SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવ : પ્રમાદ નહિં કરવા અને અહિંસા વ્રત ઉપર યમપાશ માતંગની યા. [ ૧૬૯ ] આવા પ્રકારની ક્રિયા કરું છું. મુખ અને મસ્તકમાં નીકળેલા ( ઊગેલા ) સઘળા કેશના લાચ કરું છું, પ્રમાણવાળાં શ્વેત વસ્ત્રોને પહેરું છુ, ચતુર્દિક વિવિધ પ્રકારનું તપ કર્મ કરું છું, તપના પારણા વિષે પણ અહા! રૂક્ષ આહાર ખાઉં છું, ઘણા આહારને ગ્રહણ કરતા નથી અને રસ ( સ્વાદ) વિનાનુ પાણી પીઉં છું, જો આ પ્રમાણે હું ન કરું, તા ફરીથી તે વિષ ઉદયમાં આવે. તથા કાઇ વખત વનને વિષે, કેાઇ વખત પત ઉપર તથા કાઈ વખત શૂન્ય ઘર અને સ્મશાનને વિષે હું રહું છું. રાગ અને દ્વેષની મધ્યમાં રહેલા હું પરિષહેાને સારી રીતે સહન કરું છું. આ પ્રમાણે ક્રિયા કરવાથી મને વિષના વિકાર થતા નથી. જે અલ્પ આહારવાળા, અલ્પ નિદ્રાવાળા અને પરિમિત (અપ) ખેલનારા હાય, તેને કેવળ આ સર્પ જ વશ થાય છે, એટલું જ નહીં, પરંતુ દેવા પણ વશ થાય છે. ઘણું કહેવાથી શું? જો આવા પ્રકારની ક્રિયાવડે આ રહે, તા જ તે જીવે, અન્યથા અવશ્ય મરણ પામે. ” ત્યારે “ તેત્રી ક્રિયા તે કરશે. ” એમ લેાકાએ કહ્યું ત્યારે તે અમર વાર્તિકે મંડળ આળેખીને આ પ્રમાણે પવિત્ર વિદ્યાના ઉચ્ચાર કર્યા— “ સ સિદ્ધોને નમસ્કાર કરીને તથા સર્વ મહાવિદ્યાઓને નમસ્કાર કરીને વિષના વેગને નાશ કરનાર વિવિધને હું કહીશ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને સર્વ પરિગ્રહના જાવજીવ સુધી ત્યાગ કર.” સ્વાહાવર્ડ યુક્ત આ વિદ્યાવડે તે શ્રેષ્ઠીપુત્ર નિદ્રાના ક્ષયે જેમ ઊઠે તેમ દેવના પ્રભાવવડે ઊઠ્યો, વાર્તિકે કહેલી ક્રિયા સ્વજનાએ તેને કહી, તેને શ્રદ્ધા નહીં કરતા તે તત્કાળ પોતાના ઘર તરફ ચાલ્યેા. તત્કાળ ફ્રીથી ચેતના રહિત તે પૃથ્વી ઉપર પડ્યો. ફરીથી સ્વજનાની પ્રાર્થનાવડે ટ્રેવે તેને સાજે કર્યો. એ જ પ્રમાણે ત્રીજી વાર ગાઢ નિશ્ચય કર્યો ત્યારે ગાંધવ નાગદત્તે પણ તેનુ' વચન માન્યું. પછી દેવે તેને ઉદ્યાનમાં લઇ જઇને તેને પેાતાનુ' દેવપણું નિવેદન કરીને પૂર્વ ભવ કહ્યો. ત્યારે તે પણ જાતિ સ્મરણને પામ્યા. આ પ્રમાણે તે પ્રત્યેકમુદ્ધ મુનીશ્વર થયા. તેને વાંદીને તે દેવ પણ પેાતાને સ્થાને ગયા. તે મુનિએ બહાર નીકળતા ચારે કષાયરૂપી સન શરીરરૂપી કડીને વિષે પ્રયત્નથી નિયમિત કરીને તેનું રક્ષણ કર્યું. આ પ્રમાણે કેટલેક કાળ ગયા ત્યારે કના સમૂહને હણી, તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને મુક્તિ પદને પામ્યા. આ પ્રમાણે ગાંધવ નાગદત્તની કથા કહી. આ વિગેરે અનને કરનાર પાંચે પ્રકારના પ્રમાદ વિવેકી જનાએ ત્યાગ કરવા અને ચાર પ્રકારના ધર્મ કરવા. વળી તે ધર્મ યતિ અને શ્રાવકના ભેદવડે એ પ્રકારના છે. તેમાં યુતિ ધર્મ ક્ષમાદિક બેઢાવડે દશ પ્રકારના જાણવા. તેમાં પહેલું સમ્યકૃત્વ છે તે એ પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું સૂત્રને અનુસારે જાણવું. તથા પાંચ અણુવ્રત, ગુણ છે પૂર્વે જેને એવા ત્રણ વ્રત (ત્રણ ગુણવ્રત ) અને ચાર શિક્ષા પદ ( વ્રત ) એ પ્રમાણે ( ખાર પ્રકારના ) ગૃહીને ધર્મ કહ્યો છે. સ્થલ ככ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy