SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તારા માથે આવેલું આ કલંકનું મારી સાથે આવ તો નિવારણ કરીશ અને તેથી કુંવરી તેમ કરવા જણાવે છે. કહ્યું છે કે, “અંધ માણસ, રાજાનું ચિત્ત, સ્ત્રી અને પાણી આ સર્વ નિપુણ માણસ લઈ જાય ત્યાં જાય છે. ” પછી મિત્રાનંદ કહે છે કે હું રાજાની રૂબરૂ તારા ઉપર સરસવ નાંખું ત્યારે તારે કુત્કાર શબ્દ કરો. પછી તે પ્રમાણે કરતાં રાજા પાસે આવી કહે છે કે, રાત્રિનાં પહેલાં રાજકુંવરીને તમારા દેશને છેડે લઈ જવી પડશે, જરૂર તેમ ન કરું તે તે મારી તેમને તેમ રહેશે, તેથી રાજા એક ઘડી તેને આપે છે, કુંવરીને તેના ઉપર બેસાડે છે. કુંવરી મિત્રાનંદને ઘેડે બેસવાનું કહેતાં મિત્રાનંદ જણાવે છે કે હે સુંદરી ! મેં મારા માટે તને નથી આથી, પરંતુ મારા મિત્ર અમરદત્ત માટે આણી છે, જેથી તું મિત્રસ્ત્રી હોવાથી એક જ આસન પર બેસી તારી સાથે મારે ફરવું યોગ્ય નથી. મિત્રાનંદ પિતાના મિત્ર માટે કેટલું કષ્ટ ભોગવે છે. ધન્ય છે ! જગતમાં આવા જ મિત્રે તે મિત્રો કહેવાય છે. ત્યાં આજકાલનાં સ્વાર્થી મિત્રોને મિત્રો કહેવાને અવકાશ નથી. ” આમ કહી તેને લઈ પાટલીપુત્ર નગરે આવે છે. આજે બે માસની અવધિને છેલ્લો દિવસ હોવાથી અમરદત્ત ચિતાપ્રવેશ કરતાં તેને આજનો દિવસ રાહ જોવા સમજાવે છે, તેટલામાં મિત્રાનંદ ત્યાં આવી પહોંચે છે અને પોતે સહન કરેલ કષ્ટ જણાવતાં અમરદત્ત તેને સત્ય મિત્ર તરીકે ઓળખાવે છે. રાજકુંવરી તથા અમરદત્તના ત્યાં લગ્ન થાય છે. ત્યાં પુત્ર રહિત રાજા મરણ પામતાં ભાગ્યોદયવડે અમરદત્તને પ્રજા ગાદીએ બેસાડે છે. અમરદત્ત મિત્રાનંદને સર્વ અધિકારી કરે છે અને રત્નસારને પિતાને રથાને સ્થાપન કરે છે. મિત્રાનંદને પેલી ભૂતની શંકાની વાત યાદ આવતાં ભય નિવારવા માટે રાજા તેને વિશ્વાસુ માણસો સાથે વસંતપુર નગરમાં જવા જણાવે છે. ત્યારબાદ વારંવાર મિત્રનું કુશલ જાણવા ખબર કઢાવવા છતાં વસંતપુરમાં પતો નહિ લાગવાથી અમરદત્ત રાજા ચિંતાતુર થાય છે. તેટલામાં ત્યાં ચાર જ્ઞાનના ધારક શ્રી ધર્મઘોષસૂરિ અશકતિલક નામના ઉધાનમાં પધારેલા જાણી રાજા રાણી સહિત મુનિશ્રી પાસે આવી વંદન કરે છે. અહિં જ્ઞાની મહારાજને અશોકદત્ત શેઠે પોતાની પુત્રી કયા કમેં કરી સવ અંગેને વિષે વેદનાવાળી થઈ છે તે પૂછતાં સૂરિમહારાજ જણાવે છે કે-પૂર્વભવે ભૂતશાલનગરમાં ભૂતદેવ નામના શેઠની કમતી નામની સ્ત્રી હતી. એક દિવસ બિલાડી તેના ઘરમાં દૂધ પીવાથી પિતાની પુત્રવધૂ દેવમતીને કહ્યું કે શું તને વળગાડ વળગ્યા હતા કે દૂધનું રક્ષણ કર્યું નહિ. તે શબ્દો તેના ઘરનું કામ કરનાર માતંગીએ સાંભળ્યા ને દેવમતીને વળગી, તેના ઉપચાર કરાવતા ઠીક થયું નહિ. એટલામાં ત્યાં એક યોગી આવે છે. તેની મંત્રવિદ્યાવડે તેને આરામ કર્યો. આથી નગરજને કુરુમતીને કાળજિહવા એવા નામથી બોલાવવા લાગ્યા. પછી તેણી દીક્ષા લઈ દેવલોકમાં ગઈ. ત્યાંથી વ્યવી આ તારી પુત્રી થઈ છે અને આકાશદેવતાના દોષથી દૂષિત થઈ છે. તેને અહિં લાવ જેથી મારું વચન સાંભળી તે જાતિસ્મરણુવડે પૂર્વભવ જોશે. પછી તે કન્યાને ત્યાં લાવતાં સરિના પ્રભાવથી તે આકાશગામિની વિદ્યા નાશી ગઈ. કન્યાને ગુરુમહારાજ કહે છે કે-હાલ તારા ભેગનું ફળવાળું કર્મ છે. પછી અમરદત્ત પિતાના મિત્ર મિત્રાનંદ હાલ કયાં છે તે જણાવવા વિનંતિ કરે છે, ગુરુમહારાજ કહે છે કે-હે રાજા! તારી પાસેથી ચાલે તે જળદુર્ગને ઓળંગીને સ્થળદુર્ગમાં ગયે. ત્યાં નદી પાસે રહેલ ત્યાં ભીલૅની એક ધાડ આવી જેથી મિત્રાનંદ ત્યાંથી નાશી ગયે. ત્યાં રસ્તામાં એક વડના ઝાડ નીચે સૂતે ત્યાં તેને એક સર્ષ ડો. એટલામાં એક તપસ્વી ત્યાં આવ્યો તેને દયા આવવાથી જળ મંત્રી છાંટી તેને જીવતે કર્યો. ત્યાં તેના પૂછવાથી મિત્રાનંદે પિતાની સત્ય વાત જણાવી. ત્યાંથી આગળ ચાલતાં ચારે તેને પકડ્યો. તે લોકોએ એક વણિકને ત્યાં વેચે. તે વણિક પારસકલ નામના દેશમાં જતાં એક દિવસમાં ઉજજયનીમાં આવ્યું, જ્યાં રાત્રિના વિષે તે નગરની ગટરમાં પેઠે. તેને ચેર જાણી પકડવામાં આવ્યો. ત્યાં તેને ખૂબ માર મારી વધ કરવા બહાર લઈ જતાં મિત્રાનંદ વિચાર કરવા લાગ્યો કે શબે પહેલાં કહેલું આજ સાચું પડયું. તે પછી તે કર્મના સ્વરૂપને વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy