________________
[ ૧૭ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પ્રાણાતિપાતની જે વિરતિ તે પહેલું વ્રત છે, તે સારી રીતે પાળ્યું હોય તા યમપાશની જેમ સુખ આપનાર થાય છે.
તે આ પ્રમાણે—આ જ ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં દુષણ નામે રાજા હતા, તેને કમલના સરખા મુખવાળી કમલશ્રી નામે ભાર્યો હતી. તે નગરીમાં સુમજરી નામના વિક્રમી દંડપાશિક હતા, અને યમપાશ નામના જાતિવડે ચંડાળ હતા, પણ કર્મ વડે ચ ડાળ ન હાતા જ. ત્યાં દયાદિ ગુણે કરીને સહિત નલદામા નામે વિક હતા, તેને સુમિત્રા નામની પત્ની અને સમણુ નામે પુત્ર હતા. એક દિવસ તે રાજા વિકે આણેલા અશ્વ ઉપર ચડ્યો. તે અશ્વ રાજાના વેરી એક દેવવર્ડ અધિષ્ઠિત હતા. તે આકાશમાં ઊડીને જ વેગથી વનમાં ગયા. તે અશ્વને રાજાએ મૂક્યા અને તરત જ તે પ્રાણવડે પણ મુક્ત થયા.( મરી ગયા ). ત્યાં એક હરણ રાજાને જોઇને જાતિસ્મરણવાળા થયેા, તેથી તેને તેની આગળ અક્ષરની શ્રેણિ લખીને આ પ્રમાણે જણાવ્યું કે—“ હું રાજા ! હું દેવલ નામના તમારા શ્રીકરીધર ( છડીદાર ) હતા. આત્ત ધ્યાનના દોષવડે મરીને તિયાઁ ચપણાના દોષવાળા થયા છું.” પછી તૃષાવાળા રાજાને તેણે પાણી બતાવ્યું. પછી તે રાજા સ્વસ્થ થયા ત્યારે તેનું સૈન્ય ત્યાં આવ્યું. કૃતજ્ઞ રાજા તે હરણને પેાતાના નગરમાં લઇ ગયા. ત્યાં રાજાએ આપેલા અભયવાળા તે પેાતાની ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. એક દિવસ ભમતા ભ્રમતા તે મમ્મણની દુકાને આવ્યા. તે વર્ણિકે પૂર્વ જન્મના મત્સરવડે તેના ઉપર કાપ કર્યા અને પિતાને કહ્યુ` કે- આ અપરાધ કરનાર મૃગને મારવા છે. ” તે એલ્યું. કે—“ વિણકને ખીજા પણ જીવ મારવા લાયક નથી, તેા આ તેા રાજાને ઈષ્ટ છે, તેથી હું પુત્ર ! તારે હણવા નહીં. ” એમ કહ્યા છતાં પણ તે કાર્ય માં વ્યાકુળ હતા ત્યારે તેણે તેને ક્રોધથી મારી નાંખ્યા. આવું કમ કરતાં તે મમ્ભણુને દૂર રહેલા યમદંડની જેવા અંત કરનાર એક શ્રેષ્ઠીએ જોચે. પછી તેણે તે વૃત્તાંત રાજાને જણાવ્યેા. ત્યારે “અહીં સાક્ષી કાણુ છે? ” એમ રાજાએ કહ્યું ત્યારે તે એણ્યે કે તેના પિતા જ સાક્ષી છે. ” પછી રાજાએ મેલાવેલા તેણે પણ “ તે સત્ય છે” એમ કહ્યું. તેથી “ આ સત્યવાદી છે. એમ જાણીને રાજાએ તેને પૂજ્યેા. પછી મમ્મણના વધ કરવા માટે રાજાએ આજ્ઞા આપેલેા યમપાશ (ચંડાળ ) એયેા કે હે દેવ ! હું હિંસા નહીં કરું. ” ત્યારે—“ તુ માતગ છતાં પણ કેમ પ્રાણીની હિંસા કરતા નથી ? ” એમ રાજાએ પૂછેલા તેણે કારણુ કહ્યું કે-“ હસ્તીશીષ નામના શ્રેષ્ઠ નગરમાં મદત નામના વણિકપુત્ર અન ત તીર્થંકરની પાસે ધર્મ સાંભળીને વ્રતવાળા (સાધુ) થયા છે. તપ કરતા તેને અનેક લબ્ધિ પ્રાપ્ત થઇ છે. તે ગીતા એકલા વિચરતા આ નગરીમાં આન્યા હતા. તેપિતૃવન(સ્મશાન)ની પાસે કાચેાત્સ વડે સ્થિર રહ્યો હતેા. તે વખતે હે પ્રભુ! અતિમુક્ત નામના મારા પુત્ર છે, તે ઓપસર્ગિક રાગથી પીડા પામેલે તે પિતૃવનમાં ગયા. ત્યાં મુનિને તે નમ્યા અને તેની શક્તિથી તે નીરંગી થયા. તેણે ઘેર આવીને તે વૃત્તાંત મને કહ્યો. ત્યારે રાગથી
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org