________________
ષષ્ટ પ્રસ્તાવ : મૃષાવાદ સંબંધી ભદ્ર શ્રેણીની કથા.
[ ૧૭ ]
પીઠા પામેલે હું પણ કુટુંબ સહિત ત્યાં ગયે અને તે વ્યાધિથી હું મુક્ત થયે, તેથી હું શ્રાવક થયે, અને તે રાજા ! જાવજીવ સુધી હિંસાની વિરતિવાળો થયો છું. હે દેવી તે જ સાધુએ મારા પૂછવાથી પિતાના પ્રતિબંધની કથા મને કહી, તેથી હું પણ તે જાણું છું.” તે સાંભળીને હર્ષ પામેલા ચિત્તવાળા રાજાએ તેને પૂર્યો, અને સર્વ ચંડાળને સ્વામી કર્યો. પછી બીજા ચંડાળ પાસે તે મમ્મણને મરાવ્યો. છેવટે તે યમપાશ મરીને ઉત્તમ દેવ થયે.
આ પ્રમાણે પ્રાણાતિપાતની વિરતિને વિષે યમપાશ માતંગની સ્થા કહી.
તથા બીજું મૃષાવાદ નામનું વ્રત કન્યાલીકાદિક પાંચ પ્રકારનું છે. તે અલીક બેલવાથી ભદ્રની જેમ દોષ પ્રાપ્ત થાય છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં ધન રહિત બે વણિક દુષ્ટબુદ્ધિ અને સુબુદ્ધિ નામના લેકમાં પ્રસિદ્ધ હતા. મિત્રાઈને પામેલા તે બને કાંઈક કરિયાણું લઈને ધનને ઉપાર્જન કરવા માટે પરદેશમાં ચાલ્યા અને અનુક્રમે કેઈક પુરાણા (જૂના) નગરને પામ્યા. ત્યાં લાભની ઈચ્છાવાળા તે કેટલાક દિવસ રહા. એક દિવસ શરીરની ચિંતા(ઠલા)ને માટે કઈક ખંડિત ઘરને વિષે બેઠેલા સુબુદ્ધિએ કાંઈક નિધાન પ્રાપ્ત કર્યું. તેને દુષ્ટબુદ્ધિની સાથે ગ્રહણ કરીને તે જેટલામાં જોવા લાગ્યો, તેટલામાં હજાર દીનાર (સોનામહોર) થઈ. પછી કૃતાર્થ થયેલાં તે બને પોતાના નગરમાં આવ્યા. ત્યાં દુર્ણ બુદ્ધિએ સુબુદ્ધિની સાથે વિચાર કર્યો, કે-“હે મિત્ર! જે આપણે અર્ધ અર્ધ ભાગ પાડીને વહેંચીને) આ ધન ગ્રહણ કરીએ, તે લોકને વિષે આપણું મટી સંભાવના થશે, તેથી કઈ પણ પ્રકારે રાજા આપણા નિધાનને લાભ જાણીને તે ગ્રહણ કરશે ત્યારે આપણું દારિદ્ય તે જ અવસ્થાવાળું થશે. તેથી જો તારી સંમતિ હોય, તે એક સો ગ્રહણ કરીને શેષ (બાકીનું) ધન અહીં જ વટવૃક્ષની પાસે ગુપ્ત કરીએ.” ત્યારે “ભલે, એમ હે.” એમ તેણે કહ્યું ત્યારે રાત્રિને વિષે ત્યાં તેને નિક્ષેપ (ગુપ્તપણું) કરીને પ્રાત:કાળે ખુશી થયેલા તે બને પોતપોતાને સ્થાને આવ્યા. પછી દુર્ણ બુદ્ધિના તે દીનાર ખરાબ રીતે વ્યય કરવાથી કેટલાક દિવસે ખુટી ગયા. કેમકે લક્ષમી પુણ્યથી જ સ્થિર રહે છે. ફરીથી સુબુદ્ધિ અને દુર્બદ્ધિ રાત્રિએ ત્યાં જઈને તે ધનમાંથી એક એક સો દીનાર લઈને ઘેર આવ્યા. એક દિવસ દુષ્ટબુદ્ધિએ મનમાં આ પ્રમાણે વિચાર્યું કે-“ આ સુબુદ્ધિને છેતરીને બાકીનું ધન હું ગ્રહણ કરું.” એમ વિચારીને રાત્રિએ તેણે ત્યાં જઈને તે ધન ગ્રહણ કર્યું. ધનના લેભી જનો પિતાને પણ છેતરે છે, તો પછી બીજાની શી વાત કરવી? પછી તેણે મિત્રને કહ્યું કે–“તે દ્રવ્ય વહેંચીને આપણે ઘેર લાવીએ. કેમકે તે બહાર રહેલું હોવાથી આપણા ચિત્તની ચિંતા જતી નથી.” ત્યારે તે સરળ ચિત્તવાળા સુબુદ્ધિએ તેનું માન્યું. પછી તેની સાથે જઈને દુષ્ટબુદ્ધિએ તે સ્થાન છું. ત્યાં તે ધનને નહીં તે કૂડકપટના સ્થાનરૂપ તે “હા! હું કેઇનાવડે ઠગા છું.” એમ બોલીને પથ્થરવડે પિતાના માથાને મારવા લાગ્યા. અને બોલ્યા કે “હે સુબુદ્ધિ! ખરેખર તે ધન તેં હરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org