી જે આ વાણી નીકળી, તેથી હું માનું છું કે-આણે સંકેત કરીને કોઈને અહીં નાંખે છે. ” પછી તે બોલ્યો કે-“હે મહારાજા! તમને મારે અવશ્ય ધન આપવું છે, પરંતુ આ બાબતમાં કાંઈક વિનંતિ કરવા લાયક છે. ” ત્યારે “તું વિનંતિ કર.” એમ રાજાએ કહેલો તે બોલ્યો કે-“મેં તે ધન ગ્રહણ કર્યું છે, પરંતુ તેને ઘેર લઈ ગયો નથી. અને અહીં વૃક્ષના કેટરમાં નાંખીને હું ઘેર ગયે હતું, પણ બીજે દિવસે જેટલામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy