SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જન્મને વિષે અભ્યાસ કરેલા પદાર્થોને વિષે પ્રાયે કરીને પ્રાણી પિતાની જાતે જ પ્રવતે છે.” તો પણ તેણીના અતિઆગ્રહને લીધે શ્રેષ્ઠીએ પિતાના પુત્રને ચતુરાઈ શીખવા માટે દુલિતના સમૂહને સેં. તેઓએ તેને કલાને અભ્યાસ વિસ્મરણ કરાવ્યું, અને કોસુક દેખાડવાથી એક દિવસ કામ પતાકા નામની વેશ્યાને ઘેર તેને લઈ ગયા. સંજમવાળી તેણીએ અને અકાએ “આ ધનવાન છે” એમ જાણીને સ્વાગત કરવાવડે અને આસન આપવાવડે તેની પૂજા કરી (સત્કાર કર્યો.) તેના ઉપર મિત્રના ઉપદેશથી તે બેઠો. પછી સર્વ ભાષામાં નિપુણતાવાળી તેણીએ છી(વાત) આરંભી. તેણીની વાયરચનાથી આક્ષિપ્ત થયેલા (ખેંચાયેલા છે તેને જાણીને તે સર્વ પાપી મિત્રો ધીમે ધીમે પોતપિતાને સ્થાને ગયા. તેણીએ તેને તે રીતે રંજન(રાગી) કર્યો કે જે રીતે તેણીના મંદિરમાંથી તે નીકળે નહીં. અને તેના માતાપિતા ધન મોકલવા લાગ્યા. ત્યાં સુલસ સોળ વર્ષ સુધી રહ્યો ત્યારે તેના માતાપિતા મરણ પામ્યા. એટલે તેની ભાર્યા તે જ પ્રમાણે ધન મોકલવા લાગી. ધન ક્ષીણ થયું ત્યારે તે અલંકારે મોકલવા લાગી. અક્કાએ તે અલંકારો તથા હજાર રૂપિયા તેણીને આપ્યા. પછી તેણીએ કામ પતાકાને કહ્યું કે-“હે પુત્રી ! તારો પતિ ધનરહિત થયો છે, તેથી તેને તું ત્યાગ કર.” ત્યારે-“હે માતા ! જેણે ઘણું ધન આપ્યું તેને કેમ ત્યાગ કરાય?” એમ અનુરાગવાળી તેણીએ કહ્યું ત્યારે ફરીથી કુટિની(અક્કા) બોલી, કે-“વેશ્યાના ધર્મને વિષે આ પ્રમાણે છે કે-વૈભવથી શોભતા પુરુષને સદા સેવ, પરંતુ રસ કાઢેલી શેરડીની જેમ નિધનનો ત્યાગ કરવો.” આમ કહ્યાા છતાં પણ એટલામાં તેણીએ સુલસને ત્યાગ ન કર્યો, તેટલામાં એક વખત પિોતે જ અકાએ તેને આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! તું એક ક્ષણવાર હમણું નીચેની ભૂમિમાં ઉતર, કે જેટલામાં ધૂળથી વ્યાપ્ત થયેલી આ ચિત્રશાળાને હું સાફ કરું.” ત્યારે તેણના અભિપ્રાયને જાણતો તે નીચે ઉતરીને રહ્યો. ત્યારે દાસીએ તેને કહ્યું કે-“હે લજજારહિત ! હજુ પણ તું અહીં કેમ રહે છે ?” ત્યારે તે ઘરમાંથી નીકળીને તે પોતાના ઘર તરફ ચાલ્યો. જેમ સ્વર્ગમાંથી આવીને દેવ મનુષ્ય ભવ તરફ ચાલે અને ખેદ પામે તેમ તે ખેદ પામે. સાધુના શરીરની જેવું લેપરહિત, પક્ષીની જેમ અર્ગલા(સાંકળ) રહિત અને વાડરહિત છતાં પણ અનિવૃત્તિને(અશાંતિને ) કરનાર પિતાનું ઘર તેણે જોયું. પાસે રહેલા એક માણસને તેણે પૂછયું કે “ભદ્ર! શું આ વૃષભદત્તનું ઘર છે કે નહીં?” ત્યારે તેણે “હા, તે જ છે.” એમ કહ્યું ત્યારે તે બે કે “કેમ આવું દેખાય છે? શું શ્રેષ્ઠી કુશળ વતે છે કે નહીં?” ત્યારે શેઠ અને શેઠાણના મરણ વિગેરેની વાત તેણે સુલસને કહી. તે સાંભળીને તે પણ વિચાર કરવા લાગ્યું, કે-“હા! વેશ્યામાં આસક્ત થયેલા અને પાપી મેં કુપુત્રે દુઃખે કરીને પ્રતીકાર(સેવા) કરી શકાય તેવા માતાપિતા મરણ પામ્યા, તે પણ મેં જાણ્યા નહીં. આ પિતાનું ઘર કુબેરના ઘર જેવું હતું, તેને વ્યસનવાળા મેં પ્રેતના વન જેવું કર્યું. મિત્ર, વજન અને લેકેને હું પાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy