SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, આ જ્યાં સુધી પ્રાણને સંશય કરનારા મોટા કણમાં નહીં પડે ત્યાં સુધી તે ધર્મ કરશે નહીં.” આ પ્રમાણે વિચારીને તેણે સર્પના કંડીયાને ધારણ કરનાર તથા રજોહરણ અને મુખવચિકા સહિત મુનિનું રૂપ કર્યું. પછી પાસેના માર્ગે જતા તેને નાગદત્તે પૂછયું કે હે નરેંદ્ર (મુનીંદ્ર)! આ તારા કંડીયામાં શું છે?” તેણે “સર્પો છે” એમ કહ્યું ત્યારે તે બે કે “તે હું તેના સાથે ક્રીડા કરીશ, અને તું મારા નાગ સાથે ક્રીડા કર.” વાર્તિક બે કે-“તારે આવી વાત ન કરવી, કેમકે આ મારા સપની સાથે ક્રીડા કરી શકાય તેમ નથી. આ નાગ દેવને પણ દુખે કરીને ગ્રહણ થાય તેવા છે, તે પછી તે મૂઢ! મંત્ર ઔષધિના બળ વિના તું બાળક શી રીતે ગ્રહણ કરીશ?” નાગદત્ત બોલ્યા કે-“મારા વડે ગ્રહણ કરાતા આને તું જે, અથવા તે તું પ્રથમ મારા સર્પોને ગ્રહણ કર.” તે એમ બે કે-“મૂક. ” નાગદત્તે મૂકેલા તે સર્ષો તેના શરીરને લાગ્યા નહીં, અથવા લાગ્યા તે પણ દેવશક્તિને લીધે તેને વ્યથા કરતા નહોતા. પછી ગાંધર્વ નાગદતે મત્સર સહિત આ પ્રમાણે કહ્યું કે-“તું પણ તારા સને મૂક. અરે! અહીં તું કેમ વિલંબ કરે છે?” “ તું સર્વ તારા સ્વજનેને એકઠા કર. અને રાજાને સાક્ષીરૂપ કર.” એમ ગારૂડિકે કહ્યું, ત્યારે તેણે આ પ્રમાણે કર્યું. તેઓની પાસે તે અધમ ગારૂડિક ઊંચે સ્વરે બે કે-“હે લેકે! તમે સાવધાન ચિત્તવાળા થઈને મારું વચન સાંભળો. મારા સપની સાથે ગાંધર્વ નાગદત્ત ક્રીડા કરવા ઈચ્છે છે. જે આ તેઓવડે ડંખાય, તો તમારે મને સર્વથા દેષ આપવો નહીં.” પછી જ્યારે સ્વજનેએ વાર્તા છતાં પણ તે વિરામ પામ્યું નહીં, ત્યારે તે સર્ષવાહકે તેની તરફ સર્પો મૂકયા અને કહ્યું કે-“અરે ! આ મારા સાઁ મહાક્રૂર છે. આ દરેકનું નામ અને માહા” હું કહું છું. પૂર્વ દિશામાં આ પહેલા સર્પ રાતા નેત્રવાળો, કુર, બે જીભવાળો અને વિષથી ભરપૂર ક્રોધ નામ છે. આઠ ફણાના આડંબરવડે ભયંકર, સ્તબ્ધ શરીરવાળો તથા યમરાજની જે આ દક્ષિણ દિશામાં રહેલે માન નામનો માટે સર્પ છે. છેતરવામાં કુશળ, વક્ર ગમનવાળી અને પશ્ચિમ દિશામાં રહેલી આ માયા નામની નાગણ પકડવાને અહીં કોણ શક્તિમાન છે ? તથા જેનાવડે ડંખાયેલો પુરુષ સમુદ્રની જેમ દુપૂર થાય છે, તે આ ઉત્તર દિશામાં રહેલો લાભ નામને સર્પ છે. આ ચારે સર્પાવડે જે પ્રાણી ડસાય છે, તે આલંબન રહિત અવશ્ય નીચે પડે છે.” ત્યારે ગાંધર્વ નાગદત્ત તેને કહ્યું કે “અરે તું નિષ્ફળ વાણુના વિસ્તારને કેમ કરે છે? આ સર્પોને જલદી મૂક.” ત્યારે મંત્ર અને ઔષધિથી નિવારણ ન થાય તેવા તેણે મૂકેલા તે ચારે નાગો એકી સાથે તે શ્રેષ્ઠીપુત્રને કરડ્યા અને તે પૃથ્વી પીઠ ઉપર પડ્યો. તેના મિત્રોએ વિવિધ પ્રકારના ઔષધવડે ઉપચાર કર્યા છતાં પણ તે જરા પણ ચેતનાને પામે નહીં ત્યારે “તું આને જીવાડ.” એમ તેના બંધુઓએ કહેલો તે બે કે-“હે લેકે ! જે આ દુષ્કર ક્રિયાને કરે, તે આ જીવે. હું પણ આ દુષ્ટ સાઁવડે ડંસા હતું, તેથી તેના વિષને દૂર કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy