SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦: કરતાં શુદ્ધ ભાવ પ્રગટ થયા અને વિચારે છે કે હું આત્મા ! આ વધ કરનાર ઉપર તું ક્રોધ પામીશ નહિ. એમ ભાવના ભાવે છે તેટલામાં ગેાપાલકની મેા ઊડી તેના મુખમાં પડી. આ સાંભળી રાજા રાણી તે માટે વિલાપ કરે છે. ગુરુમહારાજ ઉપદેશ આપી શાંત્વન કરે છે. ધમ સાધન કરવા કહે છે. પછી તે મિત્રાનંદના જીવ તારી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે આવશે. તે તારા પુત્ર ક્રમલગુપ્ત રાજા થશે. અમરદત્ત પોતાના મિત્રના વિયેાગ થયા વગેરે હકીકત માટે પૂર્વભવ પૂછતાં ગુરુમહારાજ સક્ષિપ્તમાં તેને પૂર્વભવ જણાવે છે. (પા. ૬૦). જેમાં પૂ`ભવમાં જો વચનવડે દુષ્ટમં બાંધ્યું હેાય તે પછીના ભવમાં તેનું કડવુ ફળ ભાગવવુ પડે છે. હસતાં હસતાં, બાંધેલું કંતુ ફળ ખીજા ભવમાં કેટ્લ ભાગવવું પડે છે તેના ઉપર આ કથા કહેવામાં આવેલી છે, માટે મનુષ્યાએ હાંસીમાં પણ ક્રાઇને દુઃખ લાગે તેવુ ન ખેલવું તે આ કથાના સાર છે. પછી રાજા વગેરે જાતિસ્મરણ જ્ઞાન થતાં ગુરુમહારાજ તેને બાર વ્રત આપે છે. દીક્ષા માટે જણાવે છે કે તને પુત્ર થયા પછી પ્રવ્રજ્યા થશે, માટે હાલ તારે ગૃહીધમ' લેવા. પછી પુત્રપ્રાપ્તિ થતાં યોગ્ય અવસરે ફરી તે જ ગુરુમહારાજ ત્યાં પધાર્યાં. રાજારાણી દીક્ષા લે છે. ખીજાઓને પણ એધ કરવા ગુરુમહારાજ ઉપદેશ આપે છે કે પુણ્યયેાગે દીક્ષા પ્રાપ્ત થતાં તે લીધા પછી પ્રાણીઓ વિષયની ઇચ્છાવાળા થાય છે તે જિનરક્ષિતની જેમ ભયંકર સંસારરૂપી સમુદ્રમાં પડે છે અને જિનપાલિતની જેમ શુદ્ઘ પાળનારા સંસારમાં સુખને ભજનારા થાય છે. અહિં ગુરુમહારાજ તેની કથા કહે છે. આ કથા શ્રી મહાવીર–દેવના વખતની ( ભવિષ્યની ) છે. જ્ઞાની મહારાજાએ ત્રણે કાળની હકીકત કહી શકે છે, તે પ્રમાણે આ કથા કહેવામાં આવી છે. ચપાપુરીમાં જિતશત્રુ રાજાને ધારિણી નામે રાણી હતી. તે શહેરમાં માક દી નામનેા દાની શ્રેણી અને તેને ભદ્રા નામની ભાર્યાં હતી, તેને બે પુત્રા જિનપાલિત અને જિનરક્ષિત નામના હતા. તે અનેએ ધનના લેાભે દરીયાની મુસાફરી કરી ઘણું ધન મેળવ્યું છતાં ફરી ખારમી વખત સમુદ્રમાગે મેળવવા જવાની પેાતાના પિતા પાસે આજ્ઞા માંગતા ઘણું ધન છે માટે હવે ન જાઓ, વખતે ઉપદ્રવ પણ થાય, તેમ કહે છે છતાં આપના પ્રતાપે કુશળ ક્ષેમજ થશે તેમ જણાવી સમુદ્રમાર્ગે જતાં દૈવયેાગે સમુદ્રમાં થયેલ તાફાનથી તેમનું વહાણ ભાંગી જાય છે. એક વહાણુના પાટિયાવડે અને ત્રણ દિવસે રત્નદીપના તીરે પહોંચે છે. ત્યાં તેની પાસે તે દ્વીપની ક્રૂર નિય એક દેવી આવી કહે છે કે, જે તમારે પોતાના પ્રાણ બચાવવા હાય તો મારી સાથે વિષયસેવન કરો. વહાણુ ભાંગવાથી અમે અહિં આવેલા તારે શરણે હોવાથી તારા આદેશ પ્રમાણે કરીશું, એમ બંને કહે છે. પછી તેના અશુભ પુદ્ગલાને સહરી, સારાભેજનવડે ખુશી રાખી તે અને સાથે વિષય સુખા ભાગવવા લાગી. એક દિવસ તે દેવી કહે છે કે સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આજ્ઞાથી મારે સમુદ્રદ્ધિ કરવા જવું છે, માટે તમા બંનેને કાવાર અકળામણ થાય અને ફરવા જાઓ તે પૂર્વ દિશાના વનખંડમાં જ્યાં ગ્રીષ્મ અને વર્ષાઋતુ છે, ઉત્તરમાં નિર ંતર શરદ અને હેમ તઋતુ છે અને પશ્ચિમ દિશાના વનમાં શિશિર અને વસંત નામની એ ઋતુએ છે ત્યાં જઈ શાંતિ લેશે. પરંતુ દક્ષિણ દિશાના વનમાં દૃષ્ટિવિષ સ` રહે છે. માટે ત્યાં જશા નહિ. હવે અહિં દક્ષિણ દિશામાં જવાની તે દેવીએ ક્રમ ના પાડી તેની શંકા પડતાં તે દિશાએ અને ભાઇએ ઇરાદાપૂર્વક જાય છે. જ્યાં મડદાનાં કલેવર જોઇ ભય પામતાં ત્યાં શૂલિકા પર ચડેલા એક મનુષ્યને વિલાપ કરતાં જોઈ કારણ પૂછતાં તે કહે છે કે કાકડીના હું વિક્ શ્રેષ્ઠી છું. મારું વહાણુ ભાંગતા અહિં આવ્યા. મારી વિષય માટે અભિલાષા કરતી એક દેવીએ મારી આ દુર્દશા કરી છે. આ * પૂર્વના ત્રીજા ભવે મિત્રાન દે જે વચનવડે દુષ્કર્મ આંધ્યુ હતુ તેનુ ફળ આ ક્રમ'માં તેને ભાગવવુ પડયુ હતું. માટે હસતાં પણ ક્રમ માંધ્યું હોય તે રોતાં રોતાં ભાગવવું પડે છે માટે હસતાં પણ ક્રમ બાંધવુ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy